Get The App

કોરોનાએ ફરી ચિંતા વધારી: 24 કલાકમાં 5 લોકોના મોત, એક્ટિવ કેસ 4 હજારને પાર

Updated: Jun 3rd, 2025

GS TEAM


Google News
Google News
કોરોનાએ ફરી ચિંતા વધારી: 24 કલાકમાં 5 લોકોના મોત, એક્ટિવ કેસ 4 હજારને પાર 1 - image


Coronavirus in India: ભારતમાં કોરોનાનો પ્રકોપ એકવાર ફરી એકવાર વધી રહ્યો છે. સંરક્ષણ મંત્રાલયના આંકડા અનુસાર, ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા 4 હજારને પાર પહોંચી ચૂકી છે. ગત 24 કલાકમાં પાંચ લોકોના મોત થયા. કેરળમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કેસ 1416 નવા નોંધાયા છે. બીજા નંબરે મહારાષ્ટ્ર છે, જ્યાં 494 અને ગુજરાતમાં 397 નવા કેસ નોંધાયા છે. જો કે, છેલ્લા 24 કલાકમાં 512 લોકો સાજા થયા છે.

જે રાજ્યોમાં કોરોનાથી મોત થયા છે, તેમાં કેરળ, તમિલનાડુ, બંગાળ અને મહારાષ્ટ્ર સામેલ છે. કેરળ, તમિલનાડુ અને બંગાળમાં એક-એક જ્યારે મહારાષ્ટ્રમાં બે લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં બે મહિલાઓના મોત થઈ ગયા. જેમાંથી એકની ઉંમર 70 જ્યારે બીજાની ઉંમર 73 વર્ષ હતી. ડાયબેટિક અને હાયપરટેન્શનથી પીડિત હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં કોરોનાના આજે નવા 108 કેસ નોંધાયા, સૌથી વધુ અમદાવાદમાં, એકનું મોત

જ્યારે, તમિલનાડુમાં 69 વર્ષની એક મહિલાનું મોત થઈ ગયા. આ ડાયબેટિક અને પાર્કિનસન્સથી પીડિત હતા. આ સિવાય પશ્ચિમ બંગાળમાં 43 વર્ષની મહિલાનો જીવ ગયો. તેઓ પણ અનેક બીમારીઓથી પીડિત હતા. કેરળ, મહારાષ્ટ્ર અને ગુજરાત સિવાય દિલ્હી, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, તમિલનાડુ અને ઉત્તરપ્રદેશમાં પણ કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે, જ્યાં સંક્રમણની સંખ્યા ત્રણ આંકડામાં પહોંચી ગઈ.

છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલા કેસ?

રાજ્યનવા કેસ
કેરળ1416
મહારાષ્ટ્ર494
ગુજરાત397
દિલ્હી393
બંગાળ372
કર્ણાટક311
તમિલનાડુ215
ઉત્તરપ્રદેશ138

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાથી મૃતકોની સંખ્યા 30થી વધુ થઈ ચૂકી છે. મોતના મામલે કેરળ અને મહારાષ્ટ્રથી વધુ છે. ત્યારે, 24 કલાકમાં 500થી વધુ લોકો સાજા થઈ ગયા. દેશમાં અત્યાર સુધી 2000 દર્દી સાજા થઈને પોતાના ઘરે પરત ફરી ચૂક્યા.

આ પણ વાંચો: વિરાટ કોહલીએ ફાઈનલ મેચમાં ઈતિહાસ રચ્યો, તોડ્યો ધવનનો રેકોર્ડ

Tags :