India

આતંકવાદી ઉમરનો દિલ્હી બ્લાસ્ટ અગાઉનો વીડિયો વાઇરલ, સુસાઇડ બોમ્બિંગના વખાણ કરતો દેખાયો

By GS TEAM
18 Nov 20252 mins read
TukuTouch Logo
લાલ કિલ્લા બ્લાસ્ટને અંજામ આપનાર આતંકવાદી મોહમ્મદ ઉમર નબીનો એક નવો વીડિયો હાલમાં સામે આવ્યો છે. આ વીડિયોમાં તે અંગ્રેજીમાં વાત કરતો જોવા મળે છે અને ખૂબ જ શાંતિથી, માથું હલાવી-હલાવીને, કેમેરા સામે બેસીને આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ (સુસાઇડ બોમ્બિંગ)ના કૃત્યને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કરી રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આતંકવાદી ઉમરનો દિલ્હી બ્લાસ્ટ અગાઉનો વીડિયો વાઇરલ, સુસાઇડ બોમ્બિંગના વખાણ કરતો દેખાયો

Terrorist Umar Nabi New Video: લાલ કિલ્લા બ્લાસ્ટને અંજામ આપનાર આતંકવાદી મોહમ્મદ ઉમર નબીનો એક નવો વીડિયો હાલમાં સામે આવ્યો છે. આ વીડિયોમાં તે અંગ્રેજીમાં વાત કરતો જોવા મળે છે અને ખૂબ જ શાંતિથી, માથું હલાવી-હલાવીને, કેમેરા સામે બેસીને આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ(સુસાઇડ બોમ્બિંગ)ના કૃત્યને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કરી રહ્યો છે.

આતંકી ઉમર વાઇરલ વીડિયોમાં સુસાઇડ બોમ્બિંગના વખાણ કરતો દેખાયો 

વીડિયોમાં, આતંકી ઉમર નબી દલીલ કરે છે કે સુસાઇડ બોમ્બિંગના વિચારની યોગ્ય સમજણનો અભાવ છે, જેના પરિણામે તેની વિરુદ્ધ અનેક વિરોધાભાસો અને અસંખ્ય દલીલો રજૂ કરવામાં આવે છે. ઉમરના મતે, 'લોકોની સૌથી મોટી ભૂલ એ છે કે તેઓ બોમ્બ વિસ્ફોટ અથવા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટનો વાસ્તવિક વિચાર શું છે, તે સમજવામાં નિષ્ફળ જાય છે.'

સુસાઇડ બોમ્બિંગ હુમલાની સમસ્યા

ઉમર નબી સમજાવે છે કે, સુસાઇડ બોમ્બિંગ સાથે સંકળાયેલી મુખ્ય સમસ્યા એ છે કે, જો કોઈ વ્યક્તિ એવું માની લે કે તેનો અંત (મૃત્યુ) એક ચોક્કસ સમય અને જગ્યાએ નિશ્ચિત છે, તો તે વ્યક્તિ ખતરનાક માનસિક સ્થિતિમાં ધકેલાઈ જાય છે. પરિણામે, તે માને છે કે માત્ર મૃત્યુ જ તેનું લક્ષ્ય અથવા એકમાત્ર મંઝિલ છે.

તપાસ એજન્સીઓ માટે કડી

જોકે, વીડિયો અહીં સમાપ્ત થઈ જાય છે, જેના કારણે આત્મઘાતી સુસાઇડ બોમ્બિંગ વિશેના તેના વધુ વિચારો જાણી શકાતા નથી. તેમ છતાં, વીડિયોના અંતમાં તે એક વિરોધાભાસી નિવેદન આપે છે પણ સચ્ચાઈ એ છે કે આ પ્રકારની વિચારસરણી કે આવી પરિસ્થિતિઓ, કોઈપણ લોકશાહી કે માનવીય વ્યવસ્થામાં સ્વીકાર્ય નથી, કારણ કે તે જીવન, સમાજ અને કાયદાના મૂળભૂત સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે. તપાસ એજન્સીઓને આ વીડિયો આતંકી ઉમરના માનસિક ઝુકાવ અને વિચારધારાને સમજવામાં મદદ કરી શકે છે, જેણે તેને આવા મોટા હુમલા માટે પ્રેરિત કર્યો.

આ પણ વાંચો: રાજકારણ નહીં છોડે પ્રશાંત કિશોર: પ્રાયશ્ચિત માટે કરશે મૌન ઉપવાસ, કહ્યું- નીતિશ કુમારે પૈસા વહેંચી મત ખરીદ્યા

કોણ હતો આતંકી ડૉ. ઉમર?

લાલ કિલ્લા બ્લાસ્ટનો આરોપી આતંકવાદી મોહમ્મદ ઉમર નબી, મૂળરૂપે પુલવામાના કોઇલ ગામનો રહેવાસી હતો. પોલીસ સૂત્રોના મતે, તેને ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં ખૂબ જ ઊંડો રસ હતો. તાજેતરના મહિનાઓમાં ઉમરના વ્યવહારમાં પરિવર્તન આવ્યું હતું. 30 ઑક્ટોબરથી તેણે ફરીદાબાદ સ્થિત અલ-ફલાહ યુનિવર્સિટીમાં તેની નોકરી છોડી દીધી હતી. ત્યારથી તે સતત ફરીદાબાદ અને દિલ્હી વચ્ચે અવરજવર કરતો હતો અને આ સમયગાળા દરમિયાન તે વારંવાર રામલીલા મેદાન તેમજ સુનહરી મસ્જિદ નજીકની મસ્જિદોમાં રોકાતો હતો.

પોલીસના કહેવા મુજબ, 9 નવેમ્બરના રોજ ફરીદાબાદમાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી, જેમાં એક ગોદામમાંથી લગભગ 2900 કિલો વિસ્ફોટક મળી આવ્યું. આ દરોડા બાદથી જ ઉમર લાપતા થઈ ગયો હતો.