Get The App

ભાજપ ધારાસભ્યની ટ્રેનમાં બારી પાસે બેસવાની જીદ, સમર્થકોએ મુસાફરને ઢોર માર મારતાં ફરિયાદ દાખલ

Updated: Jun 20th, 2025

GS TEAM

Google News
Google News
ભાજપ ધારાસભ્યની ટ્રેનમાં બારી પાસે બેસવાની જીદ, સમર્થકોએ મુસાફરને ઢોર માર મારતાં ફરિયાદ દાખલ 1 - image


Vande Bharat Express: દિલ્હીથી ભોપાલ જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસના એક્ઝિક્યુટિવ કોચમાં સવાર એક મુસાફર સાથે ઝાંસી રેલવે સ્ટેશન પર 6થી 7 લોકો દ્વારા મારપીટ કરવામાં આવી હતી. આ મારપીટમાં મુસાફર લોહીલુહાણ થઈ ગયો હતો. તેણે આરોપ લગાવ્યો કે, આ મારપીટ ભાજપ ધારાસભ્ય રાજીવ સિંહ પારીછાના ઇશારા પર કરાવવામાં આવી છે. કારણ કે, પીડિતે ધારાસભ્યના કહેવા પર સીટની અદલા-બદલી ન કરી. જેના કારણે ગુસ્સામાં આવેલા ધારાસભ્યએ પોતાના ગુંડાઓ બોલાવીને માર ખવડાવ્યો હતો.


પત્ની અને દીકરા સાથે કરી રહ્યા હતા મુસાફરી

જણાવી દઈએ કે, રાજીવ સિંહ પારીછા ઝાંસીના બબીના બેઠક પરથી ધારાસભ્ય છે. ઘટનાના દિવસે તે પણ વંદે ભારત એક્સપ્રેસમાં સવાર હતા. તેમની સાથે તેમની પત્ની અને દીકરો પણ હતા. આરોપો અનુસાર, ધારાસભ્ય એક મુસાફરની સીટ પર બેસવા ઇચ્છતા હતા અને તેને પોતાની સીટ પર બેસવાનું કહી રહ્યા હતા. જ્યારે મુસાફરે ધારાસભ્યની માંગનો ઇન્કાર કર્યો તો બંને વચ્ચે વિવાદ થયો. બાદમાં ધારાસભ્યએ પોતાના માણસોને બોલાવ્યા અને મુસાફરને માર મારવામાં આવ્યો. 

આ પણ વાંચોઃ અમે કંઈ કરીએ તે પહેલા જ ભારતે એરબેઝ પર હુમલો કર્યો, સંઘર્ષ વિરામ અંગે પાકિસ્તાનનું કબૂલાતનામું

આ મામલે જીઆરપી, આરપીએફ અને રેલવે અધિકારીઓએ ઘટનાનો સ્વીકાર કર્યો છે. વળી, ધારાસભ્ય રાજીવ સિંહે કહ્યું કે, હું લેખિતમાં મારો પક્ષ મૂકીશ. હાલ, ઝાંસી જીઆરપીમાં આ કેસ દાખલ કરવામાં આવ્યો છે. 

ધારાસભ્યએ પોતાનો પક્ષ મૂકતાં શું કહ્યું?

ટ્રેન નંબર-20172 વંદે ભારત એક્સપ્રેસમાં ઝાંસીના બબીના બેઠકના ધારાસભ્ય રાજીવ સિંહ પારીછા પોતાની પત્ની અને દીકરા સાથે દિલ્હીથી ઝાંસીની મુસાફરી કરી રહ્યા હતા. કોચમાં સીટ નંબર-8 રાજીવ સિંહ પારીછા, સીટ નંબર 50- પત્ની કમલી સિંહ, સીટ નંબર-51 દીકરો શ્રેયાંશ સિંહની હતી. આરોપ છે કે, ટ્રેન જ્યારે ઝાંસી રેલવે સ્ટેશન પહોંચી તો 6-7 લોકો ટ્રેનની અંદર ઘુસી ગયા અને આ કોચના સીટ નંબર 49 પર મુસાફરી કરી રહેલા રાજ પ્રકાશ નામના મુસાફર સાથે મારપીટ કરવા લાગ્યા. જ્યાં સુધી કોઈ કંઈ કરે તે પહેલાં સિગ્નલ હોવાના કારણે ટ્રેન ભોપાલ માટે રવાના થઈ ગઈ.

કોંગ્રેસના આરોપ

આ દરમિયાન મધ્ય પ્રદેશમાં પન્ના જિલ્લાના પૂર્વ પવઈ ધારાસભ્ય મુકેશ નાયક અને પૂર્વ મંત્રી રામનિવાસ રાવતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ મુદ્દે વાત કરી હતી. તેમણે આ ઘટનાને લઈને રાજીવ સિંહ પર આરોપ લગાવતા સુરક્ષા વ્યવસ્થા પર પણ અનેક પ્રશ્ન કર્યા. પૂર્વ ધારાસભ્ય મુકેશ નાયકે એક્સ પર લખ્યું કે, 'વંદે ભારત ટ્રેનમાં વડીલ મુસાફરે 49 નંબરની સીટ એક્સચેન્જ કરવાની ના પાડતા ભાજપ ધારાસભ્ય રાજીવ સિંહના સમર્થકોએ ઝાંસી સ્ટેશન પર તેમને માર માર્યો. તેમના નાકમાંથી લોહી નીકળી ગયું. આ છે સુશાસનની વાસ્તવિકતા.'


આ પણ વાંચોઃ લાલુ પ્રસાદે બિહારના CM પદના ઉમેદવારનું એલાન કરતાં મહાગઠબંધનમાં હલચલ, કોંગ્રેસ શું કરશે?

જોકે, પૂર્વ મંત્રી રામ નિવાસ રાવતે લખ્યું કે, 'વંદે ભારત(20172 દિલ્હીથી ભોપાલ)માં એક વ્યક્તિ સાથે 7થી 8 બહારથી આવેલા લોકોએ આખા કોચના મુસાફરો સામે મારપીટ કરી. ઈજાગ્રસ્ત વ્યક્તિના નાક, મોં, કાનમાંથી લોહી નીકળવા લાગ્યું. આ લોકો સાથે પોલીસના અમુક લોકો પણ જોવા મળી રહ્યા હતા. વંદે ભારત જેવી ટ્રેનમાં આવી સ્થિતિ છે તો સામાન્ય ટ્રેનમાં મુસાફરોની શું સ્થિતિ હશે? આ પ્રકારની ઘટના મુસાફરોને ભયભીત કરવાનું કામ કરે છે.'

ફરિયાદ દાખલ

આ મામલે ઝાંસી જીઆરપીમાં લેખિત ફરિયાદ દાખલ કરવામાં આવી છે. FIR અનુસાર, ધારાસભ્ય રાજીવ સિંહ પોતાની પત્ની અને બાળકો સાથે ટ્રેનના કોચની સીટ નંબર 50, 51 અને 8 પર મુસાફરી કરી રહ્યા હતા. આ દરમિયાન સીટ નંબર 49 અને 52 પર મુસાફર વાંધાજનક સ્થિતિમાં વધુ પડતા પગ ફેલાવીને બેઠા હતા, જેના કારણે મુશ્કેલી થઈ રહી હતી. ધારાસભ્યએ તેની વ્યસ્થિત રીતે બેસવા કહ્યું તો મુસાફર ગુસ્સામાં આવીને વિવાદ કરવા લાગ્યો અને અશોભનીય ભાષાનો પ્રયોગ કરવા લાગ્યા. ધારાસભ્યના આ મામલાને ટાળવાનો પ્રયાસ કરી રહ્યા હતા. બાદમાં ઝાંસી સ્ટેશન પર પહોંચતા ધારાસભ્યના માણસો આવી ગયા. ત્યારે મુસાફરો તેમની સાથે ઝઘડવા લાગ્યા. જોકે, તેમને માંડ-માંડ દૂર કરવામાં આવ્યા. હાલ, ધારાસભ્ય રાજીવ સિંહની ફરિયાદના આધારે કલમ 115(2) અને 352 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. 

Tags :