Get The App

શિલોંગમાં હનીમૂનની જીદ, પછી કરાવી પતિની હત્યા, રાજા રઘુવંશી મર્ડર કેસમાં મોટો ખુલાસો

Updated: Jun 9th, 2025

GS TEAM


Google News
Google News
શિલોંગમાં હનીમૂનની જીદ, પછી કરાવી પતિની હત્યા, રાજા રઘુવંશી મર્ડર કેસમાં મોટો ખુલાસો 1 - image


Raja Raghuvanshi Case Update: રાજા રઘુવંશીની હત્યાના મામલે એક મોટો ખુલાસો થયો છે. તપાસમાં સામે આવ્યું કે, સોનમ રઘુવંશી ખુદ આ કાવતરામાં સામેલ હતી અને તેણે હત્યારાઓ સાથે મળીને શિલોંગ જવાની યોજના બનાવી હતી. 

પહેલાથી જ નક્કી હતી યોજના

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાજાની હત્યા બાદ સોનમ અને બાકીના આરોપી એકસાથે ટ્રેનથી પરત ફર્યા હતા. આ આખી યોજના પહેલાથી જ નક્કી હતી, જેનો હેતુ રાજાની હત્યાનો જ હતો. પોલીસે સોનમ અને બાકીના આરોપીઓ સાથે પૂછપરછ શરૂ કરી છે. જલ્દી જ તમામ પુરાવા અને નિવેદનોના આધારે હત્યાકાંડની આખી કહાણીનો ખુલાસો કરવામાં આવશે. 

આ પણ વાંચોઃ હનીમૂન વખતે સોનમે જ પતિની હત્યા કરાવી હતી, મેઘાલય હત્યાકાંડમાં 16 દિવસના સસ્પેન્સનો અંત

પોલીસે ત્રણ લોકોને બનાવ્યા આરોપી

આ મામલે પોલીસે ત્રણ લોકોને આરોપી બનાવ્યા છે. ધરપકડ કરાયેલા આરોપીમાં વિક્કી ઠાકુર, આનંદ અને રાજ કુશવાહ સામેલ છે. પોલીસ તપાસમાં જાણ થઈ કે, આ કાવતરાનો મુખ્ય માસ્ટર માઇન્ડ રાજ કુશવાહ હતો, જે સતત સોનમ રઘુવંશીના સંપર્કમાં હતો. કૉલ ડિટેલ રેકોર્ડ (CDR)ની મદદથી પોલીસે તેને ટ્રેસ કરી ઝડપી પાડ્યો હતો. 

આ પણ વાંચોઃ યુપી : ભાજપના ધારાસભ્યની દીકરીની 'દાદાગીરી', કાર સાથે ટક્કર થતાં મા-દીકરીને ઘરમાં ઘૂસી માર્યા

સૌથી પહેલો હુમલો આનંદે કર્યો અને બાદમાં વિક્કી અને રાજે મળીને સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસને આ આખાય ષડયંત્રની જાણકારી ત્યારે મળી જ્યારે ઇન્દોર ક્રાઇમ બ્રાન્ચે ગાઝીપુર પોલીસને મહત્ત્વપૂર્ણ પુરાવા આપ્યા. વળી, સોનમ રઘુવંશીએ ખુદ નંદગંજ પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કરી દીધી હતું, જ્યાંથી તેની અટકાયત કરવામાં આવી છે. પોલીસ આ મામલે અન્ય કડી જોડવાનો પ્રયાસ કરી રહી છે. 

Tags :