India

જમ્મુ કાશ્મીરમાં ચિનાબ નદી પર બનશે હાઈડ્રો પ્રોજેક્ટ, કેન્દ્ર સરકારે શરૂ કરી ટેન્ડર પ્રક્રિયા

By GS TEAM
30 Jul 20252 mins read
TukuTouch Logo
સિંધુ જળ સંધિના અસરકારક સસ્પેન્શન પછી કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીરમાં લાંબા સમયથી પડતર 1856 મેગાવોટના સાવલકોટ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટના બાંધકામ માટે ટેન્ડર બહાર પાડ્યા છે. કેન્દ્રશાસિત પ્રદેશના રામબન અને ઉધમપુર જિલ્લામાં ચિનાબ નદી પર સાવલકોટ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્લાન્ટની શરૂ કરવાનો વિચાર વર્ષ 1984માં કરવામાં આવ્યો હતો, પરંતુ સિંધુ જળ સંધિને લઈને પાકિસ્તાન દ્વારા ઉઠાવવામાં આવેલા વાંધાને કારણે વર્ષો સુધી તે અટવાઈ ગયો હતો. આ પ્રોજેક્ટની દેખરેખ નેશનલ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન (NHPC) રાખશે, જેનો ખર્ચ 209 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવશે અને 113 મહિનાનો લક્ષ્યાંક પૂર્ણ કરવાનો રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

જમ્મુ કાશ્મીરમાં ચિનાબ નદી પર બનશે હાઈડ્રો પ્રોજેક્ટ, કેન્દ્ર સરકારે શરૂ કરી ટેન્ડર પ્રક્રિયા

Hydro Project On Chenab River : સિંધુ જળ સંધિના અસરકારક સસ્પેન્શન પછી કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીરમાં લાંબા સમયથી પડતર 1856 મેગાવોટના સાવલકોટ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટના બાંધકામ માટે ટેન્ડર બહાર પાડ્યા છે. કેન્દ્રશાસિત પ્રદેશના રામબન અને ઉધમપુર જિલ્લામાં ચિનાબ નદી પર સાવલકોટ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્લાન્ટની શરૂ કરવાનો વિચાર વર્ષ 1984માં કરવામાં આવ્યો હતો, પરંતુ સિંધુ જળ સંધિને લઈને પાકિસ્તાન દ્વારા ઉઠાવવામાં આવેલા વાંધાને કારણે વર્ષો સુધી તે અટવાઈ ગયો હતો. આ પ્રોજેક્ટની દેખરેખ નેશનલ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન (NHPC) રાખશે, જેનો ખર્ચ 209 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવશે અને 113 મહિનાનો લક્ષ્યાંક પૂર્ણ કરવાનો રહેશે.

હાઈડ્રો પ્રોજેક્ટ તૈયાર થયા બાદ વાર્ષિક 7,994.73 મિલિયન યુનિટ ઊર્જા ઉત્પન્ન થવાની શક્યતા છે. જેનાથી ઉર્જાની અછત ધરાવતા ઉત્તરીય ગ્રીડમાં વીજ પુરવઠો વધશે અને પ્રદેશમાં ઔદ્યોગિક વિકાસમાં મદદ મળી રહેશે. આ પ્રોજેક્ટ સરકાર દ્વારા જમ્મુ અને કાશ્મીરમાં 5,388 મેગાવોટની કુલ સ્થાપિત ક્ષમતા સાથે સાત મુખ્ય હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ્સ બનાવવા માટેની વ્યાપક યોજનાનો એક ભાગ છે.

આ પણ વાંચો: ‘બિહારમાં 80,000 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું’ તેજસ્વી યાદવે નીતીશ સરકાર પર સાધ્યું નિશાન

જમ્મુ અને કાશ્મીરના પહલગામ હુમલામાં 26 નિર્દોષ પ્રવાસીઓના મોત નીપજ્યા હતા. આ પછી ભારતે પાકિસ્તાન સામે અનેક પગલાં લેવાની જાહેરાત કરી હતી, જેમાં સિંધુ જળ સંધિને સ્થગિત કરવી, પાકિસ્તાની લશ્કરી જોડાણોને હાંકી કાઢવા અને અટારી લેન્ડ-ટ્રાન્ઝિટ પોસ્ટને તાત્કાલિક બંધ કરવાને લઈને નિર્ણય લેવાયો હતો.