India

કોને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવશે વિપક્ષ? ઈસરોના પૂર્વ વૈજ્ઞાનિક, ગાંધીજીના પ્રપૌત્ર સહિત આ 3 નામ રેસમાં

By GS TEAM
19 Aug 20252 mins read
TukuTouch Logo
NDA દ્વારા મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. બીજી તરફ, વિપક્ષી ગઠબંધન 'ઈન્ડિયા' (I.N.D.I.A.) એ હજુ સુધી પોતાના ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં 'ઈન્ડિયા' બ્લોક એક સંયુક્ત ઉમેદવાર ઉતારશે.

Summarized by AI; it may make mistakes. Check important info

કોને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવશે વિપક્ષ? ઈસરોના પૂર્વ વૈજ્ઞાનિક, ગાંધીજીના પ્રપૌત્ર સહિત આ 3 નામ રેસમાં

India Alliance Vice Presidential Candidate: NDA દ્વારા મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. બીજી તરફ, વિપક્ષી ગઠબંધન 'ઈન્ડિયા' (I.N.D.I.A.) એ હજુ સુધી પોતાના ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં 'ઈન્ડિયા' બ્લોક એક સંયુક્ત ઉમેદવાર ઉતારશે.

આજે થશે 'ઈન્ડિયા' ગઠબંધનના ઉમેદવારની જાહેરાત?

આ બાબતે આજે બપોરે 12:30 વાગ્યે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને સંસદમાં હાજર તમામ વિપક્ષી દળોના નેતાઓની બેઠક બોલાવવામાં આવી છે. આશા છે કે આ બેઠક પછી ઉમેદવારનું નામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે.

કયા નામો પર થઈ રહી છે ચર્ચા?

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, 'ઈન્ડિયા' ગઠબંધનનાં ટોચના નેતાઓ કેટલાક નામો પર ચર્ચા કરી રહ્યા છે. જેમાં પૂર્વ ઈસરો વૈજ્ઞાનિક મૈલસ્વામી અન્નદુરાઈનું નામ પણ સામેલ છે. તેમણે ચંદ્રયાન-1 પરિયોજનાનું નેતૃત્વ કર્યું હતું. આ ઉપરાંત અન્ય એક નામ પણ ચર્ચામાં છે, જે છે તમિલનાડુના DMK સાંસદ તિરુચિ સિવા. આ ઉપરાંત ગાંધીજીના પ્રપૌત્ર અને ઇતિહાસકાર તુષાર ગાંધીનું નામ પણ ઉપરાષ્ટ્રપતિના ઉમેદવાર તરીકે ચર્ચાઈ રહ્યું છે. 

આ પણ વાંચો: ભારે વરસાદથી થંભી ગયું મુંબઈ: ઠેર ઠેર કમરસમા પાણી, શાળા-કોલેજો બંધ, ફ્લાઈટ્સ પર પણ અસર

પીએમ મોદીને મળ્યા રાધાકૃષ્ણન

NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણન સોમવારે દિલ્હી પહોંચ્યા. એરપોર્ટ પર દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓ તેમના સ્વાગત માટે હાજર હતા. તેમનો કાફલો પહેલેથી જ તૈયાર હતો અને આ દરમિયાન તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. દિલ્હી પહોંચ્યા પછી, રાધાકૃષ્ણન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળ્યા.