'ઉપરવાળાએ ન્યાય કર્યો', ઉત્તરકાશી આફત અંગે સમાજવાદી પાર્ટીના નેતાનું વિવાદિત નિવેદન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

TS Hasan Controversial Statement: ઉત્તરાખંડમાં ઉત્તરકાશીના ધરાલીમાં આવેલી કુદરતી આફત પર રાજકારણ શરૂ થયું છે. એક તરફ સેના હાલમાં ધરાલીમાં જીવ બચાવવા માટે યુદ્ધના ધોરણે કામ કરી રહી છે. બીજી તરફ સમાજવાદી પાર્ટીના પૂર્વ સાંસદ એસ.ટી. હસને ઉત્તરાખંડના ધરાલીમાં આવેલી કુદરતી આફત પર વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે ઉત્તરાખંડ અને હિમાચલમાં મસ્જિદો અને કબરોના ધ્વંસને ભગવાનનો ન્યાય ગણાવ્યો છે. નોંધનીય છે કે આગાઉ પણ તેણે કાવડ યાત્રા સહિત અનેક મુદ્દાઓ પર વાંધાજનક નિવેદનો આપ્યા હતાં.
ત્યાં આ આફતો કેમ આવી રહી છે...?
સમાજવાદી પાર્ટીના નેતા એસ.ટી. હસનને અખિલેશ યાદવના નજીકના માનવામાં આવે છે. પરંતુ આ વખતે એસ.ટી. હસનનું વાહિયાત નિવેદન અખિલેશ યાદવ માટે પણ મુશ્કેલીનું કારણ બની શકે છે. જ્યારે તેને ઉત્તરાખંડના ધરાલીમાં થયેલી આફત વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, 'કાટમાળ નીચે મોટી સંખ્યામાં લોકો દટાયેલા છે. આ ખૂબ જ દુઃખદ ઘટના છે કારણ કે ત્યાં આખા ગામડાં નાશ પામ્યા છે. ત્યાં વધારે વરસાદ પડ્યો ન હતો, તો પછી આવી આફત આવી છે. ત્યાં આ આફતો કેમ થઈ રહી છે? આપણે આ વિશે વિચારવું જોઈએ.'
આ પણ વાંચો: શું પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સુરક્ષિત છે? કપિલ સિબ્બલે સીધા ગૃહમંત્રીને કર્યા સવાલ
ઉત્તરકાશી આફત અંગે એસ.ટી. હસને કહ્યું કે, 'ધારાલીમાં થયેલી દુર્ઘટનાનું એક મોટું કારણ જંગલોમાંથી વૃક્ષો કાપવાનું છે. આપણે જંગલો સાથે મોટો અન્યાય કર્યો છે. વૃક્ષો સતત કાપવામાં આવી રહ્યા છે, જેના કારણે કાપણી વધી રહી છે. બીજી વાત એ છે કે ઉત્તરાખંડ અને હિમાચલમાં અન્ય ધર્મનું કોઈ સન્માન નથી. હું કહું છું કે કોઈપણ ધાર્મિક સ્થળ પર બુલડોઝરનો ઉપયોગ ન કરવો જોઈએ, પછી ભલે તે દરગાહ હોય, મસ્જિદ હોય કે મંદિર હોય. આ દુનિયા ચલાવનાર કોઈ બીજું છે. જ્યારે તેનો ન્યાય થાય છે, ત્યારે વ્યક્તિ કોઈ પણ રીતે પોતાને બચાવી શકતો નથી.'
ભાજપ નેતાએ આપ્યો જવાબ
ઉત્તર પ્રદેશના ભાજપ પ્રવક્તા રાકેશ ત્રિપાઠીએ એસ.ટી. હસનના નિવેદનની ટીકા કરી છે. તેમણે કહ્યું કે, 'કુદરતી આફતો સમગ્ર માનવતા માટે પીડાદાયક છે. સપા સાંસદનું નિવેદન ઘા પર મીઠું છાટ્યા જેવું છે. કુદરતી આફતને ધાર્મિક આધાર પર વહેંચવી શરમજનક છે. કોઈએ આવું ન કરવું જોઈએ. આવા સાંસદને સજા કરવાને બદલે, સપા તેને પ્રોત્સાહન આપે છે.'
ઉલ્લેખનીય છે કે, છઠ્ઠી ઓગસ્ટે વાદળ ફાટવાના કારણે આવેલા પૂરથી ધારાલી ગામનો અડધો ભાગ નાશ પામ્યો હતો અને ઘણાં લોકો ગુમ થયા છે. સેનાના જવાનોની સાથે, ધારાલીમાં ઘણી એજન્સીઓ બચાવ કામગીરી કરી રહી છે. અત્યાર સુધીમાં 1300થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. પરંતુ ઘણાં લોકો હજુ પણ ફસાયેલા છે.









