Get The App

રેલવે ટ્રેક ઓળંગતા 5 લોકો ટ્રેન નીચે કચડાયા, ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં માતમ પ્રસર્યો

Updated: Dec 25th, 2025

GS TEAM

Google News
Google News
રેલવે ટ્રેક ઓળંગતા 5 લોકો ટ્રેન નીચે કચડાયા, ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં માતમ પ્રસર્યો 1 - image


Railway Accident: ઉત્તર પ્રદેશમાં રોઝા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા ભયાનક ટ્રેન અકસ્માતમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. આ અકસ્માત ત્યારે થયો જ્યારે બે પુરુષો, એક મહિલા અને બે બાળકો એક જ બાઇક પર પગપાળા ક્રોસિંગ પરથી રેલ્વે ટ્રેક ક્રોસ કરી રહ્યા હતા. આ દરમિયાન એક ઝડપી માલગાડીએ ટક્કર મારી હતી, જેના કારણે તમામના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. 

આ પણ વાંચોઃ કર્ણાટકમાં કરુણાંતિકા, ટ્રક અને બસ વચ્ચે ભીષણ ટક્કર; 17 લોકો જીવતા બળીને ખાખ

રેલવે પોલીસે હાથ ધરી તપાસ

ઘટનાની માહિતી મળતા જ રેલવે પોલીસ અને સિવિલ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે પાંચેય મૃતદેહોનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. અકસ્માત બાદ વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. પોલીસ હાલ ઘટનાસ્થળે તપાસ કરી રહ્યું છે.

કેવી રીતે થયો અકસ્માત?

પ્રાથમિક તપાસ મુજબ, રોઝા પોલીસ સ્ટેશન વિસ્તારના બાંકા ગામના રહેવાસી હરિઓમ સૈની, તેમના સાળા સેઠપાલ અને ભાભી પૂજા, બે બાળકો સૂર્યા અને નિધિ સાથે, સ્થાનિક બજારમાંથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે રોઝા પાવર કેબિન નજીક રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે તેઓ એક માલગાડીની અડફેટે આવી ગયા, જેના પરિણામે પાંચેયના દુઃખદ મોત થયા. પોલીસ કેસના તમામ પાસાઓની સંપૂર્ણ તપાસ કરી રહી છે.

આ પણ વાંચોઃ ઇસરોએ ઇતિહાસ રચ્યો : સૌથી વજનદાર સેટેલાઈટ લોન્ચ કર્યો

પોલીસે જણાવ્યું હતું કે, રોઝા વિસ્તારમાં માલગાડીની ટક્કરથી પાંચ લોકોના મોત થયા છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. રોઝા પોલીસ સ્ટેશન અને રેલવે પોલીસને આ મામલાની તપાસ કરવા અને આગળની કાર્યવાહી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.