Get The App

રામાયણ વાંચતા-વાંચતા 'સુગ્રીવ'નુ નિધન, લોકડાઉનના કારણે અસ્થિ વિસર્જન અટવાયુ

Updated: Apr 10th, 2020

GS TEAM

Google News
Google News
રામાયણ વાંચતા-વાંચતા 'સુગ્રીવ'નુ નિધન, લોકડાઉનના કારણે અસ્થિ વિસર્જન અટવાયુ 1 - image

નવી દિલ્હી, તા.10 એપ્રિલ 2020, શુક્રવાર

ભારતના ટેલિવિઝન ઈતિહાસમાં સૌથી સફળ સિરિયલ ગણાતી રામાયણમાં સુગ્રીવ અને વાલીનો રોલ ભજવનાર શ્યામ સુંદરનુ કેન્સરના કારણે મોત થયુ છે.

હાલમાં ટીવી પર ફરી રામાયણનુ પ્રસારણ થઈ રહ્યુ છે ત્યારે જ આ ઘટના બની છે. તેઓ છેલ્લા 20 વર્ષથી કાલકા શહેરમાં રહેતા હતા. પરિવારનુ કહેવુ છે કે, શ્યામ સુંદર રામાયણનુ વાંચન કરી રહ્યા હતા અને તેમનો દેહાંત થયો હતો.

રામાયણ વાંચતા-વાંચતા 'સુગ્રીવ'નુ નિધન, લોકડાઉનના કારણે અસ્થિ વિસર્જન અટવાયુ 2 - imageજોકે પરિવારજનો હવે અસ્થિ વિસર્જન માટે લોકડાઉન ક્યારે ખુલે તેની રાહ જોઈ રહ્યા છે. જેથી તેમના અસ્થિને ગંગામાં વિસર્જીત કરી શકાય.

શ્યામ સુંદર કલાનીએ રામાયણ સિવાય ત્રિમૂર્તિ, હીર રાંજા અને છૈલા બાબુ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યુ હતુ.


Tags :