India

દિગ્વિજય સિંહે દિલ્હી રમખાણ આરોપીને નિર્દોષ ગણાવતા ભાજપ ભડક્યું, કહ્યું- ‘પાકિસ્તાન જતા રહો’

By GS TEAM
3 Nov 20252 mins read
TukuTouch Logo
કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કરીને દિલ્હી રમખાણોના આરોપી ઉમર ખાલિદને સમર્થન આપ્યું છે અને તેને નિર્દોશ ગણાવીને તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરી છે. આ માંગણી સુપ્રીમ કોર્ટની સુનાવણી પહેલા કરવામાં આવી હતી. ભાજપના ધારાસભ્ય રામેશ્વર શર્માએ આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, દિગ્વિજય સિંહનું વર્તન એક પાકિસ્તાનીઓ જેવું છે, તેમને આતંકવાદીઓ વિશે ચિંતા છે, તેથી હવે તેમને પાકિસ્તાન જતું રહેવું જોઈએ.

Summarized by AI; it may make mistakes. Check important info

દિગ્વિજય સિંહે દિલ્હી રમખાણ આરોપીને નિર્દોષ ગણાવતા ભાજપ ભડક્યું, કહ્યું- ‘પાકિસ્તાન જતા રહો’

Digvijay Singh acquits Delhi riots accused: કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કરીને દિલ્હી રમખાણોના આરોપી ઉમર ખાલિદને સમર્થન આપ્યું છે અને તેને નિર્દોશ ગણાવીને તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરી છે. આ માંગણી સુપ્રીમ કોર્ટની સુનાવણી પહેલા કરવામાં આવી હતી. ભાજપના ધારાસભ્ય રામેશ્વર શર્માએ આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, દિગ્વિજય સિંહનું વર્તન એક પાકિસ્તાનીઓ જેવું છે, તેમને આતંકવાદીઓ વિશે ચિંતા છે, તેથી હવે તેમને પાકિસ્તાન જતું રહેવું જોઈએ. 

આ પણ વાંચો: ‘રાજકારણ પરિવારોની મિલકત નથી’ થરૂરે અનેક નેતાના નામ સાથે વંશવાદ પર સાધ્યું નિશાન

ઉમર ખાલિદને નિર્દોષ ગણાવ્યો

દિગ્વિજય સિંહે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ 'X' પર પોસ્ટ કરીને લખ્યું છે કે, 'ઉમર ખાલિદ નિર્દોષ છે અને તેની સાથે અન્યાય થઈ રહ્યો છે.' આ ઉપરાંત તેમણે ભારપૂર્વક એમ પણ જણાવ્યું કે, 'ઉમર ખાલિદ એક પીએચડી સ્કોલર છે અને કોઈપણ દ્રષ્ટિએ તે દેશદ્રોહી નથી. તેથી ઉમર ખાલિદને તાત્કાલિક મુક્ત કરવો જોઈએ.'

સુપ્રીમ કોર્ટમાં થવાની સુનાવણી

આ માંગ એવા સમયે કરવામાં આવી છે, જ્યારે દિલ્હી રમખાણોનું કાવતરું રચવાના આરોપમાં UAPA હેઠળ છેલ્લા પાંચ વર્ષથી જેલમાં બંધ છે અને સુપ્રીમ કોર્ટ ઉમર ખાલિદની જામીન અરજી પર સુનાવણી કરવાની છે. દિગ્વિજય સિંહે સુનાવણી પહેલા જ આ માંગણી કરીને રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવી દીધો છે.

ભાજપના ધારાસભ્ય રામેશ્વર શર્માના આકરા પ્રહાર

દિગ્વિજય સિંહના આ સમર્થન પર મધ્યપ્રદેશના ભાજપના ધારાસભ્ય રામેશ્વર શર્માએ આકરી ટીકા કરી છે. તેમણે દિગ્વિજય સિંહના નિવેદન પર ગંભીર આરોપો લગાવ્યા છે. રામેશ્વર શર્માએ કહ્યું કે, 'તેમને એ વાત પર શંકા છે કે, દિગ્વિજય સિંહ મધ્યપ્રદેશ કે ભારતના નાગરિક છે કે નહીં. તેમણે કહ્યું કે, દિગ્વિજય સિંહ ભલે ભારતમાં જન્મ્યા હોય પરંતુ તેમનું વર્તન અને વર્તન સંપૂર્ણપણે પાકિસ્તાનીઓ જેવું લાગે છે.'

ભાજપના ધારાસભ્યએ વધુમાં કહ્યું કે, 'દિગ્વિજય સિંહને ભારતીયોની નહીં, પરંતુ આતંકવાદીઓની વધુ ચિંતા થઈ રહી છે.  દિગ્વિજય સિંહ ભારતીય ન્યાયતંત્ર પર વિશ્વાસ કરતા નથી અને તેઓ આતંકવાદીઓને "જી" કહીને સંબોધે છે.

'પાકિસ્તાનમાં જઈને સ્થાયી થઈ જાવ'

રામેશ્વર શર્મા અહીં અટક્યા નહીં. તેમણે દિગ્વિજય સિંહ પર આતંકવાદીઓ પ્રત્યે આદર રાખવાનો આરોપ લગાવ્યો હતો અને તેમને પાકિસ્તાનમાં જઈને સ્થાયી થવાની સલાહ આપી હતી.

આ પણ વાંચો: PHOTO : રોડ પર મોતનું તાંડવ... છેલ્લા 24 કલાકમાં પાંચ અકસ્માત, 60ના મોત, 42ને ઈજા

શર્માએ કોંગ્રેસ પાર્ટીને સલાહ આપતા કહ્યું કે, 'હું કોંગ્રેસ મિત્રોને વિનંતી કરું છું કે, જ્યાં સુધી દિગ્વિજય સિંહ જી અહીં છે, ત્યાં સુધી તેઓ તમારો પણ નાશ કરશે.' ભાજપના ધારાસભ્યના આ નિવેદનથી રાજકીય વિવાદ વધુ ઘેરો બન્યો છે.