Covid-19: સચિન ફરી એક વખત મદદ માટે આગળ આવ્યો, ગરીબોને આ રીતે કરશે મદદ
મુંબઈ, 10 એપ્રિલ 2020 શુક્રવાર
કોવિડ-19 મહામારી વિરુદ્ધની લડાઈમાં તમામ હસ્તીઓ મદદ માટે આગળ આવી રહી છે. આ ક્રમમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે 50 લાખ રૂપિયાની મદદ કરી હતી. તેણે પ્રધાનમંત્રી રિલીઝ ફંડ અને ચીફ મિનિસ્ટર રિલીફ ફંડમાં 25-25 રૂપિયા ડોનેટ કર્યા હતા.
હવે તેણે ફરી એકવાર જરૂરિયાતમંદોની મદદ કરવા માટે એક મોટો નિર્ણય લીધો છે. સચિને હવે એક મહિનામાં પાંચ હજાર લોકોને જમાડવાનો નિર્ણય લીધો છે. એક NGO અપનાલયે આ વિશે ટ્વીટ કરીને જાણકારી આપી છે.
સંસ્થાએ સચિનનો આભાર વ્યક્ત કરતા લખ્યું કે, ‘અપનાલયની મદદ કરવા માટે આભાર સચિન તેંડલકર. અપનાલય આ લૉકડાઉન દરમિયાન સૌથી વધુ મુશ્કેલીમાંથી પસાર થઈ રહેલા લોકોની મદદ કરે છે.
તે એક મહિનામાં આશરે 5000 લોકોના કરિયાણાની જવાબદારી લેશે.’ સચિન મુંબઇનાં શિવાજી નગર અને ગોવાંડી વિસ્તારમાં 5 હજાર લોકોને એક મહિના સુંધી કરીયાણું આપશે.
સચિને અપનાલયનાં ટ્વીટનો જવાબ આપતા કહ્યું કે "અપનાલયને શુભકામનાઓ અને જરૂરીયાતવાળા લોકો માટે પોતાનું કામ ચાલું રાખો".
Thankyou,@sachin_rt for stepping in & helping Apnalaya help the ones suffering the most during this lockdown.He will be taking care of the ration of around 5000 people for a month.There are many more individuals who need your support, people! Donate below! https://t.co/D5IPWWfnLd
— Apnalaya (@ApnalayaTweets) April 9, 2020
My best wishes to @ApnalayaTweets to continue your work in the service of the distressed and needy. Keep up your good work.🙏🏻 https://t.co/1ZPVLK7fFb
— Sachin Tendulkar (@sachin_rt) April 9, 2020