Get The App

'જે સાથ આપે, તે પાર્ટીને મત આપો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે ગૌરક્ષાને લઈને આપ્યું મોટું નિવેદન

Updated: Jun 8th, 2025

GS TEAM


Google News
Google News
'જે સાથ આપે, તે પાર્ટીને મત આપો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે ગૌરક્ષાને લઈને આપ્યું મોટું નિવેદન 1 - image


Shankaracharya Avimukteshwaranand Big Statement : ગુજરૈલા ગામમાં સ્થિત મંગલધામ મંદિર ખાતે આયોજિત પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના ચોથા દિવસે જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી હાજર રહ્યા હતા. જેમાં શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ વૈદિક મંત્રોચ્ચારના જાપ કરીને માતા મહાકાળી, મહાસરસ્વતી અને ખાટુ શ્યામ બાબાની મુર્તિઓની પ્રાણ-પ્રતિષ્ઠા અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. તેમણે ઉપસ્થિત ભક્તોને ધર્મનું પાલન કરવા અને ગૌસેવા કરવા હાકલ કરી હતી. 

મુર્તિઓની પ્રાણ-પ્રતિષ્ઠા કરવામાં આવી

પ્રયાજરાજ અને વૃંદાવનથી આવેલા આચાર્ય દિપક વશિષ્ઠ, અભિષેક પાઠક, માનસ પાઠક, પંડિત અતુલ મિશ્ર, પુજારી રમેશ મિશ્ર અન મુરારી લાલએ વિધિ મુજબ હવન અને પૂજા કરીને અનુષ્ઠાન સંપન્ન કર્યું હતું. જેમાં બપોર પછી ચાર વાગ્યે શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ આ મુર્તિઓની પ્રાણ-પ્રતિષ્ઠા કરી હતી. 

શંકરાચાર્યએ શું કહ્યું?

આ પ્રસંગે શંકરાચાર્યએ કહ્યું કે, 'આ એજ જગ્યા છે કે જ્યાં ભગવાન પણ આવવા માટે તરસે છે. આ ધરતી ધર્મ, કર્મ, કામ અને મોક્ષ ચારેયનું સંગમ છે અને અહીં જ પતિવ્રતા પત્ની અને સર્વજ્ઞાની ગુરુ જેવા અનન્ય ગુણો જોવા મળે છે, જે વિશ્વના અન્ય કોઈ ભાગમાં જોવા મળતા નથી.'

તેમણે ભારતને વિશ્વમાં સર્વાંગી વિકાસ લાવનારી ભૂમિ તરીકે જણાવ્યું હતું. શંકરાચાર્યએ ભગવાનની પૂજાનો સાચો અર્થ સમજાવતા કહ્યું હતું કે, 'પૂજાનો અર્થ ફક્ત ફૂલો, પાણી, ભોજન અથવા પરિક્રમા કરવાનો નથી, પરંતુ તેના દ્વારા જણાવેલા ગુણોને પોતાની અંદર કેળવવાનો પ્રયાસ કરવાનો છે.'

આ પણ વાંચો: 'લાખોને કાબૂમાં રાખી શકાય તેટલો સ્ટાફ નથી', બેંગલુરુ પોલીસની ચેતવણી છતાં બેદરકારીએ 11નો જીવ ગયો

ગૌમાતાની રક્ષાને લઈને શું કહ્યું શંકરાચાર્યએ?

આ પ્રસંગે હાજર તમામ લોકોને શંકરાચાર્યએ ગૌમાતાની રક્ષા કરવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી. આ સાથે તેમણે લોકોને એ પાર્ટીની મત આપવાની વાત કરી હતી કે, જે ગૌરક્ષામાં તેમનો સાથ આપે. મંગલધામમાં મોડી રાત સુધી પૂજા, પ્રસાદ વિતરણ અને વિશાળ ભોજન સમારંભ ચાલુ રહ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. જેમાં સંજય કપૂર, સંતોષ કપૂર, અનિલ ટંડન, લીના કપૂર, રેણુ ટંડન, જ્ઞાન પ્રકાશ ગુપ્તા, નીરે ગુપ્તા, નરેન્દ્ર સક્સેના, અમન સક્સેના સહિત ઘણા અન્ય સભ્યો વ્યવસ્થામાં સક્રિય રહ્યા હતા. 

Tags :