India

'કાગળ પર સહી કરો અથવા દેશની માફી માગો...' રાહુલ ગાંધીને ફરી ચૂંટણી પંચનો પડકાર

By GS TEAM
8 Aug 20252 mins read
TukuTouch Logo
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સતત ચૂંટણી પંચ પર મતદાર યાદીમાં છેડછાડનો આરોપ લગાવી રહ્યા છે. તાજેતરનો મામલો કર્ણાટકનો છે, જ્યાં રાહુલ ગાંધીએ એક લાખ મત ચોરી કરવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે મત ચોરી કરવામાં આવી રહ્યા છે. આ કિસ્સામાં ચૂંટણી પંચે તેમને એક સોગંદનામું મોકલ્યું હતું અને કહ્યું હતું કે આના પર હસ્તાક્ષર કરો કે તમે જે કહી રહ્યા છે તે સાચું છે. જો તે ખોટું જણાશે તો તમારી સામે કાનૂની કાર્યવાહી થવી જોઈએ. અત્યાર સુધી, રાહુલ ગાંધી કે કોંગ્રેસ તરફથી આ સોગંદનામા અંગે કોઈ જવાબ આવ્યો નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

'કાગળ પર સહી કરો અથવા દેશની માફી માગો...' રાહુલ ગાંધીને ફરી ચૂંટણી પંચનો પડકાર

EC on Rahul Gandhi News : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સતત ચૂંટણી પંચ પર મતદાર યાદીમાં છેડછાડનો આરોપ લગાવી રહ્યા છે. તાજેતરનો મામલો કર્ણાટકનો છે જ્યાં રાહુલ ગાંધીએ એક લાખ મત ચોરી કરવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે ચૂંટણીપંચ દ્વારા મત ચોરી કરવામાં આવી રહ્યા છે. આ કિસ્સામાં ચૂંટણી પંચે તેમને એક સોગંદનામું મોકલ્યું હતું અને કહ્યું હતું કે આના પર હસ્તાક્ષર કરો કે તમે જે કહી રહ્યા છે તે સાચું છે. જો તે ખોટું જણાશે તો તમારી સામે કાનૂની કાર્યવાહી થવી જોઈએ. અત્યાર સુધી, રાહુલ ગાંધી કે કોંગ્રેસ તરફથી આ સોગંદનામા અંગે કોઈ જવાબ આવ્યો નથી. 

ચૂંટણી પંચે શું કહ્યું? 

આ દરમિયાન, ચૂંટણી પંચે ફરી એકવાર રાહુલ ગાંધીને કાગળ પર સહી કરવા અથવા દેશની માફી માંગવા પડકાર ફેંક્યો છે. ચૂંટણી પંચનું કહેવું છે કે જો રાહુલ ગાંધીને લાગે છે કે તેમનું વિશ્લેષણ સાચો છે અને અમારા પર લાગેલા આરોપો સાચા છે, તો તેમને ઢંઢેરામાં સામેલ કરવામાં કોઈ સમસ્યા ન થવી જોઈએ. જો રાહુલ ગાંધી કાગળ પર સહી નથી કરતા તો તેનો અર્થ એ છે કે તેમને પોતાની વાત પર વિશ્વાસ નથી. તેમને નથી લાગતું કે તેમનું વિશ્લેષણ સાચું છે. આ સ્પષ્ટ કરે છે કે તેમના દાવા ખોટા છે. આવી સ્થિતિમાં, તેમણે ખોટા આરોપો કરવા અને ચૂંટણી પ્રણાલીમાં લોકોનો વિશ્વાસ ઘટાડવા બદલ દેશની માફી માંગવી જોઈએ.

આ પણ વાંચોઃ 'વોટ ચોરી એ બંધારણ સાથે દગો, ગમે તે ભોગે...', રાહુલ ગાંધીએ બેંગ્લુરુમાં વોટ અધિકાર રેલીને સંબોધી

ચૂંટણી પંચે બે વિકલ્પ આપ્યા 

ચૂંટણી પંચે રાહુલ ગાંધીને બે વિકલ્પો આપ્યા છે - કાં તો તે કાગળ પર સહી કરે અથવા દેશની માફી માંગી લે. જોકે, રાહુલ ગાંધી હજુ તેમની વાત પર અડગ છે. કોંગ્રેસ બેંગ્લુરુમાં વોટ અધિકારી રેલી યોજી હતી અને તેમાં ફરીથી ચૂંટણી પંચ પર આરોપ લગાવ્યો અને કહ્યું કે સમય બદલાશે ત્યારે સજા આપવામાં આવશે.