Get The App

VIDEO : ‘તસવીર પગ પાસે રાખી બાબા સાહેબનું અપમાન કર્યું’ PM મોદીનો લાલુ યાદવ પર પ્રહાર

Updated: Jun 20th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO : ‘તસવીર પગ પાસે રાખી બાબા સાહેબનું અપમાન કર્યું’ PM મોદીનો લાલુ યાદવ પર પ્રહાર 1 - image


PM Narendra Modi in Siwan : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બિહારના સિવાન શહેરની મુલાકાતે પહોંચ્યા છે. અહીં તેમણે પ્રજાને સંબોધન કરી રાષ્ટ્રીય જનતા દળ (RJD) પર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરવાનો આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે, આરજેડીએ બાબા સાહેબ સાથે કેવો વ્યવહાર કર્યો, તે તમામે જોયો છે. આરજેડીના લોકો બાબા સાહેબની તસવીર પગમાં રાખે છે. બિહારના લોકો આ અપમાનને ક્યારેય ભૂલી નહીં શકે.

RJDએ બાબા સાહેબનું અપમાન કર્યું

વડાપ્રધાન મોદીએ આંબેડકરનું અપમાન કરવાના વિવાદ મુદ્દે લાલુ યાદવ (Lalu Prasad Yadav) પર આકરા પ્રહારો કરી કહ્યું કે, ‘તમામ લોકોએ જોયું કે, આરજેડીએ બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકર (Babasaheb Dr. Bhimrao Ambedkar) સાથે કેવો વ્યવહાર કર્યો. તેમની તસવીરોને પગમાં રાખવામાં આવી, જે હડહડતું અપમાન છે. આરજેડી દલિતો અને પછાત વર્ગના નામે રાજકારણ રમે છે, જ્યારે સન્માનની વાત આવે છે, ત્યારે બાબાસાહેબને પણ છોડતાં નથી. આરજેડીના લોકો બાબા સાહેબની તસવીર પગમાં રાખે છે, તો મોદી તેમની તસવીરને દિલમાં રાખે છે.’

આ પણ વાંચો : 'પક્ષના મોટા નેતાઓ સાથે સંબંધ બગડ્યા, ચૂંટણી પ્રચાર માટે કોલ પણ ન આવ્યો...': શશી થરુર

બાબા સાહેબના અપમાનનો વિવાદ શું હતો?

વાસ્તવમાં 11 જૂન-2025ના રોજ લાલુ પ્રસાદ યાદવના જન્મ દિવસે કાર્યક્રમ રખાયો હતો, જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વીડિયોમાં આરજેડી પાર્ટીનો એક કાર્યકર્તા ડૉ. ભીમરાવ આંબેડકરની તસવીર લાલુ યાદવના પગ પાસે રાખતાં જોવા મળી રહ્યો હતો. ત્યારબાદ રાજકીય વિવાદ ઊભો થયો હતો અને ભાજપ સહિત પક્ષોએ આરજેડી પર આંબેડકરનું અપમાન કરવાનો આક્ષેપ કર્યો હતો. એટલું જ નહીં અનુસૂચિત જાતિ આયોગે લાલુ યાદવને નોટિસ પણ મોકલી હતી, જેમાં 15 દિવસની અંદર સ્પષ્ટ જવાબ મંગાયો હતો. જો જવાબ ન આપે તો ફરિયાદ નોંધાવવાની ચેતવણી અપાઈ હતી.

આ પણ વાંચો : ભાજપ ધારાસભ્યની ટ્રેનમાં બારી પાસે બેસવાની જીદ, સમર્થકોએ મુસાફરને ઢોર માર મારતા ફરિયાદ દાખલ

Tags :