બંધારણીય સંસ્થાઓ પોત-પોતાના દાયરામાં સીમિત રહે, ત્યારે જ થાય છે પરસ્પર સન્માન: જગદીપ ધનખડ
Vice President Jagdeep Dhankhar : ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ એક દિવસ માટે લખનઉના પ્રવાસે ગયા છે. જાનકીપુરમ સ્થિત એકેટીયુમાં આયોજિત યુપીના રાજ્યપાલ આનંદીબહેન પટેલના જીવન પર આધારિત પુસ્તક 'ચુનોતિયા મુઝે પસંદ હેં'ના વિમોચનના કાર્યક્રમમાં જગદીપ ધનખડે જોડાયા હતા. આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠક અને કેશવ પ્રસાદ મૌર્ય, વિધાનસભા અધ્યક્ષ સતીશ મહાના અને ભૂતપૂર્વ રાજ્યપાલ કલરાજ મિશ્રા સહિત કેબિનેટ મંત્રીઓ હાજર રહ્યા હતા. તેમજ સ્વામી ચિદાનંદ સરસ્વતી પણ તેમની સાથે રહ્યા હતા.
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ગુરુવારે (1 મે, 2025) લખનઉના પ્રવાસે પહોંચ્યા છે, ત્યારે બક્શીના તળાવ સ્થિત એરફોર્સ સ્ટેશન પર યોગી આદિત્યનાથે ઉપરાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, 'આપણી બંધારણીય સંસ્થાઓ એકબીજાનો આદર કરે તે આપણી ફરજિયાત ફરજ છે અને આ આદર ત્યારે જ થાય છે જ્યારે બધી સંસ્થાઓ તેમના સંબંધિત ક્ષેત્રમાં મર્યાદિત રહે. જ્યારે સંસ્થાઓ વચ્ચે સંઘર્ષ થાય છે, ત્યારે આપણું લોકશાહી ફળતું નથી. બંધારણ એ વાતની માગ કરે છે કે, સંકલન, ભાગીદારી, ચર્ચા, સંવાદ અને ચર્ચા હોવી જોઈએ.'
'આપણે પડકારોથી મોઢું ફેરવી શકતા નથી...'
તેમણે કહ્યું કે, 'લોકશાહીમાં અભિવ્યક્તિ અને ચર્ચા જરૂરી છે. અભિવ્યક્તિનો કોઈ અર્થ નથી, જો તેમાં કોઈ ચર્ચા ન હોય. પરંતુ અહીં પણ એક ઇકો સિસ્ટમ હોવી જોઈએ. કારણ કે જો અભિવ્યક્તિ તેની ચરમસીમાએ પહોંચે છે , તો સત્તા એક અવ્યવસ્થા બની જાય છે. અહંકાર અને ઘમંડ વ્યક્તિ અને સંસ્થા બંને માટે હાનિકારક છે. આપણો સાંસ્કૃતિક વારસો અજોડ છે. કોઈપણ પડકાર આપે, તેને સ્વીકારવો જોઈએ. આપણે પડકારોથી મોઢું ફેરવી શકતા નથી.'
પહલગામ આતંકી હુમલાને પણ ઉપરાષ્ટ્રપતિએ પડકાર ગણાવ્યું હતો. તેમણે કહ્યું કે, 'વડાપ્રધાનના નેતૃત્ત્વમાં આપણે સુરક્ષિત છીએ. રાષ્ટ્રવાદ આપણો ધર્મ છે, જેનાથી દૂર ન રહી શકાય. એજ કારણ છે કે, દુનિયા આજે પણ આપણને જોઈ રહી છે. પડકારોને અવસરમાં બદલવાની આપણા પાસે ક્ષમતા છે. જેમાં સૌથી મોટો પડકાર એ છે, જે પોતાના તરફથી મળે છે. પરંતુ તેની ચર્ચા આપણે અત્યારે નહી કરી શકતા.'
ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, 'મુખ્યમંત્રી, સાંસદ હોય કે અન્ય જનપ્રતિનિધિ હોય, દરેકને બંધારણને આધીન શપથ લેવડાવામાં આવે છે. જ્યારે રાજ્યપાલ, રાષ્ટ્રપતિની શપથગ્રહણ તેનાથી અલગ હોય છે. આમ આ પ્રકારની પ્રતિષ્ઠિત પદ પર ટિપ્પણી કરવી ચિંતાજનક છે. બધી સંસ્થાઓ પોતાની ભૂમિકા નિભાવી રહી છે. ચૂંટણી દ્વારા, 140 કરોડ લોકો જનપ્રતિનિધિઓને ચૂંટીને પોતાની લાગણીઓ વ્યક્ત કરે છે. જે ગૃહમાં તેમનો અવાજ છે. વિધાનસભા નિર્ણય લખી શકતી નથી. હું ન્યાયતંત્રનો આદર કરું છું. અહીં ઘણા પ્રતિભાશાળી લોકો છે. લોકશાહીમાં તેમનું મહત્ત્વનું સ્થાન છે. તેમ છતાં હું અપીલ કરું છું કે, બધી સંસ્થાઓએ એકબીજા પ્રત્યે સંકલન, સહયોગ અને આદર સાથે કામ કરવું જોઈએ.'