Get The App

મરાઠા સામ્રાજ્યના સંસ્થાપક છત્રપતિ શિવાજીના વંશજ ક્યાં રહે છે? જેમાં એક તો સાંસદ છે

Updated: Mar 27th, 2025

GS TEAM


Google News
Google News
મરાઠા સામ્રાજ્યના સંસ્થાપક છત્રપતિ શિવાજીના વંશજ ક્યાં રહે છે? જેમાં એક તો સાંસદ છે 1 - image


Shivaji's descendant Udayan Raje Bhosale: મરાઠા સામ્રાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજે નાની ઉંમરે અનેક પડકારોનો સામનો કરી ઘણા યુદ્ધો લડ્યા હતા અને પોતાનું આખું જીવન ધર્મના રક્ષણ માટે સમર્પિત કરી દીધું હતું. શિવાજી મહારાજનું મૃત્યુ 3 એપ્રિલ 1680ના રોજ રાયગઢ કિલ્લામાં થયું હતું, પરંતુ તેમના વંશજો આજે પણ હયાત છે.

આ પણ વાંચો: 'બટેંગે તો કટેંગે'ની વાતો કરનારા 'સૌગાત એ મોદી' વહેંચી રહ્યા છે, ઉદ્ધવના ભાજપ પર તીખા પ્રહાર

ઉદયન રાજે ભોંસલે શિવાજી મહારાજના વંશજ 

મહારાષ્ટ્રમાં રહેતા ઉદયન રાજે ભોંસલે શિવાજી મહારાજના વંશજ છે. તેમના પિતાનું નામ શ્રી પ્રતાપસિંહ મહારાજ ભોંસલે છે. ઉદયન રાજે ભોંસલે એક ભારતીય રાજકારણી છે જે મહારાષ્ટ્રની સતારા બેઠક પરથી સંસદ સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે.

ઔરંગઝેબ લૂંટારો અને ચોર હતો, તેનો મહિમા ન ગાવો જોઈએ

ઉદયન રાજે ભોંસલે મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં રહે છે. તેમણે 20 નવેમ્બર 2003ના રોજ દમયંતિરાજે સાથે લગ્ન કર્યા હતા અને તેમને એક પુત્ર અને એક પુત્રી છે. હાલમાં મુઘલ બાદશાહની મહિમાને લઈને ભાજપના સાંસદ ઉદયન રાજે ભોંસલે ભડક્યા હતા. તેમણે ઔરંગઝેબને લૂંટારો અને ચોર પણ કહ્યો. આ સાથે સરકારને મહાપુરુષો વિશે અયોગ્ય નિવેદનો આપનારાઓ સામે ખાસ કાયદો પસાર કરવા પણ વિનંતી કરી.

તે એક ચોર હતો, અને આ દેશને લૂંટવા આવ્યો હતો

મીડિયા સાથે વાત કરતાં ઉદયન રાજે ભોંસલેએ કહ્યું કે, 'ઔરંગઝેબનો મહિમા ન કરવો જોઈએ. કારણ કે તે એક ચોર હતો જે આ દેશને લૂંટવા આવ્યો હતો. તો આવી સ્થિતિમાં તેમનો મહિમા શા માટે કરવામાં આવી રહ્યું છે?

આ પણ વાંચો: આદિ કૈલાશ અને ઓમ પર્વત યાત્રાનું શેડ્યુલ જાહેર, જાગેશ્વર સાથે પાતાલ ભુવનેશ્વરના પણ થશે દર્શન

અયોગ્ય નિવેદનો આપનારાઓ સામે ખાસ કાયદો પસાર લાવવા વિનંતી

ઉદયન રાજે ભોંસલેએ સરકારને મહાપુરુષો વિશે અયોગ્ય નિવેદનો આપનારાઓ સામે ખાસ કાયદો પસાર કરવા પણ વિનંતી કરી. જેથી ફરી કોઈ છત્રપતિ શિવાજી મહારાજ વિરુદ્ધ કોઈ ખોટું નિવેદન આપવાની હિંમત ન કરે.


Tags :