Get The App

ઓપરેશન સિંદૂર દરમિયાન સુવર્ણ મંદિરમાં એર ડિફેન્સ ગન તૈનાત કરવાનો સેનાનો ઇનકાર

Updated: May 20th, 2025

GS TEAM


Google News
Google News
Defense Guns Deployed at Golden Temple


Defense Guns Deployed at Golden Temple: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન અમૃતસરના સુવર્ણ મંદિર સંકુલમાં કોઈ એર ડિફેન્સ ગન કે તૈનાત કરવામાં આવી ન હતી. ભારતીય સેનાએ મંગળવારે એક નિવેદન જારી કરીને આ સ્પષ્ટતા આપી છે. આ નિવેદન એવા અહેવાલો બાદ આવ્યું છે કે સુવર્ણ મંદિરના મેનેજમેન્ટે પાકિસ્તાન તરફથી સંભવિત ડ્રોન અને મિસાઇલ ખતરાનો સામનો કરવા માટે સેનાને મંદિર સંકુલની અંદર એર ડિફેન્સ સિસ્ટમ તૈનાત કરવાની મંજૂરી આપી હતી. 

ભારતીય સેનાએ અટકળોને ફગાવી દીધી

એક નિવેદનમાં, સેનાએ જણાવ્યું હતું કે, 'સુવર્ણ મંદિરમાં એર ડિફેન્સ સિસ્ટમની તૈનાતી અંગે મીડિયામાં કેટલાક અહેવાલો ફરતા થઈ રહ્યા છે. એ સ્પષ્ટ કરવામાં આવે છે કે શ્રી દરબાર સાહિબ અમૃતસર (સુવર્ણ મંદિર) ના સંકુલમાં કોઈ એર ડિફેન્સ સિસ્ટમ કે કોઈ એર ડિફેન્સ ગન તૈનાત કરવામાં આવી ન હતી.'

આ પણ વાંચો: આજે વક્ફ એક્ટ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં મહત્ત્વપૂર્ણ સુનાવણી, વચગાળાનો ચુકાદો આવે તેવી શક્યતા

ગુરુદ્વારાના મુખ્ય ગ્રંથીએ મીડિયાના અહેવાલોને નકારી કાઢ્યા

ઉલ્લેખનીય છે કે એક મીડિયા રિપોર્ટમાં સેનાના એક અધિકારીને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાન તરફથી બદલો લેવાની ધમકીને ધ્યાનમાં રાખીને સુવર્ણ મંદિરમાં એર ડિફેન્સ સિસ્ટમ તૈનાત કરવામાં આવી હતી. આ પછી, શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિના મુખ્ય ગ્રંથીએ આ અહેવાલોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે મંદિરમાં એર ડિફેન્સ સિસ્ટમ તૈનાત કરવામાં આવી નથી.

ઓપરેશન સિંદૂર દરમિયાન સુવર્ણ મંદિરમાં એર ડિફેન્સ ગન તૈનાત કરવાનો સેનાનો ઇનકાર 2 - image

Tags :