India

સુપ્રીમ કોર્ટ પાસેથી રામમંદિરના પુરાવા કેમ પાછા માગ્યા રામજન્મભૂમિ ટ્રસ્ટે, અચાનક કેમ નિર્ણય લીધો?

By GS TEAM
14 Dec 20252 mins read
TukuTouch Logo
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રામ મંદિર-બાબરી મસ્જિદ વિવાદમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ઉપયોગમાં લેવાયેલા ઐતિહાસિક પુરાવા પરત માંગવાનો નિર્ણય લીધો છે. આ પુરાવાઓને અયોધ્યામાં બંધાતા ભવ્ય રામ મંદિર સંકુલના સંગ્રહાલયમાં સાચવીને પ્રદર્શિત કરવામાં આવશે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા ખોદકામ દરમિયાન મળેલા અને રામ મંદિરના ઐતિહાસિક નિર્ણયનો આધાર બનેલા તમામ પુરાતત્વીય પુરાવા હાલમાં સુપ્રીમ કોર્ટના કબજામાં છે. ટ્રસ્ટ હવે કોર્ટને આ દસ્તાવેજો અને પુરાવા પરત કરવાની વિનંતી કરતો ઔપચારિક પત્ર લખશે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુપ્રીમ કોર્ટ પાસેથી રામમંદિરના પુરાવા કેમ પાછા માગ્યા રામજન્મભૂમિ ટ્રસ્ટે, અચાનક કેમ નિર્ણય લીધો?

Ram Temple Ayodhya: શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રામ મંદિર-બાબરી મસ્જિદ વિવાદમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ઉપયોગમાં લેવાયેલા ઐતિહાસિક પુરાવા પરત માંગવાનો નિર્ણય લીધો છે. આ પુરાવાઓને અયોધ્યામાં બંધાતા ભવ્ય રામ મંદિર સંકુલના સંગ્રહાલયમાં સાચવીને પ્રદર્શિત કરવામાં આવશે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા ખોદકામ દરમિયાન મળેલા અને રામ મંદિરના ઐતિહાસિક નિર્ણયનો આધાર બનેલા તમામ પુરાતત્વીય પુરાવા હાલમાં સુપ્રીમ કોર્ટના કબજામાં છે. ટ્રસ્ટ હવે કોર્ટને આ દસ્તાવેજો અને પુરાવા પરત કરવાની વિનંતી કરતો ઔપચારિક પત્ર લખશે.

રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે, 'હવે નિર્ણયને પડકારવા માટે કોઈ ન હોવાથી, કોર્ટને ઐતિહાસિક પુરાવા ટ્રસ્ટને સોંપવા વિનંતી કરવામાં આવશે. આ પુરાવાઓને મંદિર સંકુલમાં રામાયણ કાળ સાથે સંબંધિત ઘટનાઓની એક ખાસ ગેલેરીમાં ભક્તોના દર્શન માટે સાચવવામાં આવશે.'

આ પણ વાંચો: કેરળમાં ભાજપના મુસ્લિમ ઉમેદવારની કમાલ, હિન્દુ બહુમતી ધરાવતા વિસ્તારમાં અપાવી જીત

IIT ચેન્નાઈ સાથે સહયોગ અને બાંધકામ સમયરેખા

આ સંગ્રહાલય અને ખાસ ગેલેરીઓના વૈજ્ઞાનિક પ્રસ્તુતિ અને નિર્માણ માટે IIT ચેન્નાઈ સાથે એક સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ ગેલેરીઓ માર્ચ 2026 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. ખોદકામ દરમિયાન મળેલા પ્રાચીન અવશેષો તેમજ રામાયણ કાળની મહત્ત્વપૂર્ણ ઘટનાઓને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને પ્રદર્શિત કરશે.

ભારત અને વિદેશી રામાયણનો એક અનોખો સંગ્રહ બનાવાશે

રામ મંદિર સંકુલ ફક્ત ધાર્મિક સ્થળ તરીકે જ નહીં પરંતુ સંશોધન કેન્દ્ર તરીકે પણ સેવા આપશે. ટ્રસ્ટ ભારત અને વિદેશમાં લોકપ્રિય વિવિધ પ્રાચીન રામાયણની નકલો રાખવાની યોજના ધરાવે છે. વારાણસી સંસ્કૃત યુનિવર્સિટીમાંથી વાલ્મીકિ રામાયણની પ્રાચીન નકલ મેળવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જે મંદિરના ગર્ભગૃહમાં મૂકવામાં આવશે. આ સંગ્રહાલયની સ્થાપનાથી ભાવિ પેઢીઓને રામ જન્મભૂમિના લાંબા સંઘર્ષ અને પુરાતત્વીય ઇતિહાસને પ્રત્યક્ષ રીતે સમજવાની તક મળશે.