વિજય ફરી રાજભવનમાંથી ખાલી હાથે પાછા ફર્યા, સમર્થકોનો હોબાળો, રાજ્યપાલ-BJP પર કર્યો આક્ષેપ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Tamil Nadu Political Crisis : તમિલનાડુના રાજકારણમાં હાલમાં જબરદસ્ત વિવાદ ચાલી રહ્યો છે. TVKના પ્રમુખ થલાપતિ વિજય આજે બીજી વખત રાજભવન પહોંચ્યા હતા પરંતુ આ વખતે પણ તેમને સરકાર બનાવવાનું આમંત્રણ મળ્યું નથી અને ખાલી હાથે પરત ફરવું પડ્યું છે. આ જ કારણે રાજભવનની બહાર ઉભેલા તેમના સમર્થકો રોષે ભરાયા છે. સમર્થકોને આક્ષેપ કર્યો કે, રાજ્યપાલ જાણીજોઈને વિલંબ કરી રહ્યા છે અને ભાજપની તરફેણ કરી રહ્યા છે.
રાજભવનની બહાર હોબાળો
વિજય તરફથી દાવો કરવામાં આવ્યો છે કે, તેમની પાસે કોંગ્રેસના ધારાસભ્યો સહિત 112 ધારાસભ્યોનું સમર્થન છે. આમ છતાં તેમને સરકાર બનાવવા માટે બોલાવવામાં આવ્યા નથી. આ વાતથી નારાજ કાર્યકર્તાઓએ ચેન્નાઈમાં રાજભવનની બહાર જબરદસ્ત પ્રદર્શન શરૂ કરી દીધું છે. ઉગ્ર દેખાવોના કારણે પોલીસને પરિસ્થિતિ સંભાળવામાં ઘણી મુશ્કેલી પડી રહી છે.
#WATCH | Tamil Nadu: TVK President Vijay leaves from his Pattinambakkam residence in Chennai pic.twitter.com/hwm3vxZb3F
— ANI (@ANI) May 7, 2026
આ પણ વાંચો : બંગાળમાં મમતા બેનર્જીના 15 વર્ષના શાસન પર પૂર્ણવિરામ, રાજ્યપાલે TMC કેબિનેટ બરખાસ્ત કરી
રાજ્યપાલનું વિજયને આશ્વાસન
પીટીઆઈ અનુસાર રાજ્યપાલે વિજયને આશ્વાસન આપ્યું છે કે, તેઓ સરકાર બનાવવા માટે અન્ય કોઈ પક્ષને આમંત્રણ આપશે નહીં. જોકે આ માટે એક પ્રક્રિયા પૂર્ણ કરવાનું કહેવામાં આવ્યું છે. રાજ્યપાલનું કહેવું છે કે, વિજયે તેમના સમર્થક ધારાસભ્યોની સહી વાળી યાદી લઈને ફરી આવવું પડશે. જ્યાં સુધી દરેક ધારાસભ્યની સહી વાળી યાદી સબમિટ કરવામાં નહીં આવે ત્યાં સુધી શપથ ગ્રહણની પ્રક્રિયા આગળ વધશે નહીં. રાજ્યપાલે સ્પષ્ટ કહ્યું છે કે, સમર્થનનો દાવો કાગળ પર સંપૂર્ણ રીતે પાક્કો હોવો જોઈએ.
આ પણ વાંચો : બંગાળ બે દિવસ કોણ સંભાળશે? મમતા આજે રાજીનામું નહીં ધરે તો સર્જાશે અભૂતપૂર્વ સ્થિતિ








