Coronavirus: છેલ્લા 24 કલાકમાં 1211 નવા કેસ, 31નાં મોત, કુલ પોઝિટિવ કેસ 10363
નવી દિલ્હી, 14 એપ્રિલ 2020 મંગળવાર
દેશમાં કોરોના વાયરસનાં દર્દીઓની સંખ્યામાં દિનપ્રતિદિન વૃધ્ધિ જોવા મળી રહી છે, આરોગ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19નાં 1211 નવા કેસ નોંધાયા છે, તે ઉપરાંત 31 લોકોનાં મોત થઇ ચુક્યા છે.
આરોગ્ય મંત્રાલયએ જણાવ્યું કે કોરોના વાયરસથી સંક્રમિત 1036 લોકો સાજા પણ થઇ ચુક્યા છે, કાલે જ દિવસમાં 179 લોકો સાજા થયા, અત્યાર સુધી 10363 કેસ નોંધાયા છે.
કાલે એક જ દિવસમાં 1011 લોકો પોઝિટિવ મળ્યા, ત્યાં જ દેશમાં કોરોના વાયરસથી મરનારાની સંખ્યા અત્યાર સુધીમાં 339 પહોંચી છે.
ICMRએ કહ્યું કે દેશભરમાં કોરોના વાયરસનાં અત્યાર સુધી 2 લાખ 31 હજાર ટેસ્ટ કરવામાં આવ્યા છે, કાલે 21,635 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે, કાલ સુધી કુલ 2 લાખ 31 હજાર 903 લોકોનો ટેસ્ટ થઇ ચુક્યો છે.
Fresh 1,211 coronavirus cases and 31 deaths reported in last 24 hours: Health Ministry
— Press Trust of India (@PTI_News) April 14, 2020