India

બસ્તરમાં આતંક ફેલાવનાર નક્સલીઓની મહિલા કમાન્ડર સરન્ડર, તેના પર 1 કરોડનું ઈનામ હતું

By GS TEAM
13 Sep 20252 mins read
TukuTouch Logo
છત્તીસગઢમાં સુરક્ષા દળોના વધતા દબાણ અને સતત એન્ટી નક્સલ ઓપરેશનને ધ્યાનમાં રાખીને બસ્તરમાં આતંક ફેલાવનાર 1 કરોડની ઈનામી કુખ્યાત મહિલા નક્સલવાદી સુજાતાએ આખરે સરેન્ડર કરી દીધુ છે. હાલમાં છત્તીસગઢના નક્સલવાદી મોરચામાં સુરક્ષા દળોનો ખૂબ ડર છે. આવી સ્થિતિમાં સુજાતાના સરેન્ડરથી બસ્તર ડિવિઝનમાં નક્સલવાદીઓ વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા અભિયાન વચ્ચે માઓવાદી સંગઠનને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બસ્તરમાં આતંક ફેલાવનાર નક્સલીઓની મહિલા કમાન્ડર સરન્ડર, તેના પર 1 કરોડનું ઈનામ હતું

Naxal Commander Sujata Surrendered In Telangana: છત્તીસગઢમાં સુરક્ષા દળોના વધતા દબાણ અને સતત એન્ટી નક્સલ ઓપરેશનને ધ્યાનમાં રાખીને બસ્તરમાં આતંક ફેલાવનાર 1 કરોડની ઈનામી કુખ્યાત મહિલા નક્સલવાદી સુજાતાએ આખરે સરેન્ડર કરી દીધુ છે. હાલમાં છત્તીસગઢના નક્સલવાદી મોરચામાં સુરક્ષા દળોનો ખૂબ ડર છે. આવી સ્થિતિમાં સુજાતાના સરેન્ડરથી બસ્તર ડિવિઝનમાં નક્સલવાદીઓ વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા અભિયાન વચ્ચે માઓવાદી સંગઠનને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. સુજાતા ઘણા વર્ષોથી દક્ષિણ બસ્તરમાં એક્ટિવ હતી અને નક્સલવાદીઓના દક્ષિણ સબ ઝોન બ્યુરો ઈન્ચાર્જ રહી ચૂકી છે. સુજાતા પર એક કરોડ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.

સુજાતાએ તેલંગાણામાં સરેન્ડર કર્યું

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે સુજાતાએ તેલંગાણામાં સરેન્ડર કર્યું છે. તેના સરેન્ડરથી માઓવાદી સંગઠનને મોટો ઝટકો લાગ્યો છે. આ સરેન્ડર નક્સલી સંગઠનનું મનોબળ તોડી નાખનારું સાબિત થશે. ખાસ વાત એ છે કે, સુજાતા કુખ્યાત નક્સલી કમાન્ડર કિશનજીની પત્ની છે, જે થોડા વર્ષો પહેલા પશ્ચિમ બંગાળમાં એક એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. સરેન્ડર કરનાર સુજાતા પોતે સીસી મેમ્બર છે અને ઘણા રાજ્યોમાં તેના પર લાખોનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે.

છત્તીસગઢમાં સુરક્ષા દળો દ્વારા સતત એન્ટી નક્સલ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે સુજાતા લાંબા સમયથી છત્તીસગઢના બસ્તર ડિવિઝનમાં એક્ટિવ રહીને મોટા હુમલાઓનું કાવતરું ઘડવામાં સામેલ રહી છે. સુજાતાના સરેન્ડરને છત્તીસગઢમાંથી નક્સલવાદને દૂર કરવાના અભિયાનમાં મોટી સફળતા તરીકે જોવામાં આવી રહ્યું છે. છત્તીસગઢમાં સુરક્ષા દળો દ્વારા સતત એન્ટી નક્સલ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ વખતે ચોમાસામાં પણ આ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે અને ટોચના માઓવાદીઓ સતત એન્કાઉન્ટરમાં ઠાર થઈ રહ્યા છે. 

આ પણ વાંચો: 'તમારા દેશ પાછા જાઓ...' બ્રિટનમાં શીખ મહિલા સાથે બે હેવાનોએ આચર્યું દુષ્કર્મ, સાંસદ ભડક્યા

ગરિયાબંદ જિલ્લામાં પોલીસ એન્કાઉન્ટરમાં 10 નક્સલીઓ ઠાર

છત્તીસગઢમાં માઓવાદી સંગઠનોને એક પછી એક સતત ઝટકા મળી રહ્યા છે. બે દિવસ પહેલા છત્તીસગઢના ગરિયાબંદ જિલ્લામાં પોલીસ એન્કાઉન્ટરમાં 10 નક્સલીઓ માર્યા ગયા હતા, જેમાં 1 કરોડનો ઈનામી નક્સલી સીસી મેમ્બર મનોજ ઉર્ફે બાલકૃષ્ણ પણ સામેલ હતો. ગરિયાબંદમાં માર્યા ગયેલા તમામ 10 નક્સલીઓ પર 2.40 કરોડ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. બીજી તરફ એક દિવસ પહેલા સુરક્ષા દળોએ બીજાપુર જિલ્લામાં બે નક્સલીઓને ઠાર માર્યા હતા. નક્સલીઓની ઓળખ હિદમા પોડિયામ અને મુન્ના મડકમના રૂપમાં થઈ હતી. બંને પર 8 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. એન્કાઉન્ટર સ્થળ પરથી એક 303 રાઈફલ, 12 બોર બંદૂક, વિસ્ફોટકો અને પ્રતિબંધિત નક્સલી સંગઠનની અન્ય વસ્તુઓ મળી આવી છે.