India

તબિયતમાં સુધારો આવતાં સોનિયા ગાંધીને હૉસ્પિટલમાંથી કરાયા ડિસ્ચાર્જ, 15 જૂનથી ચાલી રહી હતી સારવાર

By GS TEAM
19 Jun 20251 min read
TukuTouch Logo
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને પાર્ટીના સંસદીય પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધીના સ્વાસ્થ્ય અંગે સારા સમાચાર આવ્યા છે. તેમની તબિયતમાં સુધારો થતાં તેમને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

તબિયતમાં સુધારો આવતાં સોનિયા ગાંધીને હૉસ્પિટલમાંથી કરાયા ડિસ્ચાર્જ, 15 જૂનથી ચાલી રહી હતી સારવાર
(PHOTO: IANS)

Sonia Gandhi Health Update: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને પાર્ટીના સંસદીય પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધીના સ્વાસ્થ્ય અંગે સારા સમાચાર આવ્યા છે. તેમની તબિયતમાં સુધારો થતાં તેમને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 

પેટમાં ઇન્ફેકશનના કારણે કરવા પડ્યા હતા એડમિટ

અગાઉ, ડૉકટરોએ સોનિયા ગાંધીના સ્વાસ્થ્ય અંગે અપડેટ જાહેર કર્યું હતું. આમાં, ડૉ. એસ. નંદી અને ડૉ. અમિતાભ યાદવે જણાવ્યું હતું કે, 'તેમને પેટમાં ઇન્ફેકશનના કારણે દાખલ કરવામાં આવ્યા હતા, જેની સફળતાપૂર્વક સારવાર કરવામાં આવી હતી. તેમની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે અને તેમને આજે રજા આપવાની યોજના છે. તેમની આગળની સારવાર ચાલુ રહેશે.'

આ પણ વાંચો: કેદારનાથ જતા હેલિકોપ્ટરને વારંવાર અકસ્માતો નડી રહ્યા છે, જાણો તેની પાછળના 5 મુખ્ય કારણ

7 જૂને શિમલામાં તબિયત બગડી હતી

આ પહેલા 7 જૂને પણ તેમની તબિયત બગડી હતી. જ્યારે તેઓ અંગત મુલાકાતે શિમલા ગયા હતા. ત્યારબાદ તેમને ત્યાંની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાદમાં જ્યારે તેઓ દિલ્હી પહોંચ્યા ત્યારે તેમને નિયમિત તપાસ માટે સર ગંગારામ હૉસ્પિટલમાં પણ લઈ જવામાં આવ્યા હતા.