Get The App

KCRએ પોતાની જ દીકરીને પક્ષમાંથી સસ્પેન્ડ કરતાં તેલંગાણામાં રાજકારણ ગરમાયું, જાણો કારણ

Updated: Sep 2nd, 2025

GS TEAM

Google News
Google News
Telangana KCR Expelled his own Daughter

Telangana KCR Expelled his own Daughter: તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે પોતાની દીકરી કે. કવિતા વિરુદ્ધ મોટું પગલું ભર્યું છે. મંગળવારે કે. કવિતાને BRS એટલે કે ભારત રાષ્ટ્ર સમિતિમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. એવા સમાચાર છે કે, પાર્ટી વિરુદ્ધ નિવેદનબાજી કરવા બદલ તેમની સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. થોડા દિવસો પહેલા જ કવિતાએ BRSના નેતાઓ પર જ KCRની છબી ખરાબ કરવાનો આરોપ લગાવ્યો હતો.

પાર્ટીની છબી બચાવવા KCRનું પગલું

BRSનું કહેવું છે કે, કવિતાનું વર્તમાન વર્તન અને તેમની પ્રવૃત્તિઓ પાર્ટીની છબીને ખરાબ કરી રહી હતી, જેના કારણે પાર્ટી અધ્યક્ષ KCRએ તાત્કાલિક અસરથી કે. કવિતાને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો.

પહેલાં પણ થઈ હતી કાર્યવાહી

ખાસ વાત એ છે કે, 22 ઓગસ્ટે વિદેશ યાત્રા દરમિયાન પણ BRSએ કવિતા વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. તે સમયે તેમને TBGKS એટલે કે તેલંગાણા બોગ્ગુ ગની કર્મિકા સંગમના અધ્યક્ષ પદ પરથી અચાનક હટાવી દેવામાં આવ્યા હતા. તેમણે પાર્ટીના નેતાઓ પર તેમની વિરુદ્ધ ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ તેમણે કહ્યું હતું કે, પદ પરથી હટાવવું એ રાજનીતિથી પ્રેરિત પગલું હતું.

આ પણ વાંચો: VIDEO: આઝાદ મેદાનમાં 5000 લોકો જ રહેશે, બાકીના વાહનો મુંબઈની બહાર જશે; જરાંગેની જાહેરાત

કવિતાએ લગાવ્યો આંતરિક રાજનીતિ અને ષડયંત્રનો આરોપ

કે. કવિતાએ આરોપ લગાવ્યો હતો કે, તેમની જાણકારી વગર પાર્ટી ઓફિસમાં ચૂંટણી થઈ, જે સંભવિત રીતે શ્રમ કાનૂનનું ઉલ્લંઘન છે. તેમણે કહ્યું હતું કે, 'પાર્ટીની અંદર જે રીતે કામ થઈ રહ્યું હતું, તેના પર સવાલ ઉઠાવવાને કારણે મારી વિરુદ્ધ દુર્ભાવના રાખવામાં આવી.' જોકે, તેમણે ત્યારે કોઈ પણ નેતાનું નામ ખુલ્લીને લીધું ન હતું.

KCRએ પોતાની જ દીકરીને પક્ષમાંથી સસ્પેન્ડ કરતાં તેલંગાણામાં રાજકારણ ગરમાયું, જાણો કારણ 2 - image