India

ભારતની કોર્ટના ચુકાદા પર ટિપ્પણી કરવી પાકિસ્તાનને ભારે પડી, ભારતે આપ્યો જડબાતોડ જવાબ

By GS TEAM
25 Mar 20262 mins read
TukuTouch Logo
આતંકવાદને પ્રોત્સાહન આપનાર પાકિસ્તાનને ભારતની કોર્ટના ચુકાદા પર ટિપ્પણી કરવી ભારે પડી છે. ભારતની કોર્ટે પ્રતિબંધીત આતંકવાદ સંગઠન સાથે જોડાયેલા એક કેસમાં ત્રણ લોકોને સજા સંભળાવ્યા બાદ પાકિસ્તાને આ મુદ્દે પ્રતિક્રિયા આપી હતી, જેને લઈને ભારતે આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતની કોર્ટના ચુકાદા પર ટિપ્પણી કરવી પાકિસ્તાનને ભારે પડી, ભારતે આપ્યો જડબાતોડ જવાબ

India Slams Pakistan Over Judicial Interference : આતંકવાદને પ્રોત્સાહન આપનાર પાકિસ્તાનને ભારતની કોર્ટના ચુકાદા પર ટિપ્પણી કરવી ભારે પડી છે. ભારતની કોર્ટે પ્રતિબંધીત આતંકવાદ સંગઠન સાથે જોડાયેલા એક કેસમાં ત્રણ લોકોને સજા સંભળાવ્યા બાદ પાકિસ્તાને આ મુદ્દે પ્રતિક્રિયા આપી હતી, જેને લઈને ભારતે આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે.

ભારતના આંતરિક મામલામાં ટિપ્પણી કરવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી : જયસ્વાલ

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, ‘પાકિસ્તાને પ્રતિબંધીત આતંકવાદી સંગઠન અને તેના સહયોગીના સમર્થનમાં સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે, જે સ્પષ્ટ રીતે ફગાવીએ છીએ. ભારતની આંતરિક મામલાઓ કે ભારતની ન્યાયીક પ્રક્રિયામાં ટિપ્પણી કરવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી.

ભારતની પાકિસ્તાનને ચેતવણી

તેમણે વધુમાં કહ્યું કે, ‘આશ્ચર્યની વાત એ છે કે, પાકિસ્તાન લાંબા સમયથી આતંકવાદીઓનો પ્રોત્સાહન આપી રહ્યો છે અને તે નિર્દોષ લોકોની હત્યા અને હિંસાને વ્યાજબી ઠેરવતું નિવેદન આપી રહ્યો છે. પાકિસ્તાને ખોટી વાતો ફેલાવવાની અને પાયાવિહોણી કથાઓ વધારવાની બંદ કરવી જોઈએ અને તેણે પોતે કરેલા ગંભીર અને માનવાધિકાર ઉલ્લંઘન પર આત્મચિંતન કરવું જોઈએ.’ વિદેશ મંત્રાલયે પાકિસ્તાને ચેતવણી આપતા કહ્યું કે, તે ભારતના આંતરિક મામલમાં હસ્તક્ષેપ કરવાનું અને આતંકવાદનો સમર્થન આપવું બંધ કરે.

આ પણ વાંચો : ચૂંટણી પહેલા CM મમતા આક્રમક, ભાજપ-ચૂંટણી પંચ પર કર્યો ગંભીર આક્ષેપ

શું હતો મામલો?

વાસ્તવમાં દિલ્હીની વિશેષ NIA કોર્ટે કાશ્મીરી નેતા આસિયા અંદ્રાબીને આજીવન કેદ અને તેના બે સાથી ફહમીદા સોફી અને નાહિદા નસરીનને 30-30 વર્ષની સજા સંભળાવી હતી, જેને લઈને પાકિસ્તાનને વાંધો પડ્યો છે. પાકિસ્તાનને આ ચુકાદાને ‘ન્યાયની મોટી ભૂલ’ ગણાવી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે, ‘આ લોકોને UAPAના કડક કાયદા હેઠળ સજા સંભળાવવામાં આવી છે. આ ચુકાદો ભારતના ગેરકાયદે કબજાવાળા જમ્મુ-કાશ્મીરમાં માનવાધિકાર અને અભિવ્યક્તિની આઝાદીને કચડી નાખવાનું સ્પષ્ટ ઉદાહરણ છે.’

કોર્ટે ત્રણ મહિલાને ફટકારી સજા

ઉલ્લેખનીય છે કે, દિલ્હીની વિશેષ એનઆઈએ કોર્ટે મંગળવારે UAPA કાયદા હેઠળ દુખ્તરાન-એ-મિલ્લતની પ્રમુખ આસિયા અંદ્રાબીને દોષિત ઠેરવી આજીવન જેલની સજા ફટકારી છે. આ ઉપરાંત કોર્ટે તેના બે સાથી સોફી અને નાહિદાને પણ 30-30 વર્ષની સજા સંભળાવી હતી. અગાઉ આ ત્રણેય મહિલાઓને UAPAની કલમ 20, 38 અને 39, તેમજ IPCની કલમ 153A, 153B, 120B, 505 અને 121A હેઠળ દોષિત ઠેરવાઈ હતી.

આ પણ વાંચો : કેન્દ્ર સરકારના ત્રણ મોટા નિર્ણય: દેશમાં 100 નવા એરપોર્ટ અને 200 હેલિપેડ બનાવવાની મંજૂરી, જાણો વિગતવાર