India

ચીન સાથેના સંબંધો સુધરતા શું ભારતમાં ફરી ચાલુ થશે ટિકટોક? જાણો સરકારની સ્પષ્ટતા

By GS TEAM
8 Sep 20252 mins read
TukuTouch Logo
કેન્દ્રીય આઇટી, માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટતા કરી છે કે, ભારતમાં TikTok પરનો પ્રતિબંધ ઉઠાવવાનો કોઈ ઈરાદો નથી. તેમણે કહ્યું કે, ‘ટીકટોક ફરી શરૂ કરવાનો અમારી પાસે કોઈ પ્રસ્તાવ આવ્યો નથી.’

Summarized by AI; it may make mistakes. Check important info

ચીન સાથેના સંબંધો સુધરતા શું ભારતમાં ફરી ચાલુ થશે ટિકટોક? જાણો સરકારની સ્પષ્ટતા

TikTok Ban In India : કેન્દ્રીય આઇટી, માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટતા કરી છે કે, ભારતમાં TikTok પરનો પ્રતિબંધ ઉઠાવવાનો કોઈ ઈરાદો નથી. તેમણે કહ્યું કે, ‘ટીકટોક ફરી શરૂ કરવાનો અમારી પાસે કોઈ પ્રસ્તાવ આવ્યો નથી.’ 

ભારતમાં ફરી ટીકટોક શરૂ થવાની ચર્ચા પર પૂર્ણવિરામ

વાસ્તવમાં ભારત-ચીનના સંબંધો સુધર્યા બાદ એવી વાતો સામે આવી હતી કે, ભારતમાં ફરી ટીકટોક શરૂ થવાનું છે. જોકે હવે કેન્દ્રીય મંત્રીએ આ અહેવાલોને રદીયો આપ્યો છે. તેમણે કહ્યું છે કે, આ અંગે સરારમાં કોઈપણ પ્રકારની ચર્ચા થઈ નથી. તેમણે ટિકટોક ભારતમાં શરૂ કરવાના પ્રશ્નમાં કહ્યું છે કે, અત્યાર સુધીમાં કોઈપણ પાસેથી તેનો પ્રસ્તાવ મળ્યો નથી.

ટીકટોક પર 2020માં લગાવાયો હતો પ્રતિબંધ

આ અફવાઓ ફેલાઈ તે પહેલા જૂન-2020માં ભારત સરકારે દેશની રાષ્ટ્રીય સુરક્ષા અને સાર્વભૌમત્વને ધ્યાનમાં રાખીને ચીની માલિકીની બાઈટડાન્સની આ શોર્ટ-વિડિયો એપ સહિત 59 એપ્લિકેશન્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારબાદ ગૂગલ અને એપલે પણ પોતાના એપ સ્ટોર્સ પરથી TikTokને હટાવી દીધું હતું. ત્યારબાદ જાન્યુઆરી-2021માં સરકારે આ પ્રતિબંધને સ્થાયી કરી દીધો હતો.

આ પણ વાંચો : પહેલા બાંગ્લાદેશ-શ્રીલંકા, હવે નેપાળ? ભારતના પડોશી દેશોમાં કેમ ડગમગી રહ્યું છે સત્તાનું સિંહાસન

ટીકટોક માટે ભારત સૌથી મોટું બજાર હતું

પ્રતિબંધ પહેલા TikTok માટે ભારત સૌથી મોટું બજાર હતું, જેમાં 200 મિલિયનથી વધુ યુઝર્સ હતા. યુવાનોમાં આ એપ ભારે લોકપ્રિય હતી અને તેના પર કન્ટેન્ટ બનાવીને ઘણા લોકોએ પોતાની રોજગારી શરૂ કરી હતી. પ્રતિબંધ બાદ કરોડો યુઝર્સો અને કન્ટેન્ટ ક્રિએટર્સને મોટી અસર થઈ હતી.

અશ્વિની વૈષ્ણવે ચીની રોકાણકારોના ભારતમાં પરત ફરવાની શક્યતા અંગે કહ્યું કે, ‘આ બાબતે ભવિષ્યમાં જે કંઈ પણ થશે, તે જોઈશું. અમારી નીતિઓ સૌની સાથે સ્પષ્ટ અને પારદર્શક રીતે શેર કરવામાં આવશે.’

આ પણ વાંચો : ‘આધાર કાર્ડ મતદાર યાદી માટે માન્ય ઓળખ પત્ર, પરંતુ નાગરિકતા માટે નહીં’, સુપ્રીમ કોર્ટની સ્પષ્ટતા