India

VIDEO: મહારાષ્ટ્રના થાણેમાં કરુણાંતિકા, બેફામ કારે અનેક વાહનો ફંગોળી નાખ્યા, 4 લોકોના મોત

By GS TEAM
22 Nov 20252 mins read
TukuTouch Logo
મહારાષ્ટ્રના થાણે જિલ્લાના અંબરનાથ શહેરમાં શુક્રવારે (21મી નવેમ્બર) સાંજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અહેવાલો અનુસાર, શહેરના ફ્લાયઓવર પર એક કાર ચાલકને અચાનક હૃદયરોગનો હુમલો આવતા, કાર બેકાબૂ થઈ ગઈ હતી અને સામેથી આવતા અનેક વાહનો સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી. આ ભીષણ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે અને અન્ય ત્રણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: મહારાષ્ટ્રના થાણેમાં કરુણાંતિકા, બેફામ કારે અનેક વાહનો ફંગોળી નાખ્યા, 4 લોકોના મોત

Thane Accident: મહારાષ્ટ્રના થાણે જિલ્લાના અંબરનાથ શહેરમાં શુક્રવારે (21મી નવેમ્બર) સાંજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અહેવાલો અનુસાર, શહેરના ફ્લાયઓવર પર એક કાર ચાલકને અચાનક હૃદયરોગનો હુમલો આવતા, કાર બેકાબૂ થઈ ગઈ હતી અને સામેથી આવતા અનેક વાહનો સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી. આ ભીષણ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે અને અન્ય ત્રણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.


ઘટનાના CCTV સામે આવ્યા

આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમા શુક્રવારે સાંજે 6:42 વાગ્યે, ફ્લાયઓવર પર એક ઝડપી કાર ચારથી પાંચ વાહનો સાથે અથડાઈ, જેમાં સામેથી આવી રહેલા બે ટુ-વ્હીલરનો પણ સમાવેશ થાય છે, અને કાર પલટી ગઈ. વીડિયોમાં દેખાય છે કે કાર બાઇક સાથે અથડાઈ રહી છે, જેના કારણે એક બાઇક સવાર હવામાં ઘણાં ફૂટ ઉછળીને ફ્લાયઓવરની બીજી બાજુ પડ્યો હતો.

આ અકસ્માતમાં કાર ચાલક સહિત ચાર લોકોના મોત થયા હતા. અન્ય ત્રણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેમની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળે છે.

આ પણ વાંચો: પિતા યુટ્યુબ પર એર શોનો વીડિયો સર્ચ કરતા હતા અને ત્યારે જ વિંગ કમાન્ડરના મોતના અહેવાલ આવ્યા

હૃદયરોગનો હુમલો  અકસ્માતનું કારણ

પોલીસના પ્રાથમિક અહેવાલો અને ઘટનાના સંજોગો અનુસાર, અકસ્માતનું મુખ્ય કારણ કાર ચાલકને આવેલો હૃદયરોગનો હુમલો છે. કારચાલકને અચાનક હૃદયરોગનો હુમલો આવતાં તેણે કાર પરનું સંતુલન ગુમાવ્યું હતું, જેના પરિણામે આ ગંભીર અકસ્માત સર્જાયો. અકસ્માત બાદ ફ્લાયઓવર અને રસ્તા બંને પર લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે કેસ નોંધીને ઘટનાના ચોક્કસ કારણની તપાસ શરૂ કરી છે.