India

હોર્મુઝ સંકટ વચ્ચે ફ્રાન્સના પ્રમુખ મેક્રોને PM મોદીને કર્યો ફોન, મિડલ ઈસ્ટની સ્થિતિ અંગે કરી ચર્ચા

By GS TEAM
16 Apr 20262 mins read
TukuTouch Logo
મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે ભારત અને ફ્રાન્સ ફરી એકવાર દુનિયાને પોતાની વ્યૂહાત્મક ભાગીદારીનો અનુભવ કરાવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે (16 એપ્રિલ) ફ્રાન્સના પ્રમુખ અને પોતાના નજીકના મિત્ર ઇમેન્યુઅલ મેક્રોન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. આ વાતચીતનો મુખ્ય ઉદ્દેશ્ય ન માત્ર વિસ્તારની શાંતિ છે, પરંતુ વૈશ્વિક વ્યાપાર માટે સૌથી સંવેદનશીલ દરિયાઈ માર્ગ હોર્મુઝની સુરક્ષાને લઈને પણ ચિંતા વ્યક્ત કરાઈ.

Summarized by AI; it may make mistakes. Check important info

હોર્મુઝ સંકટ વચ્ચે ફ્રાન્સના પ્રમુખ મેક્રોને PM મોદીને કર્યો ફોન, મિડલ ઈસ્ટની સ્થિતિ અંગે કરી ચર્ચા
Image Source: IANS

PM Modi Emmanuel Macron Phone Call: મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે ભારત અને ફ્રાન્સ ફરી એકવાર દુનિયાને પોતાની વ્યૂહાત્મક ભાગીદારીનો અનુભવ કરાવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે (16 એપ્રિલ) ફ્રાન્સના પ્રમુખ અને પોતાના નજીકના મિત્ર ઈમેન્યુઅલ મેક્રોન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. આ વાતચીતનો મુખ્ય ઉદ્દેશ્ય ન માત્ર વિસ્તારની શાંતિ છે, પરંતુ વૈશ્વિક વ્યાપાર માટે સૌથી સંવેદનશીલ દરિયાઈ માર્ગ હોર્મુઝની સુરક્ષાને લઈને પણ ચિંતા વ્યક્ત કરાઈ.

ક્ષેત્રીય શાંતિ માટે નવી રણનીતિ પર થઈ ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરી છે. જેમાં તેમણે લખ્યું છે કે, "મારા પ્રિય મિત્ર પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોનનો ફોન આવ્યો. અમે મિડલ ઈસ્ટની સ્થિતિ અંગે ચર્ચા કરી અને હોર્મુઝમાં સુરક્ષા અને નેવિગેશનની સ્વતંત્રતા તાત્કાલિક પુનઃસ્થાપિત કરવાની જરૂરિયાત પર સહમત થયા. અમે આ ક્ષેત્રમાં અને તેની બહાર શાંતિ અને સ્થિરતાને આગળ વધારવા માટે અમારો ગાઢ સહયોગ ચાલુ રાખીશું."

આ પણ વાંચો: ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાનની નૌ-સેના ખતમ થઈ ગઈ છે ! છતાં રાતા-સમુદ્રમાં ઈરાન કયાં જોરે ધમકી આપે છે ?

ભારત અને ફ્રાન્સની આ વાતચીત મહત્ત્વની

બંને દેશોએ તણાવ ઘટાડવા અને પરિસ્થિતિને સામાન્ય બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. બંને નેતાઓ વચ્ચે મિડલ ઈસ્ટમાં બગડતી પરિસ્થિતિ અંગે વિગતવાર ચર્ચા થઈ હતી. આ સાથે જ બંને નેતાઓએ વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે જીવનરેખા ગણાતા હોર્મુઝમાં દરિયાઈ સુરક્ષા અને નૌકાવિહારની સ્વતંત્રતાને તાત્કાલિક પુનઃસ્થાપિત કરવા પર ભાર મૂક્યો છે. મિડલ ઈસ્ટમાં વધી રહેલા તણાવને લઈને વિશ્વના અનેક દેશો ચિંતિત છે, તેવા સમયે ભારત અને ફ્રાન્સની આ વાતચીત રાજદ્વારી દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.