India

78 વર્ષ બાદ શિફ્ટ થઈ રહ્યું છે ભારતના વડાપ્રધાનનું કાર્યાલય, જાણો સાઉથ બ્લોક છોડવાનું કારણ

By GS TEAM
17 Aug 20253 mins read
TukuTouch Logo
લોર્ડ લ્યુટિયન્સના દિલ્હીના પાવર કોરિડોરમાં એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે, જેમાં 78 વર્ષ પછી, વડાપ્રધાન કાર્યાલયનું સરનામું બદલાશે. PMO હવે સાઉથ બ્લોકથી એક્ઝિક્યુટિવ એન્ક્લેવમાં શિફ્ટ થશે. મળતી માહિતી અનુસાર, નવું વડાપ્રધાન કાર્યાલય આવતા મહિનાથી કાર્યરત થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

78 વર્ષ બાદ શિફ્ટ થઈ રહ્યું છે ભારતના વડાપ્રધાનનું કાર્યાલય, જાણો સાઉથ બ્લોક છોડવાનું કારણ

New PMO: લોર્ડ લ્યુટિયન્સના દિલ્હીના પાવર કોરિડોરમાં એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે, જેમાં 78 વર્ષ પછી, વડાપ્રધાન કાર્યાલયનું સરનામું બદલાશે. PMO હવે સાઉથ બ્લોકથી એક્ઝિક્યુટિવ એન્ક્લેવમાં શિફ્ટ થશે. મળતી માહિતી અનુસાર, નવું વડાપ્રધાન કાર્યાલય આવતા મહિનાથી કાર્યરત થશે.

બ્રિટિશ શાસન દરમિયાન બનેલા હતા સાઉથ બ્લોક અને નોર્થ બ્લોક

સાઉથ બ્લોક અને નોર્થ બ્લોક આઝાદી પહેલાં બ્રિટિશ શાસન દરમિયાન બનાવવામાં આવ્યા હતા. જૂની ઇમારતમાં જગ્યાનો અભાવ છે અને આધુનિક સુવિધાઓ પણ ઓછી છે. તેથી, કેન્દ્ર સરકારે વહીવટી કામગીરી માટે નવી અને વધુ સારી ઇમારતો બનાવવાના નિર્દેશો આપ્યા. આ પછી, સાઉથ બ્લોકથી થોડા અંતરે નવા એક્ઝિક્યુટિવ એન્ક્લેવનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ નવી ઇમારતમાં PMO, કેબિનેટ સચિવાલય, રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય અને કોન્ફરન્સિંગ સુવિધાઓ પણ હશે.

શા માટે PMO શિફ્ટ થઈ રહ્યું છે?

જૂની ઇમારતની મર્યાદાઓ

સાઉથ બ્લોક અને નોર્થ બ્લોક જેવી ઇમારતો આઝાદી પહેલા બ્રિટિશ શાસન દરમિયાન બનાવવામાં આવી હતી. તેમાં જગ્યા ઘણી ઓછી છે અને આજના સમયની જરૂરિયાત મુજબ આધુનિક સુવિધાઓનો પણ અભાવ છે.

આ જૂની ઓફિસોમાં પૂરતી જગ્યા, પૂરતો પ્રકાશ અને હવા જેવી મૂળભૂત સુવિધાઓ પણ બરાબર નહોતી. વડાપ્રધાન મોદીએ પણ આ વાતનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, ગૃહ મંત્રાલય જેવી મહત્ત્વની સંસ્થા લગભગ 100 વર્ષ સુધી એક જ ઇમારતમાંથી કામ કરતી રહી, જ્યાં પૂરતા સંસાધનો નહોતા.

નવા કાર્યાલયની જરૂરિયાત

ભારત એક મોટી આર્થિક શક્તિ બની રહ્યું છે. તેથી, વહીવટી કામકાજ માટે નવી અને વધુ સારી ઇમારતોની જરૂર છે. આ નવી ઇમારતો આધુનિક ભારતની ઓળખ સાથે મેળ ખાય છે.

નવા એક્ઝિક્યુટિવ એન્ક્લેવમાં માત્ર PMO જ નહીં, પણ કેબિનેટ સચિવાલય, રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય અને કોન્ફરન્સિંગ સુવિધાઓ પણ હશે. ખાસ વાત એ છે કે આ જગ્યા વડાપ્રધાનના નિવાસસ્થાનની પણ નજીક છે, જેનાથી કામકાજમાં વધુ સરળતા અને સુરક્ષા રહેશે.

આ પણ વાંચો: ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેનો માંડ-માંડ જીવ બચ્યો, નીચે ઉતરતાં જ સ્ટેજ ધસી પડ્યું

નવા PMO માટે નવું નામ 

સરકારનું માનવું છે કે માત્ર નવી ઇમારત જ નહીં, પરંતુ વિચાર પણ નવો હોવો જોઈએ. તેથી ચર્ચા ચાલી રહી છે કે નવા PMOને એક નવું નામ આપવામાં આવી શકે છે જે સેવાની ભાવના દર્શાવે. વડાપ્રધાને પોતાના ત્રીજા કાર્યકાળની શરૂઆતમાં કહ્યું હતું કે, 'PMO મોદીનું નહીં, પણ જનતાનું હોવું જોઈએ. આ લોકોની સેવા કરવાનું કાર્યાલય છે.' આથી, નવા કાર્યાલય સાથે 'પીપલ્સ PMO'નો વિચાર પણ આગળ વધી શકે છે.

જૂની ઇમારતોનું શું થશે?

સાઉથ બ્લોક અને નોર્થ બ્લોક જેવી ઐતિહાસિક ઇમારતોને એક વિશાળ સાર્વજનિક મ્યુઝિયમમાં ફેરવવામાં આવશે. તેનું નામ ‘યુગે યુગીન ભારત સંગ્રહાલય’ હશે. આ માટે ભારતનું રાષ્ટ્રીય સંગ્રહાલય અને ફ્રાન્સ મ્યુઝિયમ ડેવલપમેન્ટ વચ્ચે એક કરાર પણ થયો છે. આ મ્યુઝિયમ ભારતની સંસ્કૃતિ અને વારસાને દર્શાવશે અને લોકોને આપણા ભવ્ય ભૂતકાળ, ઉજ્જવળ વર્તમાન અને સુવર્ણ ભવિષ્ય સાથે જોડશે.