India

શિવસેના નેતા સુધાકર બડગુજરના કેસરિયા, એક સમયે ભાજપે લગાવ્યો હતો દાઉદ સાથે સંબંધનો આરોપ

By GS TEAM
18 Jun 20252 mins read
TukuTouch Logo
ભાજપે મંગળવારે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) ના નાસિક એકમના ભૂતપૂર્વ વડા સુધાકર બડગુજરને પાર્ટીમાં સામેલ કર્યા. નવાઈની વાત એ છે કે ગયા વર્ષે ભાજપે જ બડગુજર પર 1993ના બોમ્બ બ્લાસ્ટના દોષિત અને દાઉદ ગેંગના સભ્ય સલીમ કુટ્ટા સાથે પાર્ટી કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમજ મહારાષ્ટ્રના તત્કાલીન નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ કથિત ગેંગસ્ટર લિંકની તપાસ માટે SIT ની રચનાની જાહેરાત કરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

શિવસેના નેતા સુધાકર બડગુજરના કેસરિયા, એક સમયે ભાજપે લગાવ્યો હતો દાઉદ સાથે સંબંધનો આરોપ

Sudhakar Badgujar Join BJP: ભાજપે મંગળવારે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) ના નાસિક એકમના પૂર્વ વડા સુધાકર બડગુજરને પાર્ટીમાં સામેલ કર્યા. નવાઈની વાત એ છે કે ગયા વર્ષે ભાજપે જ બડગુજર પર 1993ના બોમ્બ બ્લાસ્ટના દોષિત અને દાઉદ ગેંગના સભ્ય સલીમ કુટ્ટા સાથે પાર્ટી કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમજ મહારાષ્ટ્રના તત્કાલીન નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ કથિત ગેંગસ્ટર લિંકની તપાસ માટે SIT ની રચનાની જાહેરાત કરી હતી.

થોડા સમય પહેલા જ બડગુજરની ભાજપમાં જોડવાની અટકળો શરુ થઇ ગઈ હતી 

મીડિયા અહેવાલ મુજબ, ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેએ વિધાનસભામાં બડગુજર સામે આ મુદ્દો ઉઠાવ્યો હતો અને સલીમ કુટ્ટા સાથે પાર્ટી કરતા તેમના કથિત ફોટો રજૂ કર્યા હતા. શિવસેનાના નેતા દાદા ભૂસેએ પણ આ બાબતે પ્રશ્નો ઉઠાવ્યા હતા. થોડા અઠવાડિયા પહેલા, શિવસેના (UBT) એ સુધાકર બડગુજરને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા કારણ કે એવી અટકળો ચાલી રહી હતી કે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે. બે અઠવાડિયા પહેલા, બડગુજર દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા.


બાબનરાવ ઘોલપ પણ બડગુજર સાથે ભાજપમાં જોડાયા

જોકે, ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રશેખર બાવનકુલેએ અગાઉ દાવો કર્યો હતો કે તેમને બડગુજરના પાર્ટીમાં પ્રવેશ અંગે કોઈ માહિતી નથી. પરંતુ જ્યારે બડગુજર મંગળવારે બપોરે 3.30 વાગ્યે તેમના સમર્થકો સાથે મુંબઈ સ્થિત ભાજપ કાર્યાલય પહોંચ્યા ત્યારે બાવનકુલે, પ્રદેશ કાર્યકારી પ્રમુખ રવિન્દ્ર ચવ્હાણ અને કેબિનેટ મંત્રી ગિરીશ મહાજન દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું. આ સમયે દરમિયાન, શિવસેના-ભાજપ સરકારમાં મંત્રી રહેલા બાબનરાવ ઘોલપ પણ બડગુજર સાથે ભાજપમાં જોડાયા.

આ પણ વાંચો: ટ્રમ્પ અને PM મોદી વચ્ચે અડધો કલાક ટેલિફોનિક વાતચીત થઇ, જાણો કયા-કયા મુદ્દા ચર્ચાયા

ભાજપના નાસિક એકમના અસંતોષ 

આ નિર્ણયને લઈને ભાજપના નાસિક એકમમાં નારાજગી ફેલાઈ હતી. નાસિક ભાજપના જિલ્લા પ્રમુખ સુનીલ કેદાર પોતે બડગુજરના પ્રવેશના વિરોધમાં હતા. જોકે તેઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા, પરંતુ નાસિક પશ્ચિમના ભાજપ ધારાસભ્ય સીમા હિરે, જેમની સામે બડગુજર ચૂંટણી લડ્યા હતા, તેઓ આ કાર્યક્રમથી દૂર રહ્યા.

1993ના મુંબઈ બોમ્બ વિસ્ફોટોમાં 257 લોકો માર્યા ગયા હતા અને લગભગ 1400 ઘાયલ થયા હતા. આ હુમલાનું કાવતરું દાઉદ ઇબ્રાહિમની ડી-કંપની દ્વારા રચવામાં આવ્યું હતું, જેમાં સલીમ કુટ્ટા જેવા સહયોગીઓએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.