જુઓ, ભારતનું પહેલું જીન-એડિટેડ ઘેટું: ઘણાં પ્રકારની બીમારીઓથી મુક્ત! જાણો આ ટેક્નોલોજી વિશે...
Gene Edited Sheep: ભારતના સંશોધકો દ્વારા એક નવી સિદ્ધિ પ્રાપ્ત કરવામાં આવી છે—ભારતમાં પહેલી વાર જીન-એડિટેડ ઘેટાનું જન્મ કરાવવામાં આવ્યું. શ્રીનગર સ્થિત શેર-એ-કાશ્મિર યુનિવર્સિટી ઓફ એગ્રિકલ્ચરલ સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા આ સિદ્ધિ હાંસલ થઈ. આ પ્રોજેક્ટમાં ચાર વર્ષ જેટલો સમય લાગ્યો, અને એની મદદથી પ્રાણીઓમાં 30% વધુ મસલ માસ વધારો શક્ય બનશે. આ CRISPR-Cas9 ટેક્નોલોજી દ્વારા જીન એડિટિંગ કરવામાં આવ્યું છે, જે 2020માં નોબેલ પ્રાઇઝ વિજેતા ટેક્નોલોજી છે.
જીન એડિટિંગ અને એની શક્યતાઓ
રિસર્ચ ટીમના લીડર પ્રોફેસર રિયાઝ અહમદ શાહ જણાવે છે કે, “આ ટેક્નિક દ્વારા પ્રાણીઓને બીમારીમુક્ત બનાવી શકાય. જે જીન દ્વારા પ્રાણીઓમાં બીમારીઓ થાય, એ જીનને એડિટ કરી શકાય છે. એટલું જ નહીં, તેનાથી પ્રાણીઓમાં ચોક્કસ લક્ષણો વિકસાવી શકાય.”
માયોસ્ટેટિન નામનું એક જીન ઘેટાંમાં હોય છે, જે મસલ માસના વિકાસને અટકાવે છે. સંશોધકો દ્વારા આ જીનનું એડિટિંગ કરવામાં આવ્યું, જેથી ઘેટાં હવે 30% વધુ મસલ માસ ધરાવશે.
જીનેટિક્સનો નવો યુગ
શેર-એ-કાશ્મિર યુનિવર્સિટી ઓફ એગ્રિકલ્ચરલ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના વાઇસ ચાન્સેલર ડૉ. નાસિર અહમદ ગનાઈ કહે છે, “આ સિદ્ધિ જીનેટિક્સમાં નવો યુગ લાવશે. ભારતના લાઇવસ્ટોક જીનેટિક્સમાં આ ટેક્નોલોજી નવું પ્રયોગ હશે. આ સિદ્ધિના કારણે ફોરેન DNAને ઉમેરવાની જરૂર નહીં રહે, અને જીન એડિટિંગ વધુ ચોક્કસ અને ફાયદાકારક સાબિત થશે.”
આ પ્રોજેક્ટ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ દ્વારા ફંડેડ છે. જીન એડિટિંગની પ્રક્રિયા અત્યંત સુરક્ષિત અને સરળ છે, જેનાથી અનેક લોકો ફાયદો ઉઠાવી શકશે.
આ પણ વાંચો: આઇફોનમાં આવશે જોરદાર કેમેરા: 200 MP કેમેરાને ટેસ્ટ કરી રહ્યું છે એપલ
વેરિફિકેશન પ્રોસેસ
જીન-એડિટેડ ઘેટું હાલમાં ત્રણ મહિનાનું છે, અને તેનું DNA હવે આંતરરાષ્ટ્રીય રિસર્ચ લેબોરેટરીસ ખાતે વેરિફિકેશન માટે મોકલવામાં આવશે. યુનિવર્સિટીનું લક્ષ્ય ભારતની સૌથી એડવાન્સ રીપ્રોડક્ટિવ બાયોટેક્નોલોજી ફેસિલિટી વિકસાવવાનું છે, જ્યાં પ્રાણીઓ અને કૃષિ સંશોધન તથા પ્રયોગો હાથ ધરવામાં આવશે.