ટ્રમ્પની ટેરિફ ધમકી વચ્ચે એસ. જયશંકર રશિયા જશે, વેપાર સંબંધો મુદ્દે કરશે મહત્ત્વની ચર્ચા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

S Jaishankar May Visit Russia: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રશિયા સાથે વેપાર કરવા બદલ ભારત પર 50 ટકા ટેરિફનો બોમ્બ ફોડ્યા બાદ ભારત અને રશિયા વચ્ચેના સંબંધો વધુ ગાઢ બની રહ્યા છે. તાજેતરમાં, ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે રશિયાની મુલાકાત લીધી હતી. તેઓ મોસ્કોમાં રશિયન પ્રમુખ પુતિન સહિત અન્ય ટોચના નેતાઓને મળ્યા હતા. હવે સમાચાર આવ્યા છે કે ભારતીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર પણ ટૂંક સમયમાં રશિયાની મુલાકાત લેશે અને ત્યાં રશિયન વિદેશ મંત્રી સેર્ગેઈ લવરોવને મળશે.
રશિયાના વિદેશ મંત્રાલયે આપી માહિતી
રશિયન વિદેશ મંત્રાલયે સોશિયલ મીડિયા પર શેર કરેલી એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકર અને રશિયન વિદેશ મંત્રી સેર્ગેઈ લવરોવ 21 ઑગસ્ટે મોસ્કોમાં મળશે. આ બેઠકમાં આંતરરાષ્ટ્રીય માળખા હેઠળ ઘણા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર સહયોગ પર ચર્ચા કરવામાં આવશે. આ સાથે, બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો પર પણ ચર્ચા કરવામાં આવશે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આ વર્ષના અંતમાં ભારતની મુલાકાત લઈ શકે છે. આવી સ્થિતિમાં, બંને નેતાઓની બેઠકમાં પુતિનની મુલાકાતની તૈયારીઓ પર પણ ચર્ચા થઈ શકે છે.
આ પણ વાંચોઃ ટ્રમ્પ તો ટ્રમ્પ પણ એમના અધિકારીઓ પણ નથી ઝપતાં, ફરી ભારત-પાક. યુદ્ધનો કર્યો ઉલ્લેખ
ભારત-અમેરિકા વચ્ચે તણાવ
વિદેશ મંત્રી જયશંકરની રશિયાની મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે ભારત અને અમેરિકા વચ્ચેના તણાવ સર્જાયો છે. આ તણાવ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર 50 ટકા ટેરિફ લાદવાના નિર્ણય બાદથી વધ્યો છે. અમેરિકાએ રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા અને કથિત રીતે યુક્રેન યુદ્ધને પ્રોત્સાહન આપવા બદલ ભારત પર ટેરિફ લાદ્યો છે. ઉપરાંત, અમેરિકન સરકાર આ દિવસોમાં પાકિસ્તાન સાથે નિકટતા વધારવામાં વ્યસ્ત છે. આવી સ્થિતિમાં, ભારત પણ તેના તમામ વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે.
લશ્કરી તકનીકી સહયોગ પર ચર્ચા
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલની રશિયા મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે લશ્કરી તકનીકી સહયોગ સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ હતી. ભારતમાં રશિયન દૂતાવાસે એક નિવેદન જારી કરીને આ માહિતી આપી હતી. આ સાથે, નાગરિક વિમાન ઉત્પાદન, ધાતુ ઉદ્યોગ અને રાસાયણિક ઉદ્યોગ જેવા અન્ય વ્યૂહાત્મક ક્ષેત્રોમાં સંયુક્ત પ્રોજેક્ટ્સ લાગુ કરવા પર પણ વાતચીત કરી હતી.









