'જીવન ગાડી છે સમય ચક્ર', ભારત પરત ફરી રહેલા એસ્ટ્રોનોટ શુભાંશુ શુક્લાની પોસ્ટ, PM મોદીને મળશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Shubhanshu Shukla: ભારતીય અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લા તેની ઐતિહાસિક આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (ISS) યાત્રા બાદ પૃથ્વી પર પરત ફરી ચૂક્યા છે. ત્યારે હવે તેઓ અમેરિકાથી આવતીકાલે એટલે કે રવિવાર, 17 ઑગસ્ટ 2025ના રોજ ભારત પાછો ફરશે. ઇસરો (ISRO) તેની પહેલી માનવ અંતરિક્ષ ઉડાન 2027માં શરૂ કરવાની તૈયારી કરી રહી છે. શુભાંશુનો અનુભવ તેમા મોટી ભૂમિકા ભજવશે. તે ભારત પરત આવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે અને તેના હોમટાઉન લખનઉ પણ જશે. જ્યાં ભવ્ય રોડ શો પણ યોજાશે.
આ પણ વાંચો : 45 મિનિટ વોકિંગ કે 20 મિનિટની સ્લો જોગિંગ : તમારા સ્વાસ્થ્ય માટે શું સારું?
ભારત વાપસી અને ભાવનાઓ
શુભાંશુએ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો, જેમા તેમણે લખ્યું કે, વિમાનમાં ચઢતી વખતે તેમના હૃદયમાં ઘણી લાગણીઓ હતી. એક તરફ, આ મિશન દરમિયાન એક વર્ષ સુધી પરિવાર જેવા રહેલા પ્રિય સાથીદારોથી દૂર રહેવાનું દુઃખ હતું, તો બીજી તરફ ઘરે પાછા ફરવાનો અને તેમના પરિવારને મળવાનો ઉત્સાહ પણ હતો. કદાચ આ જ જીવન છે, બધું એકસાથે.
તેમણે આગળ કહ્યું કે, મિશન દરમિયાન મિશન પૂર્ણ થયા પછી મને એટલો પ્રેમ અને સમર્થન મળ્યું કે હું ભારત આવીને પોતાનો અનુભવ શેર કરવા માટે ઉત્સુક છું. વિદાય મુશ્કેલ હોય છે, પરંતુ જીવનમાં આગળ વધવું જરૂરી છે. તેમણે તેમના કમાન્ડર અને નાસા અવકાશયાત્રી પેગી વ્હિટ્સનના શબ્દોનો પડઘો પડતા કહ્યું કે, 'અવકાશ યાત્રામાં ફક્ત એક જ વસ્તુ કાયમી હોય છે, અને તે છે પરિવર્તન, એ જીવનમાં લાગુ થાય છે'. શુભાંશુએ ફિલ્મ 'સ્વદેશ' "યુન હી ચલા ચલ રહી જીવન ગાડી હૈ, સમય પૈયા" માંથી પંક્તિઓ પણ ટાંકી અને કહ્યું કે, 'તે પૃથ્વી માટે પણ લાગુ પડે છે.'
શુભાંશુ ભારત આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. વડાપ્રધાન મોદીએ 15 ઑગસ્ટ 2025ના રોજ લાલ કિલ્લા પર 79મા સ્વતંત્રતા દિવસના ભાષણમાં કહ્યું કે, અમારા ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા અંતરિક્ષ સ્ટેશનથી પરત ફરી ચૂક્યા છે. આવનારા દિવસોમાં તેઓ ભારત પરત ફરશે. ત્યારબાદ શુભાંશુ લખનઉ જશે, જ્યાં તેમના પરિવાર તેમની રાહ જોઈ રહ્યા છે. 22-23 ઑગસ્ટના રોજ તે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ સમારોહમાં પણ ભાગ લેશે.








