Get The App

VIDEO: અયોધ્યાના રામ મંદિરમાં પહેલા માળે રામ દરબાર અને સંકુલમાં અન્ય 7 મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા

Updated: Jun 5th, 2025

GS TEAM


Google News
Google News
Ayodhya Ram Darbar


Ayodhya Ram Darbar: આજે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરમાં રામ દરબાર તેમજ સંકુલમાં 7 અન્ય મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ છે. આ દરમિયાન રામ મંદિરના પહેલા માળે રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ છે, જેની પહેલવહેલી તસવીરો સામે આવી છે. રામ દરબારમાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ, માતા જાનકી અને હનુમાનજીની મૂર્તિઓ સ્થાપિત કરાઈ છે. આ પ્રસંગે રામ મંદિરને ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે. દેશ-વિદેશના હજારો ભક્તો અયોધ્યામાં ઊમટી પડ્યા છે. નોંધનીય છે કે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હાજરીમાં પ્રતિષ્ઠાપન વિધિ કરાઈ હતી.

અભિજિત મુહુર્ત અને સ્થિર લગ્નમાં વિધિ

આ પ્રાણ પ્રતિષ્ઠા અભિજિત મુહૂર્ત અને સ્થિર લગ્નમાં કરાયું હતું. આ સમગ્ર વિધિ 17 મિનિટના ખાસ સમયગાળામાં એટલે કે સવારે 11:45થી બપોરે 12:45 વાગ્યા સુધી કરાઈ હતી. એવું કહેવાય છે કે, અભિજિત મુહૂર્ત દિવસનો સૌથી શુભ અને પવિત્ર સમય છે. આ કારણસર રામ દરબારમાં આ સમયે પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી.

આ પણ વાંચો: 2 દિવસમાં 26 વખત ભૂકંપથી પાકિસ્તાનનું કરાચી હચમચ્યું, શું કોઈ મોટી તબાહીના છે સંકેત?

રામ દરબાર સહિત આ ઉપ મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા

મુખ્ય મંદિરમાં પ્રથમ માળે શ્રી રામ દરબાર

ઈશાન ખૂણે શિવલિંગ

અગ્નિકોણે શ્રી ગણેશ

દક્ષિણ કેન્દ્રમાં મહાબલી હનુમાન

દક્ષિણ પશ્ચિમ ખૂણે સૂર્ય દેવ

ઉત્તર પશ્ચિમ ખૂણે માતા ભગવતી

ઉત્તર કેન્દ્રમાં માતા અન્નપૂર્ણા

દક્ષિણ પશ્ચિમ કિલ્લે શેષાવતાર

VIDEO: અયોધ્યાના રામ મંદિરમાં પહેલા માળે રામ દરબાર અને સંકુલમાં અન્ય 7 મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 2 - image

Tags :