Get The App

દેશમાં પહેલીવાર થશે જાતિ આધારિત વસ્તી ગણતરી, સરકારે જાહેર કરી બે તબક્કાની તારીખો

Updated: Jun 4th, 2025

GS TEAM


Google News
Google News
દેશમાં પહેલીવાર થશે જાતિ આધારિત વસ્તી ગણતરી, સરકારે જાહેર કરી બે તબક્કાની તારીખો 1 - image


Caste Census: ભારતમાં 15 વર્ષ બાદ ફરી એકવાર વસ્તી ગણતરીની પ્રક્રિયા શરુ કરવાની મંજૂરી અપાઈ છે. આ વસ્તી ગણતરી બે તબક્કામાં શરુ કરાશે. આ વખતની વસ્તી ગણતરીમાં જાતિ આધારિત વસ્તી ગણતરી પણ કરાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રથમ તબક્કામાં એટલે કે પહેલી ઑક્ટોબર 2026થી જે કેન્દ્ર શાસિત પ્રદેશો અને રાજ્યોમાં જાતિ આધારિત વસ્તી ગણતરી શરુ કરાશે, તેમાં જમ્મુ-કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડ અને લદાખ જેવા પર્વતીય રાજ્યોનો સમાવેશ થાય છે. ત્યારબાદ બીજા તબક્કામાં પહેલી માર્ચ 2027થી મેદાની રાજ્યોમાં વસ્તી ગણતરી હાથ ધરાશે.

દેશમાં પહેલીવાર જાતિ આધારિત વસ્તી ગણતરી 

ભારત આઝાદ થયા બાદ પ્રથમવાર જાતિ આધારિત વસ્તી ગણતરી હાથ ધરાશે. વસ્તી ગણતરી સાથે જ જાતિની પણ ગણતરી કરાશે. ગત મહિને કેન્દ્ર સરકારે જાતિગત વસ્તી ગણતરી કરવા માટે મંજૂરી આપી હતી. સૌથી મહત્ત્વની વાત એ છે કે, 1931 બાદ અત્યાર સુધીમાં ભારતમાં ક્યારેય જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવી નથી. 

આ પણ વાંચો : રેલવેની તત્કાલ ટિકિટ IRCTCની ‘સેવા’ નહીં પણ મજાક છે, જાણીતા ઉદ્યોગપતિએ કાઢી ઝાટકણી

2011માં કોરોના મહામારીના કારણે વસ્તી ગણતરી મુલતવી

દેશમાં દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. દેશમાં છેલ્લે 2011માં વસ્તી ગણતરી કરાઈ હતી. ત્યારબાદ 2011માં વસ્તી ગણતરી કરવાની ચર્ચા હતી, પરંતુ કોરોના સમયગાળાને કારણે તે મુલતવી રાખવામાં આવી હતી. હવે સરકારે 15 વર્ષ પછી 2026માં વસ્તી ગણતરી કરવાનો નિર્ણય લીધો છે.

આઝાદી બાદ ભારતમાં 15 વખત વસ્તી ગણતરી કરાઈ

દેશમાં ઘણાં સમયથી જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ કરાઈ રહી હતી, ત્યારે તેના પર આખરી મહોર વાગ્યા બાદ હવે તેની તારીખ પણ સામે આવી ગઈ છે. દેશને આઝાદી મળ્યા બાદ 1951થી 2011 સુધી સાત વખત અને ભારતમાં કુલ 15 વખત વસ્તી ગણતરી કરવામાં આવી છે. વસ્તી ગણતરીમાં લઘુમતી, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની પણ ગણતરી કરવામાં આવે છે, પરંતુ અન્ય જાતિની ગણતરી કરવામાં આવતી નથી.

આ પણ વાંચો : મધ્ય પ્રદેશના ઝાબુઆમાં ભયંકર અકસ્માત, ટ્રકની ટક્કરે કારનો કચ્ચરઘાણ, એક જ પરિવારના 9ના મોત

Tags :