India

Asia Cup 2025: ભારતીય ટીમની જાહેરાત પર ભડકી ઉદ્ધવ જૂથની મહિલા સાંસદ, ભાજપ પર કર્યા પ્રહાર

By GS TEAM
19 Aug 20252 mins read
TukuTouch Logo
એશિયા કપ 2025 માટે આજે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. BCCI એ ક્રિકેટ ટીમની જાહેરાત કર્યા બાદ શિવસેના(UBT) પક્ષ ભડકી ઉઠી હતી. શિવસેના(UBT) ની સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ આ ટુર્નામેન્ટને લઈને BCCI અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેણે કહ્યું કે, ' હવે ભાજપના ચીયરલીડર્સ ભારત-પાકિસ્તાનની મેચ જોવા માટે દુબઈ પણ જશે.' જણાવી દઈએ કે, 14 સપ્ટેમ્બર 2025ના રોજ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની છે.

Summarized by AI; it may make mistakes. Check important info

Asia Cup 2025: ભારતીય ટીમની જાહેરાત પર ભડકી ઉદ્ધવ જૂથની મહિલા સાંસદ, ભાજપ પર કર્યા પ્રહાર
Image source: Instagram/priyankac19

Asia Cup 2025: એશિયા કપ 2025 માટે આજે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. BCCI એ ક્રિકેટ ટીમની જાહેરાત કર્યા બાદ શિવસેના(UBT) પક્ષ ભડકી ઉઠી હતી. શિવસેના(UBT) ની સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ આ ટુર્નામેન્ટને લઈને BCCI અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેણે કહ્યું કે, ' હવે ભાજપના ચીયરલીડર્સ ભારત-પાકિસ્તાનની મેચ જોવા માટે દુબઈ પણ જશે.' જણાવી દઈએ કે, 14 સપ્ટેમ્બર 2025ના રોજ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની છે. 

BCCI આ મેચથી કમાણી કરતી રહેશે: પ્રિયંકા ચતુર્વેદી

પ્રિયંકા ચતુર્વેદીએ તેના એક્સ એકાઉન્ટમાં BCCI વિરુદ્ધ લખ્યું કે, 'ઓપરેશન સિંદૂરને ત્યાં સુધી ભૂલી શકાય જ્યાં સુધી BCCI આ મેચથી પોતાની કમાણી કરતી રહે. જે શરમજનક છે'

એશિયા કપ માટે ભારત નહીં આવે પાકિસ્તાનની ટીમ

પ્રિયંકા ચતુર્વેદીએ એક પોસ્ટમાં લખ્યું કે, 'જ્યારે પાકિસ્તાન હોકી ટીમે ભારતમાં યોજાયેલી એશિયા કપ હોકી મેચોની મેજબાનીને અવગણના કરી, ત્યારે અમારી BCCI એશિયા ક્રિકેટ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરીને બંને વચ્ચે ક્રિકેટ મેચ ચાલુ રાખવા માટે ખૂબ જ ઉત્સુક છે. પહલગામમાં જીવ ગુમાવનાર લોકોના પરિવાર સાથે જે વિશ્વાસઘાત થઈ રહ્યો છે તેની કલ્પના પણ કરી શકતા નથી'.

આ પણ વાંચો : War 2: હૃતિકની 'વોર 2' ફિલ્મે અક્ષય-અજયની સુપરહિટ ફિલ્મને પણ કમાણીમાં પછાડી

સંસદમાં પણ ઉઠાવ્યો હતો મુદ્દો

પ્રિયંકા ચતુર્વેદીએ સંસદમાં પણ ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની રાજ્યસભામાં હાજરી દરમિયાન કહ્યું હતું કે, 'ભારતે પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવું ન જોઈએ.' શિવસેના(UBT)ની સાંસદે જણાવ્યું હતું, 'જો તમે (અમિત શાહ) ICCના ચેરમેનને કહી દેશો કે ભારત-પાકિસ્તાનનો મેચ નહીં થઈ શકે, તો તે નહીં થાય.'