બ્રિક્સ દેશોના AI ગઠબંધનમાં પાકિસ્તાનને સામેલ કરવાની ચર્ચા, ભારતે કર્યો જોરદાર વિરોધ
DIF Flags Security Risk in Pakistans bid: ડિજિટલ ઈન્ડિયા ફાઉન્ડેશન (DIF) એ શુક્રવારે પાકિસ્તાનના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેકનોલોજી સેન્ટરને AI એલાયન્સ નેટવર્ક (AIAnet) ના સભ્ય બનાવવા સામે સખત વાંધો ઉઠાવ્યો હતો. ડિજિટલ ઈન્ડિયા ફાઉન્ડેશન એક અગ્રણી ભારતીય થિંક ટેન્ક છે અને AIAnetનું સ્થાપક સભ્ય પણ છે. આ નેટવર્ક 17 આંતરરાષ્ટ્રીય સંગઠનોનું જૂથ છે, જેમાં ચીનની ત્રણ સંસ્થાઓનો પણ સમાવેશ થાય છે. DIF એ AIAnet ને એક પત્ર દ્વારા જણાવ્યું હતું કે પાકિસ્તાનને સભ્ય બનાવવાથી ભારતની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ઉભો થઈ શકે છે.
પાકિસ્તાન સતત આતંકવાદને ટેકો આપી રહ્યું છે
AIAnet ને લખેલા પત્રમાં, DIF એ કહ્યું છે કે 'પાકિસ્તાન સતત આતંકવાદને ટેકો આપી રહ્યું છે, તેની સામે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) ની તપાસ ચાલી રહી છે અને AITEC ની ખાસ પ્રયોગશાળાઓ લશ્કરી હેતુઓ માટે AI નો ઉપયોગ કરવાની ક્ષમતા ધરાવે છે. ઉપરાંત, પાકિસ્તાનની AI સિસ્ટમમાં પારદર્શિતા, જવાબદારી અને નૈતિકતાનો અભાવ છે. આ ભારતની રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર ખતરો છે.'
થિંક ટેન્કે એમ પણ કહ્યું કે, 'પાકિસ્તાનની સ્વાયત્ત AI લેબ, કમ્પ્યુટર વિઝન લેબ અને એજ કમ્પ્યુટિંગ લેબમાં એવી ટેકનોલોજી છે જેનો ઉપયોગ સાયબર હુમલા, સરહદ પાર હુમલા અને સ્વચાલિત શસ્ત્ર પ્રણાલીઓ માટે સરળતાથી થઈ શકે છે.'
લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા જૂથો AI ટૂલ્સનો દુરુપયોગ કરી શકે છે
આતંકવાદ પરના 2025 ના યુએસ કન્ટ્રી રિપોર્ટ્સનો ઉલ્લેખ કરીને, DIF એ જણાવ્યું હતું કે, 'લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથો AI ટૂલ્સનો દુરુપયોગ કરી શકે છે.' આતંકવાદી ભંડોળ અને મની લોન્ડરિંગને અસરકારક રીતે નિયંત્રિત કરવામાં નિષ્ફળ રહેવા બદલ પાકિસ્તાન હજુ પણ FATF (ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ) ની ગ્રે લિસ્ટમાં છે.
DIF એ ચેતવણી પણ આપી હતી કે આ વાતાવરણમાં AI લેબ્સનો ઉપયોગ ગેરકાયદેસર નાણાકીય ચેનલોને સ્વચાલિત કરવા માટે થઈ શકે છે, જેમાં ક્રિપ્ટોકરન્સી દ્વારા આતંકવાદી નેટવર્ક માટે ભંડોળ એકત્ર કરવાનો સમાવેશ થઈ શકે છે.
આ પણ વાંચો: અમદાવાદમાં પ્લેન ક્રેશની હોનારત જ ના સર્જાઈ હોત, 6 વર્ષ અગાઉ સલાહ માની લીધી હોત તો...
DIF તમામ સભ્ય દેશોને કરી અપીલ
DIF એ AIANET ની તમામ સભ્ય સંસ્થાઓને પાકિસ્તાનની AITeC સભ્યપદ અરજીને સંપૂર્ણપણે નકારી કાઢવાની અપીલ કરી છે. ડિજિટલ ઇન્ડિયા ફાઉન્ડેશને અંતે ભાર મૂક્યો કે AIANET એ તેના લોકશાહી પાયા, વૈશ્વિક સહયોગની ભાવના અને AI વિકાસના લાંબા ગાળાના ધ્યેયનું નૈતિક અને કાનૂની રીતે રક્ષણ કરવું જોઈએ.