અમેરિકાના રાજદૂત ગોર વડાપ્રધાન મોદીને મળ્યાં
ઇજીપ્તના પ્રમુખ અબ્દેલ ફત્તાર અલ સીસીએ તથા ડૉનાલ્ડ ટ્રમ્પે પણ આમંત્રણ આપ્યું હોવા છતાં મોદી નહીં જાય
આમ છતાં પોતાની અન્ય વ્યસ્તતાઓને લીધે ભારતના વડાપ્રધાને તે પરિષદમાં ઉપસ્થિત રહેવાની પોતાની અશક્તિ દર્શાવી હતી. પરંતુ પોતાને બદલે વિદેશ મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી કીર્તિ વર્ધન સિંહને મોકલવા નિર્ણય કર્યો હતો.
વિશ્લેષકો મોદીનાં આ પગલાંને ઘણું યોગ્ય ગણે છે. કારણ કે તે પરિષદમાં એક તરફ અત્યંત જીભાજોડી થવા સંભવ છે. બીજુ હમાસ ઉપસ્થિત રહેવાનું નથી. તેમાં કોઈ પણ પક્ષ તરફે નિર્ણય લેવાય તો ખરી ફસામણ થાય તેમ છે.
ઇઝરાયલ તરફે ઝૂકાવ જાય તો મુસ્લીમ દેશો નારાજ થાય, પેલેસ્ટાઇન કે હમાસ તરફે નિર્ણય લેવાય તો યુરોપીય દેશો અને અમેરિકા નારાજ થાય. માટે મોદીનું આ પગલું ઘણું જ યોગ્ય છે. તેમ વિશ્લેષકો ફરી ભારપૂર્વક કહે છે.


