India

IPS પૂરન આત્મહત્યા કેસમાં મોટી કાર્યવાહી, DGP શત્રુજીત સહિત 14 અધિકારી સામે કેસ દાખલ

By GS TEAM
10 Oct 20252 mins read
TukuTouch Logo
હરિયાણાના સિનિયર IPS અધિકારી વાય. પૂરન કુમારની આત્મહત્યાના બે દિવસ બાદ ચંદીગઢ પોલીસે ગુરુવારે રાત્રે મોડેથી મોટl કાર્યવાહી કરી. મૃતકના સુસાઇડ નોટમાં નામ આપેલા હરિયાણાના DGP શત્રુજીત કપૂર અને SP રોહતક નરેન્દ્ર બિજારણિયા સહિત કુલ 14 અધિકારીઓ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

IPS પૂરન આત્મહત્યા કેસમાં મોટી કાર્યવાહી, DGP શત્રુજીત સહિત 14 અધિકારી સામે કેસ દાખલ

IPS Puran Case: હરિયાણાના સિનિયર IPS અધિકારી વાય. પૂરન કુમારની આત્મહત્યાના બે દિવસ બાદ ચંદીગઢ પોલીસે ગુરુવારે રાત્રે મોડેથી મોટl કાર્યવાહી કરી. મૃતકના સુસાઇડ નોટમાં નામ આપેલા હરિયાણાના DGP શત્રુજીત કપૂર અને SP રોહતક નરેન્દ્ર બિજારણિયા સહિત કુલ 14 અધિકારીઓ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે.

પરિવાર અને IAS લોબીની સતત માંગ

તમામ આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની ધારા 108 (આત્મહત્યા માટે ઉશ્કેરણી) અને SC/ST એક્ટની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. IPS પૂરન કુમાર (Puran Kumar)ના પરિવારે સતત FIR નોંધવાની માંગ કરી હતી. તેમની પત્ની અને હરિયાણાના સિનિયર IAS અધિકારી અમનીત પી. કુમારને IAS લોબીનો પણ ટેકો મળ્યો હતો, જેમાં ઘણા અધિકારીઓ ગુરુવારે તેમના ઘરે ગયા હતા. પરિવારે ચેતવણી આપી હતી કે જ્યાં સુધી તમામ આરોપીઓ વિરુદ્ધ FIR દાખલ નહીં થાય ત્યાં સુધી તેઓ પોસ્ટમોર્ટમ નહીં થવા દે.

આ પણ વાંચોઃ ભાત-ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મોટા કરાર, હવામાં ઈંધણ કેવી રીતે પૂરાય તે પણ જોયું રાજનાથ સિંહે

પત્નીએ નોંધાવી ફરિયાદ 

શરૂઆતમાં એવું કહેવામાં આવ્યું હતું કે પૂરન કુમારની પુત્રી અમેરિકાથી પાછી ફરવાની હોવાથી પોસ્ટમોર્ટમની પ્રક્રિયા અટકાવવામાં આવી હતી. ગુરુવારે તે પણ ચંદીગઢ પહોંચી ગઈ, પરંતુ FIR નોંધાયા પછી જ પોસ્ટમોર્ટમ શક્ય બન્યું. IAS અમનીત પી. કુમારે જાપાનથી પરત ફર્યા બાદ બુધવારે ચંદીગઢ સેક્ટર-11 પોલીસ સ્ટેશનમાં પતિની સુસાઇડ નોટના આધારે ફરિયાદ નોંધાવી હતી. 7 ઓક્ટોબરના રોજ પૂરન કુમારે સેક્ટર 11 સ્થિત પોતાના ઘરે ગોળી મારીને આત્મહત્યા કરી હતી.

સુસાઇડ નોટમાં જાતિગત ભેદભાવનો આરોપ

તેમણે 8 પાનાની સુસાઇડ નોટ લખી હતી, જેમાં તેમણે આત્મહત્યા માટે વર્તમાન DGP શત્રુજીત કપૂર, SP રોહતક નરેન્દ્ર બિજારણિયા સહિત કેટલાક IPS અને IAS અધિકારીઓના નામ આપ્યા હતા, જેમાં બે પૂર્વ DGPનો પણ સમાવેશ થાય છે. સુસાઇડ નોટમાં તેમણે લખ્યું હતું કે તેમની સાથે ઘણા વર્ષોથી જાતિગત ભેદભાવ કરવામાં આવી રહ્યો હતો અને જ્યારે તેમણે અવાજ ઉઠાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમને હેરાન-પરેશાન કરવામાં આવતા હતા.

આ પણ વાંચોઃ CJI દલિત છે એટલે ઊંચી જાતિના લોકોને સહન નથી થતું, જૂતાકાંડ અંગે ભડક્યા કેન્દ્રીય મંત્રી

મુખ્યમંત્રીએ માહિતી મેળવી 

આ ગંભીર મામલામાં મુખ્યમંત્રી નાયબ સૈનીએ પણ રસ લીધો હતો. તેમણે એડવોકેટ જનરલ સાથે પરામર્શ કર્યો અને મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારીઓ સાથે પણ ચર્ચા કરી. CM સૈનીએ ચંદીગઢ એરપોર્ટ પર DGP શત્રુજીત કપૂર સાથે મુલાકાત કરીને સમગ્ર ઘટનાક્રમની માહિતી પણ મેળવી હતી.

કયા કયા અધિકારી સામે ફરિયાદ 

  1. શત્રુજીત કપૂર, DGP હરિયાણા
  2. અમિતાભ ઢિલ્લોં, ADGP
  3. સંજય કુમાર, ADGP, 1997 બેચ
  4. પંકજ નૈન, IGP 2007 બેચ
  5. કલા રામચંદ્રન, IPS, 1994 બેચ
  6. સંદીપ ખિરવાર, IPS 1995 બેચ
  7. સિબાશ કવિરાજ, IPS 1999 બેચ
  8. મનોજ યાદવ, પૂર્વ DGP, IPS 1988 બેચ
  9. પી.કે. અગ્રવાલ, પૂર્વ DGP, IPS 1988 બેચ
  10. ટીવીએસએન પ્રસાદ, IAS 1988 બેચ
  11. નરેન્દ્ર બિજારણિયા, SP રોહતક
  12. રાજીવ અરોડા, પૂર્વ ACS
  13. કુલિવંદર સિંહ, IG મધુબન
  14. માટા રવિ કિરણ, ADGP, કરનાલ રેન્જ