Get The App

COVID-19 Live : દેશમાં છેલ્લા 24 કલાકમાં 909 નવા કેસ, 34 મોત, કુલ 7367 પોઝિટિવ

Updated: Apr 12th, 2020

GS TEAM

Google News
Google News
COVID-19 Live : દેશમાં છેલ્લા 24 કલાકમાં 909 નવા કેસ, 34 મોત, કુલ 7367 પોઝિટિવ 1 - image

નવી દિલ્હી, 12 એપ્રિલ 2020 રવિવાર

ભારતમાં વિદેશી નાગરિકો સહિતના કોરોના વાયરસ રોગચાળાથી સંક્રમિત લોકોની સંખ્યા રવિવાર (12 એપ્રિલ) ના રોજ વધીને 8356 થઈ ગઈ છે. આ માહિતી કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે પત્રકાર પરિષદમાં આપી હતી.

મંત્રાલયે શનિવારે જારી કરેલા આંકડામાં જણાવ્યું છે કે દેશમાં કોવિડ -19 ચેપને કારણે 273 લોકોનાં મોત થયાં છે અને હાલમાં કુલ 7367 લોકો રોગચાળાથી સંક્રમિત છે. ત્યાં જ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 909 નવા કેસ નોંધાયા છે.

જ્યારે આ વાયરસને કારણે 34 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને અત્યાર સુધીમાં કુલ 716 (1 સ્થળાંતરિત) દર્દીઓ આ રોગથી સાજા થઇ ચુક્યા છે.

છેલ્લા કેટલાક દિવસોમાં સરેરાશ 15747 સેમ્પલ્સ ટેસ્ટ કરાયા, જેમાંથી દરરોજ 588 કેસ પોઝિટિવ હોવાનું જણાયું છે, ICMR દ્વારા અત્યાર સુધી દેશમાં કોરોનાના કુલ 1,86,906 નમૂના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 7,953 પોઝિટિવ કેસ મળી આવ્યા છે.

મંત્રાલયે કહ્યું, 'મહારાષ્ટ્રમાં સૌથી વધુ 127 લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે મધ્યપ્રદેશમાં 36 લોકોને વાયરસથી ચેપ લાગ્યો છે. તે જ સમયે, ગુજરાતમાં ચેપને કારણે 22 અને પંજાબ અને દિલ્હીમાં અનુક્રમે 11 અને 19 લોકોનાં મોત થયાં છે.

દેશના 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી કોરોના વાયરસના ચેપના સૌથી વધુ કેસો 1761 મહારાષ્ટ્રમાંથી આવ્યા છે. તે પછી દિલ્હીમાં 1069 કેસ છે જ્યારે તમિળનાડુ 969 કેસ સાથે ત્રીજા સ્થાને છે.

અત્રે ઉલ્લેખનિય છે કે ભારતમાં કોરોનાવાયરસની ફેલાતો રોકવા માટે કેન્દ્ર સરકાર દ્વારા 24 માર્ચના મધ્યરાત્રિથી દેશભરમાં 21 દિવસના લોકડાઉનની ઘોષણા કરવામાં આવી છે.

Tags :