India

નેપાળમાં ચૂંટણી : ભારત-નેપાળ સરહદ ચાર દિવસ માટે થશે બંધ, મેડિકલ ઈમરજન્સીમાં છૂટ

By GS TEAM
27 Feb 20262 mins read
TukuTouch Logo
પડોશી દેશ નેપાળમાં પ્રતિનિધિ સભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારત-નેપાળ આંતરરાષ્ટ્રીય સરહદ આગામી 2 માર્ચથી 5 માર્ચ સુધી સંપૂર્ણ સીલ કરી દેવામાં આવશે. આ સમયગાળા દરમિયાન સરહદ પરના તમામ ઝૂલાપુલ બંધ રહેશે અને કોઈપણ પ્રકારની અવરજવર પર પ્રતિબંધ રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

નેપાળમાં ચૂંટણી : ભારત-નેપાળ સરહદ ચાર દિવસ માટે થશે બંધ, મેડિકલ ઈમરજન્સીમાં છૂટ

India Nepal Border Sealed : પડોશી દેશ નેપાળમાં પ્રતિનિધિ સભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારત-નેપાળ આંતરરાષ્ટ્રીય સરહદ આગામી 2 માર્ચથી 5 માર્ચ સુધી સંપૂર્ણ સીલ કરી દેવામાં આવશે. આ સમયગાળા દરમિયાન સરહદ પરના તમામ ઝૂલાપુલ બંધ રહેશે અને કોઈપણ પ્રકારની અવરજવર પર પ્રતિબંધ રહેશે.

નેપાળ સરકારના પત્ર બાદ ભારત સરકારનો નિર્ણય

નેપાળના દારચુલા (ખલંગા) જિલ્લા પ્રશાસન દ્વારા મોકલવામાં આવેલા પત્રના આધારે ભારતીય વહીવટીતંત્રે આ મહત્વનો નિર્ણય લીધો છે. નેપાળમાં ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ, નિષ્પક્ષ અને સુરક્ષિત રીતે સંપન્ન થાય તે હેતુથી આ કામચલાઉ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. નેપાળના ગૃહ મંત્રાલયે આ અંગે 26 ફેબ્રુઆરીએ સત્તાવાર સંદેશ જાહેર કર્યો હતો.

આ પણ વાંચો : શરતો માનો, નહીં તો હુમલા માટે તૈયાર રહો... જિનીવા બેઠકમાં અમેરિકાની ઈરાન સામે 5 શરત

સુરક્ષા વ્યવસ્થા અને દેખરેખ

અપર જિલ્લા મેજિસ્ટ્રેટ યોગેન્દ્ર સિંહના જણાવ્યા અનુસાર, જિલ્લા મેજિસ્ટ્રેટના નિર્દેશ પર પોલીસ વિભાગ, એસએસબીની સંબંધિત ટુકડીઓ અને પિથોરાગઢ, ડીડીહાટ તેમજ ધારચુલાના ડેપ્યુટી કલેક્ટરોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. તમામ અધિકારીઓને સરહદો અને પુલ પર સઘન ચેકિંગ અને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા જાળવવા સૂચના આપવામાં આવી છે.

મેડિકલ ઈમરજન્સીમાં છૂટ

બહરાઈચના રૂપૈડિહા સ્થિત ઇન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ (ICP)ના ઈન્ચાર્જ સુધીર શર્માએ માહિતી આપી હતી કે 2 માર્ચની મધ્યરાત્રિથી 5 માર્ચની મધ્યરાત્રિ સુધી સરહદ સીલ રહેશે. આ દરમિયાન આઈસીપી દ્વારા માલસામાનની આયાત-નિકાસ પણ બંધ રહેશે. જોકે, દવાઓ અને અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓ તેમજ ગંભીર રીતે બીમાર દર્દીઓ માટે સુરક્ષા દળોની દેખરેખ હેઠળ અવરજવરમાં છૂટછાટ આપવામાં આવી શકે છે.

આ પણ વાંચો : પાક-અફઘાનિસ્તાન યુદ્ધમાં સાઉદીની એન્ટ્રી, 55 સૈનિકોના મોત બાદ રિયાધની શરણમાં શાહબાઝ સરકાર