Get The App

દિવાળી પહેલા ચંદ્રયાન-2 એ આપી ગુડ ન્યૂઝ, સૂર્ય-ચંદ્રના સંબંધ વિશે આપી મહત્ત્વની જાણકારી

Updated: Oct 19th, 2025

GS TEAM

Google News
Google News
Chandrayaan-2

Chandrayaan-2: દિવાળીના પાવન અવસર પહેલા, ચંદ્રયાનને લઈને સારા સારા સમાચાર સામે આવ્યા છે. ISRO દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, ચંદ્રયાન-2 મિશને, તેના વૈજ્ઞાનિક સાધનોનો ઉપયોગ કરીને, 'સૂર્યમાંથી કોરોનલ માસ ઇજેક્શન (CMEs)'ની ચંદ્ર પર થતી અસર સૌ પ્રથમ વખત નિર્ધારિત કરી છે. આ શોધને સૂર્ય અને ચંદ્ર વચ્ચેના સંબંધની સમજણમાં એક મોટી પ્રગતિ માનવામાં આવે છે.

​શોધનું મહત્ત્વ અને મિશનની વિગતો આપતા 

​ISROએ જણાવ્યું હતું કે. 'આ માહિતી ચંદ્રના બાહ્યમંડળ (ચંદ્રનું ખૂબ જ પાતળું વાતાવરણ) અને તેની સપાટી પર અવકાશ હવામાનની અસરોને સમજવામાં મદદરૂપ થશે. ચંદ્રયાન-2 મિશનને 22 જુલાઈ, 2019ના રોજ શ્રીહરિકોટાથી GSLV-MkIII-M1 રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. તેમાં આઠ વૈજ્ઞાનિક સાધનો હતા. ​મિશને 20 ઓગસ્ટ, 2019ના રોજ ચંદ્રની ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક પ્રવેશ કર્યો હતો.

CHACE-2 સાધનનો ફાળો 

​ISROના પ્રકાશન મુજબ, ચંદ્રયાન-2 પરના એક સાધન, ચંદ્રયાન વાતાવરણીય કમ્પોઝિશનલ એક્સપ્લોરર-2 (CHACE-2), એ ચંદ્રના બાહ્ય વાતાવરણ પર સૂર્યમાંથી આવેલા કોરોનલ માસ ઇજેક્શનની અસર રેકોર્ડ કરી છે. CHACE-2 સાધનનો મુખ્ય ઉદ્દેશ્ય ચંદ્રના તટસ્થ બાહ્યમંડળની રચના, હદ અને તેમાં થતા ફેરફારોનો અભ્યાસ કરવાનો છે.

​આ પણ વાંચો: દુનિયાના ગેમ તે ખૂણે થશે ડિજિટલ પેમેન્ટ જૂનીને જાણીતી યુપીઆઈથી

કોરોનલ માસ ઇજેક્શન (CME) અને તેની ચંદ્ર પર અસર

​કોરોનલ માસ ઇજેક્શન (CME)એ સૌરમંડળમાં થતા શક્તિશાળી વિસ્ફોટો છે. આ વિસ્ફોટો દરમિયાન, સૂર્ય હિલીયમ અને હાઇડ્રોજન આયનછોડે છે. ચંદ્ર પર આ CMEsની અસર રેકોર્ડ કરવી ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે ચંદ્ર પાસે કોઈ વાતાવરણ નથી અને કોઈ મજબૂત ચુંબકીય ક્ષેત્ર પણ નથી. ​ચંદ્રયાનના ડેટા દર્શાવે છે કે CME ચંદ્ર પર અથડાયા બાદ, તેના પાતળા વાતાવરણ પરનું દબાણ હજાર ગણું વધી ગયું હતું. ચંદ્ર પરના આ અત્યંત પાતળા વાતાવરણને એક્સોસ્ફિયર કહેવામાં આવે છે, જેમાં ગેસના અણુઓ હાજર હોય છે. ​તે ચંદ્રની સપાટીને અડીને આવેલું હોવાથી તેને સપાટીની સીમા એક્સોસ્ફિયર પણ કહેવાય છે. આ એક્સોસ્ફિયર ઉલ્કાના સંપર્ક અથવા સૂર્યપ્રકાશ અને સૌર પવન દ્વારા રચાય છે. આ શોધને સૂર્ય અને ચંદ્ર વચ્ચેના સંબંધની સમજણમાં એક મોટી પ્રગતિ માનવામાં આવે છે.

દિવાળી પહેલા ચંદ્રયાન-2 એ આપી ગુડ ન્યૂઝ, સૂર્ય-ચંદ્રના સંબંધ વિશે આપી મહત્ત્વની જાણકારી 2 - image