Get The App

ઓપરેશન સિંદૂરની સફળતાનો વધુ એક પુરાવો! 21 આતંકવાદીઓની કબરોની તસવીરો આવી સામે

Updated: Jun 4th, 2025

GS TEAM


Google News
Google News
ઓપરેશન સિંદૂરની સફળતાનો વધુ એક પુરાવો! 21 આતંકવાદીઓની કબરોની તસવીરો આવી સામે 1 - image


Operation Sindoor : પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાનને પાઠ ભણાવવા ઓપરેશન સિંદૂર ચલાવ્યું હતું, ત્યારે આ ઓપરેશનના વધુ ચોક્કસ પુરાવા સામે આવ્યા છે. ભારતના ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનમાં 21 આતંકવાદીઓને દફન કરાયા હોવાના પુરાવા સોશિયલ મીડિયામાં સામે આવ્યા છે.

બહાવલપુરમાં 21 આતંકવાદીની કબરોની તસવીરો વાયરલ

વાસ્તવમાં પાકિસ્તાનના બહાવલપુરમાં 21 આતંકવાદીઓની કબરોની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે. આ કબરો જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓની છે અને તેમાંથી કેટલીક કબરો મસૂદ અઝહર (Masood Azhar)ના નજીકના અને તેના પરિવારના લોકોની હોવાનું કહેવાઈ રહ્યું છે. આ તસવીરો ભારતે કરેલી સ્ટ્રાઇકની વિશ્વનીયતાનો પુરાવો દર્શાવે છે.

ઓપરેશન સિંદૂરની સફળતાનો વધુ એક પુરાવો! 21 આતંકવાદીઓની કબરોની તસવીરો આવી સામે 2 - image

બહાવલપુરના એક કબ્રસ્તાનમાં મસૂદનો પરિવાર દફન

ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન સ્થિત અનેક આતંકવાદીઓના ઠેકાણાઓને નિશાન બનાવાયા હતા, જેમાં અનેક આતંકવાદીઓના મોત થયા છે. આ હુમલામાં આતંકવાદી જૈશનો વડો મૌલાના મસૂદ અઝહરના પરિવારના લોકો પણ સામેલ હતા. તેમની કબરો બહાવલપુરના એક કબ્રસ્તાનમાં બનાવાઈ છે. આ પુરાવા ઓપરેશન સિંદૂરની સફળતાનું પ્રતિક છે, કારણ કે કેન્દ્ર સરકારે ઓપરેશન હેઠળ આતંકવાદી સંગઠનના મોટા નેતાઓને નિશાન બનાવ્યા હતા.

જૈશના ઓપરેટિવે તસવીરો શેર કરી

જૈશ-એ-મોહમ્મદના ઓપરેટિવે આતંકવાદીઓની કબરોની તસવીરો ફેસબુક પર શેર કરી છે. તેમાં મસૂદ અઝહરના પરિવારના સભ્યોની કબરો પણ સામેલ છે. તસવીરો સાથે શેર કરાયેલા વીડિયોમાં મસૂદનો અવાજ પણ સંભળાય છે. આ ઓપરેશનમાં ભારતના ટોચના દુશ્મન મસૂદને મોટો ઝટકો મળ્યો છે.

આ પણ વાંચો : Caste Census : દેશમાં ક્યારે શરૂ થશે વસ્તી ગણતરી ? તારીખ આવી સામે, આ રાજ્યોમાં થશે શરૂ

Tags :