ગુજરાતમાં કોરોનાના આજે નવા 108 કેસ નોંધાયા, સૌથી વધુ અમદાવાદમાં, એકનું મોત
Gujarat Today Corova Virus Case : ગુજરાતમાં કોરોના કેસોમાં રોજબરોજ વધારો થવાના કારણે ચિંતાનો વિષય બની ગયો છે. રાજ્યમાં આજે (3 જૂન) નવા 108 દર્દીઓ નોંધાયા છે. જ્યારે સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. આ ઉપરાંત એક દર્દીનું મોત થયું હોવાના પણ અહેવાલ સામે આવ્યા છે.
કોરોનાથી વધુ એક દર્દીનું મોત
રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, ગુજરાતમાં આજે કોરોનાના 108 દર્દીઓ નોંધાયા છે અને એક દર્દીનું મોત થયું છે. સૌથી વધુ અમદાવાદમાં કોરોનાના નવા 60 દર્દી નોંધાયા છે. શહેરમાં ગત અઠવાડિયે કોરોનાથી બે મહિલાઓનું મોત થયું હતું.
રાજ્યમાં કુલ સક્રિય કેસોની સંખ્યા 461
આરોગ્ય વિભાગના ડેટા મુજબ રાજ્યમાં 108 દર્દીઓ નોંધાવાની સાથે કુલ સક્રિય કેસોની સંખ્યા 461 પર પહોંચી ગઈ છે. તેમાંથી 20 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, જ્યારે સંક્રમિત 441 લોકો હોમ આઈસોલેશનમાં રખાયા છે.
આ પણ વાંચો : કોરોનાએ ફરી ચિંતા વધારી: 24 કલાકમાં 5 લોકોના મોત, એક્ટિવ કેસ 4 હજારને પાર
વધુ 43 દર્દીઓ સાજા થયા
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આઠ મહિનાના બાદળ સહિત ત્રણ દર્દી સારવાર લઈ રહ્યા છે. સૌથી રાહતની વાત એ છે કે, રાજ્યમાં વધુ 43 દર્દીઓ સાજા થયા છે, જેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે.
અમદાવાદમાં સક્રિય કેસોની સંખ્યા 300ને પાર
અમદાવાદની વાત કરીએ તો રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં કેસો સામે આવ્યા છે. અહીં કુલ સક્રિય કેસોની સંખ્યા 300ને પાર પહોંચી ગઈ છે. આરોગ્ય વિભાગનું કહેવું છે કે, તાજેતરમાં જે કોરોના દર્દીઓ સામે આવી રહ્યા છે, તે ઓમિક્રોન પેટા ટાઈપ વેરિઅન્ટ LF 7.9 અને XFG સંક્રમિત થયેલા છે. આ વેરિઅન્ટના લક્ષણો હળવો તાવ, શરદી અને ખાંસી છે.
આ પણ વાંચો : IPL-2025 Final Match : વિરાટ કોહલીએ ફાઈનલ મેચમાં ઈતિહાસ રચ્યો, તોડ્યો ધવનનો રેકોર્ડ