કે.એલ. રાહુલ ઓપનર, ગિલ ચોથા નંબરે... ઈંગ્લેન્ડમાં આવી હોય શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11
India vs England: ઈંગ્લેન્ડ લાયન્સની સામે બીજા ચાર દિવસની પ્રેક્ટિસ મેચમાં સ્ટાર બેટ્સમેન કે.એલ.રાહુલે સેન્ચુરી ફટકારી છે. નોર્થમ્પ્ટનના કાઉંટી ગ્રાઉન્ડમાં રમાઈ રહેલી આ ટેસ્ટમાં ઈન્ડિયા-એ ટીમના કે.એલ.રાહુલે પહેલી ઇનિંગમાં 15 ફોર અને એક સિક્સ ફટકારી 168 બોલમાં 116 રન બનાવ્યા છે.
ઈન્ડિયા-એની પહેલી ઇનિંગમાં કે.એલ.રાહુલ યશસ્વી જયસ્વાલની સાથે ઓપનિંગ કરવા ઉતર્યા હતા. રાહુલે ઓપનિંગ કરતાં કેપ્ટન અભિમન્યુ ઈશ્વરન પોતાને ત્રીજા નંબર પર ડિમોટ કર્યા. જણાવી દઈએ કે અભિમન્યુ ઈશ્વરન ઈંગ્લેન્ડ લાયન્સ સામે પહેલા ચાર દિવસીય પ્રેક્ટિસ મેચમાં યશસ્વી જયસવાલની સાથે ઓપનિંગની જવાબદારી સંભાળી હતી.
આ પણ વાંચો: ધોની અને કોહલી ના કરી શક્યા એ ગિલ કરી બતાવશે? ઈંગ્લેન્ડમાં ગંભીરની પણ થશે 'અગ્નિપરીક્ષા'
કે.એલ. રાહુલે સેન્ચૂરી મારી સ્પષ્ટ કર્યું છે કે તે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં ઓપનરની જવાબદારી સંભાળવા પૂરી રીતે તૈયાર છે. 20 જૂનથી શરૂ થઈ રહેલી હેડિંગ્લે ટેસ્ટમાં કે.એલ રાહુલ અને યશસ્વી જયસ્વાલ ભારતીય ટીમ માટે ઓપનિંગ કરી શકે છે.
હેડિંગ્લે ટેસ્ટમાં ત્રીજા નંબર પર કરૂણ નાયર, સાઈ સુદર્શન અથવા અભિમન્યુ ઈશ્વરનમાંથી કોઈ એકને તક મળી શકે છે. જોકે ત્રીજા નંબર પર કરૂણ નાયર રમી શકે તેવી સંભાવના વધારે છે અને તેમના વખાણ ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે પણ કરી છે. કેપ્ટન શુભમન ગિલ નંબર ચાર પર આવી શકે છે, જે વિરાટ કોહલીની ટેસ્ટમાં પરંપરાગત બેટિંગ પોઝિશન રહી છે.
આ પણ વાંચો: કાબેલ નહોતા છતાં કરોડો રૂપિયા મળી ગયા: IPLના કયા ખેલાડીઓ પર ભડક્યા ગાવસ્કર?
ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોઈન્ટિંગનું પણ માનવું છે કે જો શુભમન ગિલ ચોથા ક્રમે બેટિંગ કરશે, તો તેના પરનો દબાણ ઘટી જશે. ઓપનિંગ અથવા ત્રીજા નંબર પર બેટિંગ કરવી તેમની માટે જોખમભર્યું સાબિત થઈ શકે છે. વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત પાંચમાં અને રવિન્દ્ર જાડેજા છઠ્ઠા ક્રમે ઉતરી શકે છે.
ત્યારે ઓલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડીને શાર્દુલ ઠાકુરની જગ્યા અપાઈ શકે છે, કુમારને સાતમાં ક્રમ પર બેટિંગ માટે ઉતારી શકે છે. મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ અને પ્રસિદ્ધ કૃષ્ણા - આ ત્રણ સ્પેશ્યલિસ્ટ ઝડપી બોલરોને પણ પ્લેઇંગ-11માં સ્થાન મળવાની શક્યતા છે. જયારે ચાઇનામેન બોલર કુલદીપ યાદવ સ્પિન વિભાગનો મજબૂત હિસ્સો બની શકે છે.