ભારતની હવામાન ખાતાની આગાહી કેવી રીતે વધુને વધુ ચોક્કસ થઈ રહી છે?, આ ટેક્નોલોજી વિશે જાણો…
India New Weather System: ભારતની હવામાન ખાતાની આગાહી વધુને વધુ ચોક્કસ થઈ રહી છે. ભારત પાસે ભારત ફોરકાસ્ટ સિસ્ટમ છે, જે ખૂબ જ અદ્ભુત સિસ્ટમ છે. આ મહિનામાં જ્યારે પણ વરસાદની આગાહી કરવામાં આવી, ત્યારે તે પડ્યો છે અને તેમાં ચોક્કસતા માટે આ ટેક્નોલોજી જવાબદાર છે. આ ટેક્નોલોજી વિશ્વભરમાં સૌથી ઉચ્ચતમ રિઝોલ્યુશન પૂરું પાડે છે. આ ટેક્નોલોજી પૂણેની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઑફ ટ્રોપિકલ મીટીઓરોલોજીના સંશોધન દ્વારા વિકસિત કરવામાં આવી છે. આ નવી સિસ્ટમના કારણે 6 કિલોમીટરના ગ્રીડમાં રહીને આગાહી કરી શકાય છે.
પૂણેના ઇન્સ્ટિટ્યુટમાં ગયા વર્ષે સુપરકોમ્પ્યુટર ‘આર્કા’નો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેની મદદથી આ નવી સિસ્ટમ શક્ય બની છે. અગાઉની સિસ્ટમ ‘પ્રત્યુશ’ કરતાં આ સુપરકોમ્પ્યુટર ચાર ગણી ઝડપથી ડેટાને પ્રોસેસ કરે છે.
ભારતની મીટીઓરોલોજીની ક્ષમતામાં વધારો
ભારત ફોરકાસ્ટ સિસ્ટમ હવે ભારતની મીટીઓરોલોજીમાં નવી ક્ષમતામાં વધારો કરી રહી છે. પૂણે ઇન્સ્ટિટ્યૂટના સંશોધક પાર્થસારથી મુખોપાધ્યાય કહે છે, ‘આગાહી માટેના મોડલને તૈયાર કરવા માટે અગાઉની સુપરકોમ્પ્યુટર પ્રત્યુશ સિસ્ટમને દસ કલાક લાગતા હતા, જ્યારે નવું સુપરકોમ્પ્યુટર આર્કા તે જ કામ ચાર કલાકમાં પૂર્ણ કરી શકે છે.’
નવી સિસ્ટમ દ્વારા 6 ચોરસ કિલોમીટર જેટલી નાની હલનચલન ક્ષમતામાં થતો કોઈપણ બદલાવ તરત જ જણાવી શકાય છે. અગાઉની સિસ્ટમ આ માટે 12 ચોરસ કિલોમીટરના અંતરમાં જ ગણતરી કરતી હતી.
40 ડોપલર વેધર રડારનો થાય છે ઉપયોગ
ભારત ફોરકાસ્ટ સિસ્ટમ દેશમાં લગભગ 40 ડોપલર વેધર રડારના નેટવર્ક પાસેથી તમામ ડેટા એકત્ર કરે છે. આ ડેટાની મદદથી હવામાન ખાતું વધુ ચોક્કસ રીતે સ્થાનિક હવામાનની આગાહી કરી શકે છે. આ રડારને ભવિષ્યમાં 100 સુધી લઈ જવામાં આવશે. આ આંકડા પર પહોંચ્યા બાદ ભારતભરમાં કોઈ પણ જગ્યાની આગાહી આગામી બે કલાકમાં શું થશે એ વિશે કરી શકાશે. આ સિસ્ટમ દ્વારા પંચાયત લેવલ સુધી – કયા ગામમાં કેટલો વરસાદ પડી શકે – એની પણ સ્પષ્ટ માહિતી મળી શકશે.
ટ્રોપિકલ રીજન માટે આગાહી આપશે
આ સિસ્ટમ મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સના સેક્રેટરી ડૉ. એમ. રવીચંદ્રન કહે છે કે 30°S અને 30°N લેટિટ્યુડ વચ્ચે આવેલા ટ્રોપિકલ રીજન માટે આ સિસ્ટમ આગાહી આપી શકે છે. જોકે, વિશ્વભરના હવામાન ખાતાની આગાહી મોડલ યુરોપિયન, બ્રિટિશ અને અમેરિકાની હવામાન ઓફિસો દ્વારા કરવામાં આવે છે, જે 9 કિલોમીટરથી 14 કિલોમીટર વચ્ચેના રિઝોલ્યુશનનો ઉપયોગ કરે છે.
આ પણ વાંચો: પેઇન્ટ, નોટપેડ અને સ્નિપિંગ ટૂલમાં AIનો સમાવેશ કર્યો માઈક્રોસોફ્ટે, જાણો શું છે નવીનતા…
કુદરતી આફત અટકાવશે અને કૃષિમાં પણ સહાયરૂપ
ભારતની આ નવી સિસ્ટમ કુદરતી આફતો માટે પણ સહાયરૂપ બનશે. પાણીના રિસોર્સ મેનેજમેન્ટ, કૃષિ અને લોકોની સુરક્ષાને પણ આ સિસ્ટમનો લાભ મળશે. ભારત હવે મીટીઓરોલોજીકલ વિજ્ઞાનમાં આત્મનિર્ભર બની રહ્યું છે. ભવિષ્યમાં, કોઈપણ કુદરતી હોનારત થવા પહેલાંની માહિતી ઉપલબ્ધ થશે, અથવા તો તેની અસર ઘટાડવા માટે તુરંત ત્રાંસયોજી શકાય.