COVID19: છેલ્લા 24 કલાકમાં 20નાં મોત, પોઝિટિવ કેસ 5865 અને કુલ મૃત્યુંઆંક 169
નવી દિલ્હી, 9 એપ્રિલ 2020 ગુરૂવાર
દેશમાં છેલ્લા 24 કલાકમાં 591 નવા કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓનો આંક 6000ની નજીક પહોંચ્યો છે. અને આ કારણે વધું 20 લોકોનું મોત થતા મૃત્યુંઆંક 169 પહોંચી ગયો છે. અત્યાર સુધીમાં કુલ 478 લોકો સારવાર લઈ સાજા થયા છે. કેંદ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરૂવાર સાંજે આ માહિતી આપી.
દરેક રાજ્યમાં ચેરગ્રસ્તોની સંખ્યા
રાજ્યોની વાત કરીએ તો સૌથી વધુ કેસો મહારાષ્ટ્રમાંથી આવ્યા છે. અહીં કોરોનાથી 1135 લોકો ઝપેટમાં આવી ગયા છે. આમાંથી 117 લોકો સ્વસ્થ થયા છે અને 72 લોકોનાં મોત નીપજ્યાં છે. આંધ્રપ્રદેશમાં 348, અંદમાન અને નિકોબારમાં 11, અરુણાચલ પ્રદેશમાં એક, આસામમાં 28, બિહારમાં 38, ચંદીગઢમાં 18, છત્તીસગઢમાં 10, દિલ્હીમાં 669, ગોવામાં 7, ગુજરાતમાં 179, હરિયાણામાં 147, હિમાચલમાં 18, જમ્મુ-કાશ્મીરમાં 158, ઝારખંડમાં 4, કર્ણાટકમાં 181, કેરળમાં 345, લદ્દાખમાં 14, મધ્ય પ્રદેશમાં 229, મણિપુરમાં એક, મિઝોરમમાં એક, ઓડિશામાં 42, પુડુચેરીમાં 5, પંજાબમાં 101. રાજસ્થાનમાં 381, તામિલનાડુમાં 738, તેલંગાણામાં 427, ત્રિપુરામાં 1, ઉત્તરાખંડમાં 33, ઉત્તર પ્રદેશમાં 361 અને પશ્ચિમ બંગાળ 103, દર્દીઓ કરવામાં કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળે છે.
કરનાલ (હરિયાણા) માં 'એડોપ્ટ એ ફેમિલી' અભિયાન અંતર્ગત, 13,000 જરૂરીયાતમંદ પરિવારોને જરૂરી ચીજવસ્તુઓ ખરીદવા માટે 64 લાખ રૂપિયાની સહાય આપવામાં આવી રહી છે.
કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે પી.પી.ઇ.નો ઉપયોગ ફક્ત ગંભીર કેસોમાં જ કરવો જરૂરી છે. પીપીઇનો ઉપયોગ કરવા માટેની માર્ગદર્શિકાને સમજવા માટે, કૃપા કરીને ફક્ત સરકારી વેબસાઇટ્સ પર જાઓ. પી.પી.ઇ., માસ્ક અને વેન્ટિલેટરની સપ્લાય હવે શરૂ થઈ ગઈ છે. પી.પી.ઇ. માટે ઓર્ડર મુકાયા છે અને પુરવઠો શરૂ થઈ ગયો છે. 49,000 વેન્ટિલેટર મંગાવાયા છે.
કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે ભારતમાં હાઇડ્રોક્સિક્લોરોક્વિનનો પુરવઠો છે. ભવિષ્યના અંદાજોને ધ્યાનમાં રાખીને જ તેમની નિકાસ કરવામાં આવી રહી છે.
રાજસ્થાનમાં 47 નવા કેસ નોંધાયા છે, રાજ્યમાં 430 લોકો સંક્રમિત છે.
તેના સાથે જ, આઈસીએમઆરએ જણાવ્યું છે કે, "અત્યાર સુધીમાં 1,30,૦૦૦ નમૂનાઓનું ટેસ્ટ કરવામાં આવ્યું છે. આમાંથી 5734 નમૂનાઓ પોઝિટિવ હોવાનું જણાયું. છેલ્લા 1-1.5 મહિનામાં પોઝિટિવ રેટ 3-5% ની વચ્ચે છે. તેમાં કોઇ વધારો થયો નથી. 8 મી એપ્રિલે અમે 13,143 નમૂનાઓનું ટેસ્ટ કરાયા હતાં."
યુપીમાં કોરોના ચેપગ્રસ્ત દર્દીઓ 400 થી વધુ
ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝિટિવના 67 નવા કેસ મળ્યાં બાદ, રાજ્યમાં કોવિડ -19 થી પીડાતા દર્દીઓની સંખ્યા વધીને 410 થઈ ગઈ છે.
Increase of 591 new COVID19 cases and 20 deaths in last 24 hours; India's total number of #Coronavirus positive cases rises to 5865 (including 5218 active cases, 478 cured/discharged/migrated and 169 deaths): Ministry of Health and Family Welfare pic.twitter.com/8LQCwCrMgt
— ANI (@ANI) April 9, 2020