ભારતમાં પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ ઘટાડાયો પણ આ ઈંધણના ભાવમાં વધારો, નિકાસકારો-એરલાઈન્સને ઝટકો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Petrol Diesel Price Hike: પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ અને ઇરાન-ઇઝરાયલ યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ મોંઘું થયું છે. આ સ્થિતિનો ફાયદો ઉઠાવી રહેલા આંતરરાષ્ટ્રીય કારોબારીઓ પર લગામ કસવા માટે ભારત સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે ભારતમાંથી નિકાસ થતા ડીઝલ અને વિમાનના બળતણ (ATF) પર એક્સપોર્ટ ડ્યુટીમાં વધારો કર્યો છે.
કેમ લેવો પડ્યો આ નિર્ણય?
ક્રૂડ ઓઇલ મોંઘું થવાને કારણે પેટ્રોલ-ડીઝલ બનાવવું ખર્ચાળ બન્યું છે. કેટલાક કારોબારીઓ ભારતમાંથી સસ્તું ડીઝલ અને ATF મંગાવીને વિદેશી બજારોમાં ઊંચા ભાવે વેચી નફો કમાઈ રહ્યા હતા. આ બાબતને ધ્યાનમાં રાખીને ઘરેલું બજારમાં ઇંધણની પૂરતી ઉપલબ્ધતા જાળવી રાખવા માટે સરકારે ડ્યુટી વધારવાનો નિર્ણય લીધો છે.
કેટલી વધી ડ્યુટી?
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સોશિયલ મીડિયા દ્વારા આ અંગેની જાણકારી આપી હતી. નિકાસ થતા ડીઝલ પર પ્રતિ લિટર ₹21.5 ની એક્સપોર્ટ ડ્યુટી લાદવામાં આવી છે. નિકાસ થતા ATF પર પ્રતિ લિટર ₹29.5 ની એક્સપોર્ટ ડ્યુટી લગાવાઈ છે. સાથે જ નાણામંત્રીએ જણાવ્યું કે, પશ્ચિમ એશિયાના સંકટ વચ્ચે સામાન્ય જનતાને રાહત આપવા માટે ઘરેલું ઉપયોગમાં લેવાતા પેટ્રોલ અને ડીઝલ પરની સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટીમાં પ્રતિ લિટર ₹10 નો ઘટાડો કરવામાં આવ્યો છે.
શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
સામાન્ય ગ્રાહકો માટે રાહતના સમાચાર એ છે કે આ નિર્ણયની પેટ્રોલ પંપ પર મળતા ઈંધણના ભાવ પર કોઈ અસર નહીં પડે. દેશની સૌથી મોટી ઓઇલ કંપની ઇન્ડિયન ઓઇલના જણાવ્યા અનુસાર, સરકારના આ નિર્ણયથી ગ્રાહકોએ વધુ કિંમત ચૂકવવી પડશે નહીં અને પેટ્રોલ-ડીઝલના ભાવ યથાવત રહેશે.








