Get The App

NEET બાદ હવે UPSC પેપર લીકની આશંકા, કોચિંગ ક્લાસના મટીરિયલમાંથી સવાલો પૂછાયા હોવાનો આરોપ

Updated: Jun 16th, 2026

GS TEAM

Google News
Google News
NEET બાદ હવે UPSC પેપર લીકની આશંકા, કોચિંગ ક્લાસના મટીરિયલમાંથી સવાલો પૂછાયા હોવાનો આરોપ 1 - image

UPSC Prelims 2026 Paper Leak Alleged By NSUI : સંઘ લોક સેવા આયોગ (UPSC) પ્રિલિમ્સ 2026નું પરિણામ સોમવારે રાત્રે જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામની સાથે જ યુપીએસસી પ્રિલિમ્સ 2026ને લઈને નવો વિવાદ શરૂ થઈ ગયો છે. કોંગ્રેસના વિદ્યાર્થી સંગઠન નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI) દ્વારા યુપીએસસી પ્રિલિમ્સ 2026માં કથિત ગેરરીતિ અને પેપર લીક થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. દેશમાં ચાલી રહેલા NEET પેપર લીક વિવાદની વચ્ચે હવે યુપીએસસી પ્રિલિમ્સને લઈને નવો હોબાળો મચી ગયો છે.

ખાનગી કોચિંગના મટીરિયલમાંથી સવાલો પૂછાયાનો દાવો

એનએસયુઆઈના રાષ્ટ્રીય અધ્યક્ષ વિનોદ જાખડે યુપીએસસી પ્રિલિમ્સ 2026માં ગેરરીતિ અને પેપર લીકની આશંકા વ્યક્ત કરી છે. જાખડે આ અંગે એનએસયુઆઈના સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પરથી એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં તેમણે આરોપ લગાવતા કહ્યું કે, ‘24 મેના રોજ યોજાયેલી પ્રિલિમ્સ પરીક્ષા આપનારા કેટલાક ઉમેદવારો એનએસયુઆઈ ઓફિસે આવ્યા હતા, જેમણે પ્રિલિમ્સનું પેપર લીક થયું હોવાની શંકા વ્યક્ત કરી છે.’ તેઓએ દાવો કર્યો છે કે, યુપીએસસી પ્રિલિમ્સ 2026ની પરીક્ષામાં પૂછાયેલા 100 માંથી 82 સવાલો એક ખાનગી કોચિંગ સંસ્થા 'અનંતમ IAS' દ્વારા તૈયાર કરવામાં આવેલા સ્ટડી મટીરિયલ સાથે મેળ ખાય છે.

સવાલોની ભાષા અને રજૂઆત સરખી હોવાનો આરોપ

એનએસયુઆઈ ના રાષ્ટ્રીય અધ્યક્ષ જાખડે એવો પણ આક્ષેપ કર્યો છે કે, યુપીએસસી પ્રિલિમ્સ 2026માં પૂછાયેલા ઘણા સવાલો માત્ર ખાનગી કોચિંગ સંસ્થાના સ્ટડી મટીરિયલને મળતા આવતા હતા એટલું જ નહીં, પરંતુ તે સવાલોની ભાષા અને તેની રજૂઆત પણ બિલકુલ તેના જેવી જ હતી.

આ પણ વાંચો : ઈરાન-અમેરિકા શાંતિ કરારમાં ફરી પેચ ફસાયો? ઈરાને કહ્યું- ઈઝરાયલે લેબેનૉન છોડવું પડશે

પરીક્ષા બાદ સ્ટડી મટીરિયલમાં ફેરફાર કરાયો

જાખડે આ ખાનગી કોચિંગ સંસ્થા પર મિલીભગતનો આરોપ લગાવ્યો છે. જાખડે આક્ષેપ કર્યો કે, યુપીએસસી પ્રિલિમ્સની પરીક્ષા પૂરી થયા પછી આ ખાનગી કોચિંગ સંસ્થા દ્વારા સંબંધિત સ્ટડી મટીરિયલમાં ફેરફાર કરવામાં આવ્યા હતા અને મટીરિયલ સાથે જોડાયેલી તારીખોમાં પણ કથિત રીતે હેરફેર કરવામાં આવી હતી.

NSUIએ UPSCને પત્ર લખ્યું, પારદર્શક તપાસની માંગ

એનએસયુઆઈ દ્વારા આ સમગ્ર મામલે યુપીએસસીને એક પત્ર પણ લખવામાં આવ્યો છે, જેમાં આ બાબતની પારદર્શક તપાસ કરાવવાની માંગ કરવામાં આવી છે. એનએસયુઆઈ એ આ મુદ્દે યુપીએસસી પાસે સ્પષ્ટતા અને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. બીજી તરફ, આ સમગ્ર વિવાદ અને પેપર લીકની આશંકાઓ અંગે યુપીએસસી તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.

આ પણ વાંચો : ‘ક્લાઈમેટ ચેન્જ માટે પુરુષો જવાબદાર છે...’ દિયા મિર્ઝાના નિવેદનથી સોશિયલ મીડિયા પર ભારે હોબાળો!