Get The App

મુંબઈ આતંકી હુમલાના આરોપી તહવ્વુરને ભાડાના વિમાનમાં ભારત લવાયો, 4 કરોડ રૂપિયા ખર્ચાયા!

Updated: Apr 11th, 2025

GS TEAM


Google News
Google News
મુંબઈ આતંકી હુમલાના આરોપી તહવ્વુરને ભાડાના વિમાનમાં ભારત લવાયો, 4 કરોડ રૂપિયા ખર્ચાયા! 1 - image


Tahawwur Rana: 26/11 મુંબઈ આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર હુસૈન રાણાને આખરે 16 વર્ષ બાદ ભારત લાવવામાં આવ્યો છે. ત્યારબાદ હાઈકોર્ટે 18 દિવસની NIA ની કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. હવે તપાસ એજન્સી આરોપી સાથે 2008ના હુમલા વિશે પૂછપરછ કરશે. આરોપીને અમેરિકાથી ભારત લાવવાનું ઓપરેશન જેટલું સંવદેનશીલ હતું, તેટલું મોંઘુ પણ હતું. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, તહવ્વુર રાણાને અમેરિકાના મિયામીથી ભારત લાવવા માટે એક લક્ઝરી ચાર્ટર પ્લેન Gulf Stream G-550 નો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના પ્રતિ કલાકનો ખર્ચ આશરે 9 લાખ રૂપિયા છે.

40 કલાકની ઉડાન, 4 કરોડ ખર્ચ

આ ચાર્ટર જેટને વિએના સ્થિત એક એરક્રાફ્ટ ચાર્ટર સર્વિસ પાસેથી ભાડે લેવામાં આવ્યું હતું. બુધવારે બપોરે 2:15 વાગ્યે (સ્થાનિક સમય) આ વિમાન મિયામીથી રવાના થયું અને તે જ દિવસે સાંજ 7 વાગ્યે રોમાનિયાની રાજધાની બુખારેસ્ટ પહોંચ્યું. અહીં આશરે 11 કલાકનો બ્રેક લીધા બાદ, ગુરૂવારે સવારે 6:15 વાગ્યે ફરી ફરી ઉડાન ભરી આશરે 40 કલાક બાદ સાંજે 6:22 વાગ્યે દિલ્હીના પાલમ એરપોર્ટ પર લેન્ડ થયું હતું.

આ પણ વાંચોઃ NIA ને તહવ્વુર રાણાની 18 દિવસની કસ્ટડી મળી, 26/11 આતંકી હુમલાના અનેક રહસ્યોનો થશે પર્દાફાશ

અનુમાન છે કે, આ આખી મુસાફરી માટે લગભગ 4 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. જોકે, સામાન્ય પરિસ્થિતિમાં મિયામીથી દિલ્હી સુધી બિઝનેસ ક્લાકની ટિકિટ આશરે 4 લાખ રૂપિયા થાય છે. આ હિસાબથી જોઈએ તો ભારત સરકારે રાણાને લાવવા માટે લગભગ 100 ગણા વધારે પૈસા ખર્ચ કર્યાં. 

કોઈ લક્ઝરી હોટેલથી ઓછું નથી Gulfstream G550 વિમાન

2013માં બનેલું Gulfstream G550 ને અલ્ટ્રા લૉન્ગ રેન્જ મિડ-સાઇઝ કેટેગરીમાં રાખવામાં આવતુ હતું. તેની સૌથી ખાસ વાત તેનું શાનદાર ઈન્ટીરિયર છે. આ વિમાનમાં મોટાભાગે 19 મુસાફરોની ક્ષમતા છે. તેમાં 9 ડિવાન બેઠક છે જે ફ્લેટ થઈને સુવા માટે બેડ બની જાય છે. તેમાં 6 બેડ પણ છે. આ સિવાય આ વિમાનમાં ઇન-ફ્લાઇટ વાયરલેસ ઈન્ટરનેટ, સેટેલાઇટ ફોન અને મૉડર્ન એન્ટરટેઇનમેન્ટ સિસ્ટમ છે. તેની અંડાકાર બારીઓ તેને એક અલગ ઓળખ આપે છે અને VIP મુસાફરી માટે એક સારો વિકલ્પ માનવામાં આવે છે. 

આ પણ વાંચોઃ 26/11 મુંબઈ હુમલાનો આતંકી તહવ્વુર રાણાને પટિયાલા કોર્ટ લાવવાની તૈયારી, NIA આજે જ કરશે પૂછપરછ

સુરક્ષા કારણોથી ચાર્ટર ફ્લાઇટ જરૂરી

એવામાં હવે સવાલ ઊભો થાય છે કે, આખરે આટલો ખર્ચ કેમ કરવામાં આવ્યો? તેનો જવાબ છે સુરક્ષા. તહવ્વુરપ રાણા એક હાઈ-પ્રોફાઇલ આતંકવાદી છે અને તેના પ્રત્યર્પણને લઈને અમેરિકા અને ભારત બંને દેશોની સુરક્ષા એજન્સીઓએ ખાસ ધ્યાન રાખ્યું. આ મામલે ચાર્ટર પ્લેનની એકમાત્ર સુરક્ષિત વિકલ્પ માનવામાં આવે છે, જેથી કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટનાથી બચાવી શકાય. 

કોર્ટે 18 દિવસની NIA રિમાન્ડ પર મોકલ્યો

ગુરૂવારે સાંજે 6 વાગ્યે જ્યારે ફ્લાઇટ દિલ્હી પહોંચી તો સૌથી પહેલાં NIA ની ટીમે તહવ્વુર રાણાની ધરપકડ કરવામાં આવી અને તેની મેડિકલ તપાસ કરવામાં આવી. ત્યારબાદ તેને સીધો કોર્ટમાં લઈ જવામાં આવ્યો, જ્યાં વરિષ્ઠ વકીલ દયાન કૃષ્ણને NIA તરફથી 20 દિવસની કસ્ટડીની માંગ કરી હતી. લાંબી સુનાવણી બાદ મોડી રાત્રે કોર્ટે આરોપીની 18 દિવસની કસ્ટડી મંજૂર કરી હતી. હવે તપાસ એજન્સી રાણા સાથે 2008માં થયેલા મુંબઈ આતંકી હુમલા સાથે પૂછપરછ કરશે. 

હાફિઝ સઇદ અને દાઉદને પણ ભારત લાવવામાં આવશે? 

તહવ્વુર રાણાને જ્યારે આટલી સુરક્ષા વચ્ચે ભારત લાવવામાં આવ્યો, તો લોકોના મનમાં પ્રશ્ન થઈ રહ્યો છે કે, શું આ પ્રકારે હાફિઝ સઇદ અને દાઉદ ઇબ્રાહિમને પણ ભારત લાવવામાં આવી શકે છે? હાલ આ એક કાલ્પનિક વિચાર છે કારણ કે, પાકિસ્તાન સાથે ભારતની કોઈ પ્રત્યર્પણ સંધિ નથી અને ત્યાંની સરકાર ખુદ આતંકવાદીઓને સંરક્ષણ આપે છે.  


Tags :