India

ઓપરેશન ત્રિશૂળ: ગુજરાતના સરહદી વિસ્તારોમાં સૈન્ય અભ્યાસ શરુ, 25 હજાર જવાનો, ફાઇટર જેટ-યુદ્ધ જહાજો જોડાશે

By GS TEAM
31 Oct 20252 mins read
TukuTouch Logo
પાકિસ્તાનથી જોડાયેલી દેશની પશ્ચિમી સરહદો પર ભારતીય સેનાની ત્રણેય પાંખ(જમીન, વાયુ અને નૌકાદળ)નો સંયુક્ત મહાયુદ્ધ અભ્યાસ 'ત્રિશૂળ'નો પ્રારંભ થઈ ગયો છે. 'ઓપરેશન સિંદૂર' પછી, આ પહેલીવાર છે જ્યારે ભારત કોઈ વ્યૂહાત્મક પડકારનો સામનો કરવા માટે યુદ્ધના તમામ સંભવિત ક્ષેત્રોમાં પોતાની યુદ્ધ કુશળતાનું પરીક્ષણ કરી રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઓપરેશન ત્રિશૂળ: ગુજરાતના સરહદી વિસ્તારોમાં સૈન્ય અભ્યાસ શરુ, 25 હજાર જવાનો, ફાઇટર જેટ-યુદ્ધ જહાજો જોડાશે

Operation Trishul: પાકિસ્તાનથી જોડાયેલી દેશની પશ્ચિમી સરહદો પર ભારતીય સેનાની ત્રણેય પાંખ(જમીન, વાયુ અને નૌકાદળ)નો સંયુક્ત મહાયુદ્ધ અભ્યાસ 'ત્રિશૂળ'નો પ્રારંભ થઈ ગયો છે. 'ઓપરેશન સિંદૂર' પછી, આ પહેલીવાર છે જ્યારે ભારત કોઈ વ્યૂહાત્મક પડકારનો સામનો કરવા માટે યુદ્ધના તમામ સંભવિત ક્ષેત્રોમાં પોતાની યુદ્ધ કુશળતાનું પરીક્ષણ કરી રહ્યું છે.

પાકિસ્તાનને સીધો સંદેશ

રાજસ્થાન અને ગુજરાતના સરહદી વિસ્તારોમાં યોજાઈ રહેલા આ અભ્યાસને પાકિસ્તાન માટે એક સ્પષ્ટ ચેતવણી તરીકે જોવામાં આવી રહ્યો છે. ભારત વ્યૂહાત્મક સંદેશ આપવા માંગે છે કે, જો પાકિસ્તાન તરફથી કોઈ પણ પ્રકારની હિંમત કરાશે, તો જવાબ સરહદ પાર સુધી જશે અને ભારત સરહદોની સુરક્ષા માટે દરેક પડકારનો સામનો કરવા સજ્જ છે. આ અભ્યાસ 10 નવેમ્બર સુધી ચાલશે, જેમાં ત્રણેય સેનાના 25 હજારથી વધુ જવાનો ભાગ લઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ અનામતમાં વૃદ્ધિ, મહિલાઓને દર મહિને રૂ.2500, એક કરોડ નોકરી-રોજગાર: બિહાર માટે NDAનો ચૂંટણી ઢંઢેરો જાહેર

આધુનિક શસ્ત્રો અને સંકલનનું પરીક્ષણ

આ અભ્યાસમાં રાફેલ અને સુખોઈ જેવા અત્યાધુનિક ફાઇટર જેટ, ઓપરેશન સિંદૂરમાં પોતાની ક્ષમતા સાબિત કરનાર બ્રહ્મોસ અને આકાશ મિસાઇલ સિસ્ટમ, યુદ્ધ ટેન્ક, ઇન્ફન્ટ્રી કોમ્બેટ વાહનો, હેલિકોપ્ટર, લાંબા અંતરની આર્ટિલરી સિસ્ટમ, ડ્રોન અને નૌકાદળના યુદ્ધ જહાજો ભાગ લેશે. ત્રણેય પાંખ ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલા વિસ્તારોમાં સંયુક્ત કામગીરી, દુશ્મન પર હુમલો કરવાની ક્ષમતા અને મલ્ટી ડોમેન વોરફેર(Multi Domain Warfare)નો અભ્યાસ કરશે.

કચ્છ પર વિશેષ ફોકસ

'ત્રિશૂળ' યુદ્ધાભ્યાસનું મુખ્ય કેન્દ્ર ગુજરાતના કચ્છ વિસ્તાર પર રહેશે. આ અંગે તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનને ખુલ્લી ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે, જો પાકિસ્તાને સર ક્રીક (Sir Creek) વિસ્તારમાં કોઈ દુ:સાહસ કર્યું તો તેનો જવાબ એવો મળશે જે ઇતિહાસ અને ભૂગોળ બદલી નાખે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે કરાચીનો રસ્તો પણ ક્રીક થઈને જાય છે.

આ પણ વાંચોઃ 'તું ઓળખતો નથી મારો બાપ કોણ છે?', ભાજપ નેતાના પુત્રએ ટોલ બૂથ કર્મચારીને ફટકાર્યો

ઝીણવટથી પરીક્ષણ

આ અભ્યાસનો એક હેતુ વાસ્તવિક યુદ્ધના મલ્ટી-ડોમેન ઓપરેશનલ વાતાવરણમાં સેનાની યુદ્ધ ક્ષમતા, સંકલન અને અભિયાનગત તૈયારીઓનું પરીક્ષણ કરવાનો છે. આનાથી આધુનિક યુદ્ધક્ષેત્રમાં ઉભરતા જોખમોનો સામનો કરવાની ક્ષમતા મજબૂત થશે. દુશ્મનની દરેક ગતિવિધિને સમયબદ્ધ રીતે ઓળખવી એ પણ આ અભ્યાસનો એક મુખ્ય હેતુ છે.

મલ્ટી ડોમેન ઓપરેશન એટલે શું?

મલ્ટી ડોમેન ઓપરેશનમાં જમીન, થળ, આકાશ, સાયબર અને ઈલેક્ટ્રોનિક્સ જેવા તમામ ક્ષેત્રોમાંથી ઉદ્ભવતા પડકારોનો સામનો કરવા માટેનો અભ્યાસ કરવામાં આવે છે. આધુનિક યુદ્ધો માત્ર જમીન, સમુદ્ર કે હવા પૂરતા સીમિત નથી, પરંતુ તેમાં અવકાશ અને સાયબર સ્પેસ જેવા નવા ક્ષેત્રોનો પણ સમાવેશ થાય છે, તેથી દુશ્મનને હરાવવા તમામ ક્ષેત્રોની સંયુક્ત ક્ષમતાઓનું પરીક્ષણ કરવું જરૂરી છે.